SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક મહત્વનાં ફરમાનપત્રો સંગ્રાહક–પુજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી મોગલકુલતિલક સમ્રા અકબરે જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પરિવારને આપેલાં ફરમાને “કૃપારસકેલ” અને “સૂરીશ્વર અને સમ્રા” વગેરે ગ્રંથમાં પ્રકાશિત થયેલાં છે. તેમજ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વગેરેનાં ફરમાને સૂરીશ્વરને સમ્રાટ “શત્રુંજય પ્રકાશ,” શત્રુંજય મેમોરેન્ડમ “રાપાના જરૂરી પત્રો” વગેરેમાં પ્રકાશિત થયાં છે. હું અહીં કેટલાંક મહત્ત્વનાં ફરમાનેને પરિચય અને અનુવાદ આપવા ધારું છું. આ ફરમાને ભાવનગરમાં ભરાયેલી ગુજરાત સાહિત્ય પરિષદના ઈ. સ. ૧૨૪ ના અધિવેશનના રીપોર્ટમાં પ્રકાશિત થયાં છે. ફારસી ભાષાના સમર્થ અભ્યાસી અને ગુજરાતના સાક્ષરરત્ન શ્રીયુત કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ એ ફરમાન સંપાદિત કર્યો છે. શ્રી ફેબ્સ ગુજરાતી સભાના સંગ્રહમાં કેટલીક જૂની સનદ અને જૂનાં બાદશાહી ફરમાને છે, તે તેમણે ગુજરાતના ઇતિહાસને ઉપયોગી ધારી તેમાં સંપાદિત કર્યા છે. આ ફરમાને ગુજરાતના ઇતિહાસમાં જેમ ઉપયોગી છે, તેમજ જૈનધર્મનો પ્રભાવ ઉપર પણ સુંદર પ્રકાશ પાડનારાં છે. મુસ્લીમ સમયમાં અને તેમાંયે મુગલાઈ જમાનામાં જૈનધર્મમાં પ્રાભાવિક આચાર્યો અને પ્રામાવિક શ્રાવકે કેવા હતા તેને ખ્યાલ આ ફરમાને આપે છે. હું પહેલા સંક્ષેપમાં તે ફરમાનનો પરિચય આપીશ અને પછી મૂળ ફરમાનેને અનુવાદ આપીશ, જેથી વાચકે તેને બરાબર સમજી શકે. પહેલું ફરમાન જનરલ ગોડાર્ડનું છે. એક વિજયી સેનાપતિ પિતાના વિજયપ્રવેશ વખતે પ્રજાને જે આશ્વાસન અને શાંતિ આપે છે તે આ ફરમાનમાં છે. દરેક વિજયી સેનાપતિ આવાં જ જાહેરનામાં બહાર પાડે છે. અંગ્રેજોએ અમદાવાદમાં પ્રવેશ કરતાં આ ફરમાન બહાર પાડયું હતું. અમદાવાદની જનતાને આ ફરમાન જણાવે છે કે “ અમદાવાદની રૈયતે શાંતિથી રહેવું અને પિતાનું નિયમિત કામકાજ કરવું. તેમને તેમના કામમાં કેઈ ખલેલ નહિ પહોંચાડે. હીજરી સં. ૧૧૯૪ માં આ ફરમાન બહાર પડયું છે, તા. ૫ મહિને સફર. આ ફરમાનમાં સંવત મુસલમાની આપે છે. અને મહેરમાં શાહઆલમનું નામ છે, જે વાચ ફરમાનથી જોઈ શકશે. આ સિવાયનાં ફરમાને મેગલ સમ્રાટુ જહાંગીર અને શાહજહાંનાં છે. આ ફરમામાં મોગલ બાદશાહનાં પિતાની બિનમુસ્લીમ જનતા પ્રત્યેનાં સદ્દભાવ, તેમના ધર્મને માન આપવાની લાગણું અને તેમના પ્રત્યેની પક્ષપાતરહિત મનવૃત્તિ જણાઈ આવે છે. આ બાદશાહને પિતાના ધર્મ પ્રત્યે પ્રેમ અને આદર હોય તે સ્વાભાવિક છે, પણ અન્ય ધર્મવાળી પ્રજાનું મન ન દુઃખાય એને પણ તેઓ પૂરો ખ્યાલ રાખતા હતા. આ નીતિ બાદશાહ અકબરથી વધુ પ્રસિદ્ધિ પામી હતી. જીવહિંસાની મનાઇ, શિકારને પ્રતિબંધ અને જૈનમંદિર, ધર્મશાળાઓ અને ધર્મસ્થાનના ઉપયોગમાં પરધર્મીઓની ડબલોને અટકાવ; એ આ ફરમાનાની મુખ્ય મતલબ છે. બીજું ફરમાન અમદાવાદના નગરશેઠ શાંતિદાસને આપેલું છે. તેમાં પાલીતાણું મજ For Private And Personal Use Only
SR No.521595
Book TitleJain_Satyaprakash 1943 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy