________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
જૈનધમ અને નાસ્તિકવાદ
[ ૪૦૫
તમાં તેમની સૂક્ષ્મતા એટલી છે કે આત્મા પેાતાના શુધ્ધ સ્વરૂપમાં વ્યક્ત થાય ત્યારે તે પરમાત્મા કહેવાય છે.
આવા અનત આત્માઓ મેાક્ષમાં બિરાજે છે. તેમના શુધ્ધ સ્વરૂપમાં અનંતજ્ઞાન, દર્શીન, ચારિત્ર્ય, શક્તિ ત્યાદિ છે. ત્યાંથી તેમને કાઈ અવતાર નથી, કાંઈ કતા લેપ નથી. સિદ્ધ થયેલ આત્મા કર્મ કરતા નથી અને સૃષ્ટિ રચવાનું કાર્ય પ્રત્યેાજન નથી. આ વિશ્વ તે એના રવરૂપમાં અનાદિકાલનું છે, ક્રાઇનું તે રચેલ નથી, સ્વભાવ મુજબ તેમાં ફેરફાર અને પરિણામ થયાં કરે છે. સર્વે શાશ્વત દ્રવ્યો રવતત્ર દ્રવ્યો છે, અને તેને કાઈ બનાવનાર નથી. સંસારી જીવ મૂશ્ચિંત દશામાં પેતાનું શુદ્ધ સ્વરૂપ અનાદિથી ભૂલેલ હાઈ અને બાહ્ય પુદ્દગલામાં સત્ય માની તેમાં પ્રચૂર આસક્ત રહે છે. સાચા ગુરુના સૉંગથી આવા સ'સારી જીવ તે ખાટી માન્યતા દૂર કરી આત્માના શુધ્ધ સ્વરૂપનું જ્ઞાન દૃઢ કરી તે પ્રાપ્ત કરવાનાં સાધના સેવી તે દ્વારા કર્મોંમલ દૂર કરી આત્મજ્યંાતિ પ્રગટાવે ત્યારે તે મુક્તઆત્મા પરમાત્મા કહેવાય છે. જૈનધમ માં આવી . ઊંચ કાટિની સ્થિતિના સ્વીકાર કરેલ હાવા છતાં તર દર્શના કેવળ પેાતાની અશુધ્ધ માન્યતાથી જૈનાને નિર્દે છે તેમાં તેમને જ ગેરલાભ છે. સાચી વસ્તુને પરિહાર કરવાથી સત્યને કાંઈ નુકશાન નથી, પરંતુ નુકશાન તે તેને પરિહાર કરનારને જ છે.
આ પરથી એટલું તે સ્પષ્ટ થયું હશે કે જૈન દશન પૂર્ણ આત્મદર્શન છે અને તે પણ ઇશ્વર કે પરમાત્માને માને જ છે. ફેર એટલે જ છે કે જૈનધર્મ પ્રરૂપેલ પરમાત્મા કે ઈશ્વર કદી પણુ અવતાર લેતા નથી, ફરી તેમને જન્મ કે મરણુ સહુવા પડતા નથી અને તેએ સૃષ્ટિની કાંઈ પણ રચના કરતા નથી, કેમકે તેમને તેમ કરવાનું કાંઇ પ્રયેાજન નથી. તે અઢાર દૂષણાથી રહિત પૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શક્તિના ધારક વીતરાગ છે અને આવા પરમાત્મા કાટિના પ્રંશ્વરને જેને શુદ્ધ મનથી નિજ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે ખૂબ ભક્તિથી પૂજે છે, તેમની ભક્તિ-પૂજા સ્મરણુ સ્તુતિ કાઈ પણ અન્ય ધર્મના ભકતપુરુષથી જરાય એછી કે ઊતરતી નથી; બલ્કે કેવળ વીતરાગ ભાવવાળી હાઇ શ્રેષ્ઠ ક્રાટિની છે. આવા ધર્મને કે તેના ધર્મીને નાસ્તિક કઇ રીતે કહેવાય ? ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનધર્મ પણ ખીજા ધર્મ માફક ચૈતન્યપ્રધાન આત્મધર્મ છે. અને તેમાં ઈશ્વર કે પરમાત્મા સંબધી શ્રેષ્ઠ માન્યતા અને જ્ઞાન પ્રવર્તે છે; અને તેથી તે ધમ પૂર્ણ આસ્તિક ધમ છે.
જૈનધમ અને ઇતર ધર્માં ઈશ્વરના સ્વીકારમાં એક વિચારવાળા હોવા છતાં તેઓમાં ઈશ્વર જગતને કર્તા છે કે નહીં એ રીતે ઈશ્વરના સ્વરૂપ સબંધી જે વિચારભેદ પ્રવતે છે, તે સંબંધી ઘેાડા ખુલાસા કરી આ લેખ સમાપ્ત કરીશ.
ઈશ્વરને જગત્કર્તા તરીકે માનનારા ધર્મો એમ દલીલ કરે છે કે જેમ જગતમાં હૅરેક ચીજોના કર્તા ક્રાઇ તે કાઇ હોય જ છે, તેમ આવા વિશાળ અનંત બ્રહ્માંડતા પણુ ક્રાઇ કર્તા હાવા જ જોઈએ. આ દલીલને ઉત્તર એટલા જ કે કાઇપણ રવતત્ર દ્રવ્યના કર્તા જગતમાં જોવામાં આવતા નથી. એક કુંભાર ધડો બનાવે, તન્તુવાય પટ બનાવે કે કારીગર
For Private And Personal Use Only