SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૐ ૩] દવાની ગણના અને ઘટના [ ^ } એ; પરંતુ દર્શીતાની કાઈ નિયત સ ંખ્યા રૂઢ થયેલી જોવાતી નથી.. આઠમા સૈકામાં થઈ ગયેલા ગણાતા શકરાચાર્યે સસિદ્ધાન્તસ ગ્રહ નામના ગ્રન્થ રચ્યા છે એમ કેટલાક માને છે. એ ગ્રન્થ ઉપરથી લેાકાયતિક, આર્હત, ચાર પેટામતથી યુક્ત બૌદ્ધ, વૈશેષિક, ન્યાય, પૂર્વમીમાંસા (પ્રાભાકર અને ભટ્ટ), સાંખ્ય, પાતંજલ, વેદવ્યાસ અને વેદાન્ત એ દર્શાના એ સમયે અગ્ર સ્થાન ભોગવતાં હતાં એમ જણાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ. સ.ના નવમા અને અગ્યારમા સૈકાના ગાળામાં થઈ ગયેલા અને ‘જરનૈયાયિક’ર તરીકે સુપ્રસિદ્ધ જયન્ત ભટ્ટે બઢ઼તકના અર્થાત્ છ દવાના નિર્દેશ કર્યો છે. એ છ દર્શોના તે સાંખ્ય, આત, બૌદ્ધ, ચાર્વાંક, વૈરોષિક અને ન્યાય છે. અનેકાન્તજયપતાકાના અંતમાં કાઈ પદ્મદેવ નામના મુનિએ રચેલાં પાંચ પદો નજરે પડે છે. એના ચોથા પદ્યમાં ત્રણ પ્રકારના તર્કોના ઉલ્લેખ છે. શું અહીં ‘ તર્ક ’ શબ્દના અર્થ ‘દર્શીન’ કરવાના છે? આ પદ્યમાં સુગતમત, સાંખ્ય અને ભટ્ટના નિર્દેશ છે. એવી રીતે પહેલા પદ્યમાં બૌદ્ધ, ચાર્વાક અને તર્કનના ઉલ્લેખ છે. રાજા મલ્લાલ સેન (આશરે ઈ. સ. ૧૧૫૮–૧૧૭૦) દ્વારા બંગાળમાં દાખલ થયેલા ગણાતા હશીષ પાંચરાત્રમાં ગૌતમ, કાદ, કપિલ, પતંજલિ, બ્યાસ અને જૈમિનિ એ છતે। ઉલ્લેખ છે. એને લગતું પદ્ય નીચે પ્રમાણે છે : 66 गौतमस्य कणादस्य कपिलस्य पतञ्जलेः । ,, व्यासस्य जैमिनेश्चापि दर्शनानि षडेव हि ॥ ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાળામાં ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ થયેલ સમતસ`ગ્રહ (પૂ. ૧૪–૧૫)માં વિચારશાસ્ત્રોના વૈદિક અને અવૈદિક એમ બે ભેદ પડાયા છે. વળી તેમાં વૈદિકના મીમાંસા સાંખ્યું અને તર્ક એમ ત્રણ પેટાભેદઅને વૈદિકના બૌદ્ધ, આત અને તર્ક એમ ત્રણ પેટાભેદ ગણાવાયા છે. આમાંનાં પહેલાં ત્રણ દનાને વૈશ્વિક કહ્યાં છે, તેનું કારણ એ છે કે એ ત્રણેનું મૂળ વેદ છે, જ્યારે બાકીનાં ત્રણુને અવૈદિક કહ્યા છે, કેમકે એ મુદ્દે, ક્ષપણુકે અને બૃહસ્પતિએ રચેલાં છે અને વેદાભાસ એ એનુ મૂળ છે. આ પ્રમાણે એમાં સૂચવાયુ' છે. ચૌદમા સૈકામાં થઈ ગયેલા મનાતા મલ્લિનાથે વિદ્યાધરકૃત પ્રતાપરુદ્ર યશાભૂષણની ટીકામાં પાણિનિ, જૈમિનિ, વ્યાસ, કપિલ, અક્ષપાદ અને કણાદના નિર્દેશ કર્યો છે. તેરમા સૈકાના માધવાચાર્યે સદનસંગ્રહ રચ્યા છે. એ ઉપરથી નીચે મુજબનાં દના એ સમયે હાવાનુ' પ્રતીત થાય છેઃ— ચાર્વાક, બૌદ્ધ, આંત, રામાનુજ, પૂ`પ્રખ્ત, નકુલીશ, પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્સ, અક્ષપાદ, જૈમિનિ, પાણિનિ, સાંખ્ય, પાતંજલ અને શાંકર. હિન્દુ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ એ ગ્રન્થના પૂર્વાધ'ની પ્રસ્તાવના (પૃ. ૧૩–૧૪)માં આ પંદર દર્શીતાની નોંધ છે. સાથે સાથે એમાં પહેલાં ત્રણને નિરીશ્વરવાદી, ચેાથાને અને પાંચમાને વૈષ્ણુવ મત, છઠ્ઠાથી અગ્યારમાને શૈવ મત અથવા સેશ્વરવાદી, બારમાને શબ્દ 1 જીએ રવ. નમદાશંકર દેવશ’કર મહેતાકૃત હિન્દ તત્ત્વજ્ઞાનના ઇતિહાસ (પૂર્વાધ, પ્રસ્તાવના, પૃ. ૧૩-૧૫). ૨ જી ઉપાધ્યાય ગંગેશકૃત ન્યાયચિન્તામણિ (ઉપમાનખંડ, પૃ. ૬૧). ૨ જીઓ ન્યાયમ’જરી. For Private And Personal Use Only
SR No.521596
Book TitleJain_Satyaprakash 1943 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy