SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ ૨૯૬ ] ચારે આહારને ત્યાગ કરી સમાધી લગાવીને બેસી ગયા. એકવીશ દિવસના ઉપવાસને અંતે ભારતીદેવી પ્રસન્ન થયાં, અને તેમને 'ડિતેશિરામણ થવાને આશિર્વાદ આપ્યા. સરસ્વતીની પ્રસન્નતાથી વૃદ્ધ મુકુન્દમુનિને અપૂર્વ વાદશક્તિ પ્રાપ્ત થઈ, તેથી તે વૃદ્ધવાદી તરીકે સત્ર પ્રસિદ્ધ થયા. બાદ પારણા સારુ ગૃહસ્થને ઘેર ગેાચરી લેવા જતાં ત્યાં મુશળ તેમના જોવામાં આવ્યું. પૂર્વ મુનિવરના મુખથી મશ્કરીમાં અપમાનજનક વચન સાંભળ્યું હતુ. તે તુરત સ્મરણ આવ્યું, તેથી હુજારા માણસાની મેદની વચ્ચે તે મુશળ ઉપર પ્રાસુક જળનું સિંચન કરી તેને પુષ્પાથી નવપલ્લવિત કરી દીધું, અને સતે આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. ત્યારથી વૃદ્ધવાદી આબાલગોપાલ વિશ્વમાં સુપ્રસિદ્ધ થયા. એક વખત વયેવૃદ્ધ વૃદ્ધવાદી ઉદ્માષણા કરી કહેવા લાગ્યા કે સસલાનું શૃંગ (શિંગડું), ઇન્દ્રધનુષ્યનું પ્રમાણુ, શીતાગ્નિ, અને નિષ્પક પ પવન આ વાકયમાં જે કાઈને કંઇ ગમતુ ન હેાય તે તે મારી સામે આવીને વઢે. તેને નિરુત્તર કરવા માટે હું સજ્જ છું. પણ તેમની સામે કાઈ મેરચે માંડી શકયા નહીં. આથી જગતમાં વૃદ્ધવાદી અપ્રતિમમલ્લવાદી તરીકે જાહેર થયા. ``ગુરુમહારાજ શ્રીસ્કદિલાચાયે તેમને આચાય પદથી વિભૂષિત કર્યાં. ગુરુમહારાજ ગચ્છને સ` ભાર વૃદ્ધવાદીને સાંપી દઈ અનશન કરી સ્વસ્ય થયા. બાદ શાસનની ધુરાતે વહન કરતા વયેાવૃદ્ધે વૃદ્ધવાદીજી ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભવ્ય જીવને પ્રતિષ્ઠાવતા વિચરવા લાગ્યા. ત્યાર પછીના સમ્બન્ધ સિદ્ધસેન સાથેને છે] આ કથન સાંભળતાં જ સિદ્ધસેન ચમકયેા. મારા જીવતાં જગતમાં એ અપ્રતિમમલ્લવાદી તરીકે પ્રસિદ્ધ થાય! બસ, હવે તે તેને વાદમાં હરાવીને વિજય પ્રાપ્ત કરું ત્યારે જ ખરા! એમ કહી છંછેડાયેલા સર્પ જેવા સિદ્ધસેન વૃદ્ધવાદીને હરાવવાની દૃઢ પ્રતિજ્ઞા કરીને વૃદ્ધવાદીની શોધમાં નીકળી પડયા, અને આવી પહોંચ્યા ભરુચ બંદરે; જ્યાં નાઁદા નદીનાં ઊંડાં નીર વહી રહ્યાં છે, કાંઠે આવેલા શહેરને મતાહર દેખાવ દશ્યમાન થઈ રહ્યો છે, ઊંચી ઊંચી હવેલીએ ગગનમંડલની સાથ બાથ ભીડી રહી છે, મદિરાની ધ્વજાએ ચારે તરફ આકાશમાં કરકી રહી છે, અને વિશમાં તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીનું ભવ્ય તીર્થં જ્યાં શાભી રહ્યું છે. સિદ્ધસેને આવીને વૃદ્ધવાદીજીની શેાધ કરી, કાઇ પણુ સ્થળે ભેટા થયા નહીં, ત્યારે સિદ્ધસેન ફરતા ફરતા જૈન ઉપાશ્રયની નિકટમાં આવ્યા, ત્યાં કાઇ ગૃહસ્થને પૂછ્યું કે ભાઈ ! વૃદ્ધવાદીજી કયાં છે ? ગૃહસ્થે કહ્યું કે મહાશય ! તેઓ તે નવકલ્પવિદ્વારી છે. તેમના કલ્પ પૂરો થવાથી તેઓ આજે જ પ્રાતઃકાલમાં અહી’થી વિહાર કરી ગયા છે. આ સાંભળી હૃદયમાં હરખાત - તે ખાલી ઊઠયાઃ-એહ, કેસરીસિંહની બીકે ગજરાજ ભાગી જાય તેમ, મારી બીકે જ તે ભાગી ગયા લાગે છે. પણ હું તેમને કયાં હું એમ હું ?! સિદ્ધસેનનાં આ વચનેા એ ગૃહસ્થથી સહન ન થયાં. તેણે ખુલ્લા શબ્દોમાં તેમને સંભળાવી દીધું: અરે પડિતજી, વ્રુદ્ધવાદીનેવાદમાં હરાવે તેવા વિશ્વમાં જન્મ્યા છે જ ક્રાણુ ? તમે તે! એમની આગળ શા હિસાબમાં ? એ તો જબ્બરજસ્ત અપ્રતિમમલ્લવાદી છે. એક વખત મળી જુએ એટલે તમારી સાન તે મહાપુરુષ ઠેકાણે લાવશે. જાણે ભાવીના સૂચક જ હોય તેમ આ શબ્દે ગૃહસ્થના મુખમાંથી નીકળી પડયા. સિદ્ધસેન આ સાંભળી ચીડાઈને ખેલ્યાઃ અરે, એ ગમે તેવા હોય તે મારે સાંભળવાની For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy