________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧-૨ આ શ્લેક સૂચવે છે કે-વિક્રમ અને ધન્વન્તરી વગેરે નવ રત્નો-એમ આ દશે સમકાલીન પુરુષે છે. એટલે આ નવ રત્નોને કાળ છે તે જ વિક્રમાદિત્યના અસ્તિત્વને કાળ છે. આ વિક્રમને નિર્ણય કરવા માટે આપણે નવ રત્નના કાળને નિર્ણય કરવો જરૂરી છે.
તિર્વિદાભરણને રચનાકાળ તેની અંતિમ પ્રશસ્તિમાં આ પ્રમાણે છે વર્ષે વિધુર-નાં-વ-સુદ (૩૦૬૮) લાટ તમિરે . मासे माधवसंज्ञिते च विहितो ग्रंथक्रियोपक्रमः ॥ अ० २२ श्लो० २१ ।
આ ગ્રંથ કલિ સં. ૩૦૬૮ (વિ. સં. ૨૪)ના વૈશાખમાં શરૂ કર્યો છે. (અને કાર્તિક મહિનામાં સમાપ્ત કર્યો છે.)
આ ગ્રંથને કર્તા રઘુવંશ આદિ ત્રણ કાવ્યોને નિર્માતા અને વિક્રમ રાજાને મિત્ર કવિ કાલિદાસ છે (. ૧૯-૨૦) એમ પણ આ જ ગ્રંથમાં દર્શાવેલ છે. કિન્તુ આ ગ્રંથના આંતર નિરીક્ષણ પછી ઉક્ત બને વરતુ ખોટી ઠરે છે, જે પૈકીના ઉપયોગી પાઠ નીચે પ્રમાણે છે:
(૨) મરવા વરદિમિત્તે (२) शाकः शराम्भोधियुगो ४४५ नितो हतो,
मानं खतर्कै (६०) रयनांशकाः स्मृताः ॥ अ० १ श्लो० १८ ॥ (૩) દ્રિયોગનો ત્રીજો અંશ જતાં ક્રાન્તિસામ્ય થાય ઈત્યાદિ વિધાન
આ પાઠના આધારે પ્રસ્તુત ગ્રંથમાં વરાહમિહિરના ગ્રંથને આધાર અયનાંશ કાઢવાની રીતિમાં શાકે ૪૪૫ ની સાલ અને ઉક્ત કાંતિસામ્યમાં મેળખાતી શાકે ૧૧૬૪ (વિ. સં. ૧૨૯૯)ની સાલ હોવાનું વિધાન તરી આવે છે.
હવે આ અને આવા પાઠેને લહિયાઓ દ્વારા ઉમેરાએલા માનીએ તો પછી માત્ર નવરત્નવાલે લૅક અસલી છે કે નકલી છે તે જ તપાસવાનું બાકી રહેશે. પરંતુ આ પાઠ પ્રક્ષિપ્ત પાઠ નથી એમ માનીએ તો આ ગ્રંથ વિ. સં. ૧૨૯૯ ની આસપાસમાં બનેલ છે અને મહાકવિ કાલિદાસના નામે ચડેલ છે એમ નિર્વિવાદ માનવું પડશે. અને આવા અર્વાચીન ગ્રંથનું પ્રાચીન કાળની ચર્ચામાં શું સ્થાન છે તેને નિર્ણય કરવાનું સંશોધકે ઉપર જ છોડી દેવું પડશે.
સદ્દગત શંકર બાલકૃષ્ણ દીક્ષિત તે તિર્વિદાભરણ માટે સ્પષ્ટ કહે છે કે – __ या मूळे त्यां ग्रंथावर भरंवसा ठेवितां येत नाहीं॥
–(ભારતીય જ્યોતિષશાસ્ત્ર પૃ. ૨૧૨ ) ज्योतिर्विदाभरण-हा महूर्तग्रंथ आहे। हा गत कलि ३०३८ या वर्षी रघुवंश इत्यादि ग्रंथ करणार्या कालिदासाने केला असें यांत लिहिले आहे, परन्तु ते खोटे आहे । पेंद्र योगाचा तिसराअंश गतअसतां रविचंद्रक्रान्तिसाम्य होते असे यांत आहे । या वरून तर त्याचा काल सुमारे शक ११६४ ठरतो। याचा कर्ता कालिदास असल्यास तो रघुवंशकाराहून निराळा ।
–(ભારતીય જ્યોતિષશાસ્ત્ર અથવા ભા. જ્યો. શા. ચા પ્રાચીન આણિ અર્વાચીન ઈતિહાસ, પૃષ્ઠ-૪૭૬)
For Private And Personal Use Only