SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯. કેટલાક અપ્રસિદ્ધ જૂના લેખે સંપાદક-શ્રીયુત રા. રા. શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧ (પહેલું ફરમાન ) શ્રી ફેબ્સ ગુજરાતી સભાને સંગ્રહમાં કેટલીક જૂની ફારસી સનદી અને કેટલાંક જૂનાં બાદશાહી ફરમાને છે. એ સનદ તથા ફરમાનોની સંખ્યા મહેતી નથી. પરંતુ જે છે તે કેટલેક ભાગે ગુજરાતના ઇતિહાસને ઉપયોગી છે. એ સંગ્રહમાંથી એક ફારસી લેખનું ભાષાંતર થોડા વખત પર “ગુજરાતી”ના દીવાળીના અંકમાં “પેશ્વા સાથે એક કરાર” એ મથાળા હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ગુજરાતની અર્વાચીન સ્થિતિને લગતે એ કરાર હતો. એ સ્થિતિ જોડે સંબંધ રાખતો એક બીજો લેખ એ સંગ્રહમાંથી મળી આવ્યો છે. જે વખતે જનરલ ગોડાર્ડ (General Goddard)ના હાથમાં અમદાવાદ આવ્યું તે વખતે એણે એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલું. તે જાહેરનામાની ખરી નકલ ગોડાર્ડની સહી સાથેની એ સંગ્રહમાંથી મળી આવી છે. દરેક વિજયી સેનાપતિ એવી રીતનાં જાહેરનામાં કે ઢંઢેરા પિતાના તાબામાં આવેલી રૈયતના સાતવન અર્થે બહાર પાડતા, અને હજી પણ પાડે છે. છેલ્લી મહેટી લડાઈ વખતે જર્મને પણ એવાં જાહેરનામાં ઠેર ઠેર બહાર પાડતા હતા. આ જાહેરનામું ટુંકું પણ મુદ્દાસર છે. શાહ આલમ બાદશાહ ગાઝી અમીર ઉદ્દૌલા જનરલ ગોડાર્ડ બહાદુર ફતેહજંગ ફીદવી સને ૧૧૯૪ અસલ મુજબ નકલ: નથુ (નાનું) શંકર સુબા વગેરે અમદાવાદની રૈયત, એ શહેરના વતનીઓ તથા ત્યાં રહેનારા અને વસનારા સઘળાને માલુમ થાય– એમ થાઓ કે હવે સૌ લેકેએ ખાતર જમા રાખી પોતાના મકાનમાં રહેવું. અને કોઈ પણ રીતનો અંદેશો કે ડર પિતાની હંમેશની રહેણી કરણી સંબંધે ન રાખતાં રોજના કામકાજમાં મશગૂલ રહ્યા જવું, કારણ કેઈ પણ માણસ તેમને કઈ રીતની અડચણ કે અટકાવ કરશે નહિ. આ બાબત તેમણે ખાતરી રાખવી, અને આમાં લખ્યા મુજબ હેમણે વર્તવું. લખું તારીખ ૫ મહીને સફર હી. સ. ૧૧૯૪ તે ગાદીએ બેઠાને સને ૩૫. | (અંગ્રેજીમાં સહી) Thomas Goddard જહાંગીર અને શાહજહાંન બાદશાહના વખતમાં અમદાવાદને જૈન વેપારી, ઝવેરી શાંતિદાસ (કે સતિદાસ) બહુ વગવાળો માણસ થઈ ગયે હેય એમ જણાય છે. એ બાદશાહેના તરફથી એને ઘણું ફરમાને મળ્યાં હોય એમ લાગે છે, અને તે સર્વે જૈનધર્મના સિદ્ધાંતને અનુસરી ચાલનારાઓને દરેક રીતે અડચણમાંથી મુક્ત રાખવાને માટે એણે કઢાવ્યાં છે. જીવહિંસાની મના, શિકારનો પ્રતિબંધ, જૈન દહેરાસર તથા ધર્મશાળાઓ વિગેરેના ઉપયોગમાં પરધમઓ તરફથી થતી અડચણેને અટકાવ, એ આ ફરમાનોની મુખ્ય મતલબ For Private And Personal Use Only
SR No.521595
Book TitleJain_Satyaprakash 1943 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy