________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ–વિશેષાંક ] ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવત
[ ૨૭૩ બેસતો આવે છે. જેમાં મેરમ અને મહિનાને મેળ મળી રહે છે. આનાં બીજાં નામે શાહરસન, સુરસન અને શાહ સંવત પણ છે.
દૃર્ષસંવર્ક નોજના રાજા હર્ષવર્ધન શિલાદિત્યે પોતાના રાજ્યાભિષેકની સાલથી એટલે વિ. સં. ૬૬૪ થી આ સંવત શરૂ કર્યો હતો, જેના સં. ૨૨ અને ૨૫ ના શિલાલેખો મળે છે.
દિકરાન–હજરત મહમ્મદ પયગંબરે વિ. સં. ૬૭૮ શ્રા. શુ. ૨ ગુરુવારની સાંજે તા. ૧૫-૭-૬૨૨ માં મક્કા છોડયું:(હીજરત કરી) ત્યારથી આ સન શરૂ થયો છે. આ ૩૫૪ કે ૩૫૫ દિવસનું ચાંદ્ર વર્ષ છે, જેમાં અધિક મહિને આવતો નથી અને મહિના તથા મોરમને સબંધ જોડાતું નથી. આ મુસલમાનોને મજહબી સંવત છે.
મારિકવર–આ સંવત વિ. સં. ૬૭૮ થી શરૂ થયો છે.
પરીસંવત્ત—પારસીસંવત શરૂમાં ૧૨ મહિનાના ૩૬૦ દિવસ અને છેલ્લા વધારાના ૫ દિવસ એમ કુલ ૩૬૫ દિવસ હતો અને મેવાકથી શરૂ થતો હતો. પછી યજદીગર્દને હીન્દી વિ. સં. ૬૮૯ માં તેને નવું રૂપ આપ્યું છે. જેમાં ૩૬૫ દિવસનું ૧ વર્ષ બને છે અને દર ચોથે વર્ષે ૧ દિવસ વધારાય છે. આનું બીજું નામ “ઇરાની સંવત્ ” પણ છે. | મણિન–વિ. સં. ૬૯૫ ની મેષ સંક્રાતિથી અને બંગાલી સન ૪૫ જતાં શરૂ થયો હતો.
૪મસંવત–જે વિ. સં. ૮૮૧ ના ભાદરવામાં ચીંગમ (સિંહ) સંક્રાન્તિથી શરૂ મનાય છે. આ સૌર વર્ષ છે, જેને સં. ૧૪૯ નો શિલાલેખ મળે છે, જેના બીજાં નામો કોલંબસધત અને પરશુરામસંવત પણ છે.
પિત્તરસંવતજેને નેપાલના રાજા અભયમલ્લના પુત્ર વિ. સં. ૯૭૬ ના કા. શુ. ૧ તા. ૨૦–૧૦–૮૭૯ થી શરૂ કરેલ છે.
સુવિચરસંવત-કલ્યાણ નગરના સેલંકી રાજા વીર વિક્રમાદિત્યે ગુજરાતી વિ. સં. ૧૧૩૨ ના ચે. શુ. માં આ સંવત્ ચલાવ્યો છે, જેનો સં. ૯૪ના શિલાલેખ મળે છે.
ટાઢવ-ખુરાસાનના બાદશાહ સુલતાન જલાલુદ્દીન મલિકે પારસીસંવતના મહિનાઓ અને ઋતુઓને મેળ સાધવા માટે હિન્દી વિ. સં. ૧૧૪૬ થી જલાલી સંવત્ શરૂ કર્યો છે, જે પારસી સમાજમાં પ્રચલિત છે.
લિવરગુજરાતના રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહે (કર્નલ જેમ્સના મતે શિવસિંહ અને દી. વિજયશંકર ગૌરીશંકર ઓઝાના મતે સૌરાષ્ટ્રના મંડલેશ્વર સિંહે) વિ. સં. ૧૧૭૧ કા. શુ. ૧ થી આ સંવત ચલાવ્યું છે, જેને પહેલે શિલાલેખ સં. ૩૨ ને મળે છે. ગુજરાતના રાજા સોલંકી ભીમદેવ (બીજા) ના દાનપત્રમાં પણ સં. ૯૬ મા. શુ. ૧૪ અને ગુરુવારનો ઉલ્લેખ છે.
१२ श्रीमविक्रमसंवत् १२०२ श्रीसिंहसंवत् ३२ आस्वीन वदि १३ सोमे । (માંગરોલની સેઢી વાવને શિલાલેખ, ગુજરાત ઐતિહાસિક લેખો ભા. ૨ નં. ૧૪૫)
For Private And Personal Use Only