SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાર [વર્ષ ૮ “તે ગધેડી પાછી ફરીને પરિવ્રાજક પાસે આવીને તેના ઉપર મૂત્ર વિષ્ટ કરીને ચાલી ગઈ. પછી સભાપતિ રાજા વગેરેથી અવહેલના કરાતે પરિવ્રાજક નગર વાર કરાયો.” ખરેખર, પ્રતિવાસુદેવનું ચક્ર જે પ્રમાણે પિતાનું જ વિનાશક થાય છે, તે પ્રમાણે આ વિદા પણ જે કાર્ય માટે વાપરી હોય ત્યાં જો નિષ્ફળ થાય તો મૂકનારને મારે. અરેરે ! બાપડા પરિવ્રાજકની બહુ ખરાબ સ્થિતિ થઈ. કેટલું અભિમાન હતું ? ક્ષણમાં બધું બદલાઈ ગયું.” બીજું શું થાય? વગર વિચાર્યું મિથ્યાભિમાન માણસને ઊંચે ચડાવીને એવું તે પછાડે છે કે તેનું નામનિશાન પણ રહેવા દેતું નથી.” સાંભળ્યું કે આ વિજયથી મહારાજને ઘણું સન્માન મળ્યું, ને તેમને યશ બહુ એ તે સારું જ થયું છે. પણ મહારાજ હજુ એટલા પ્રૌઢ થયા નથી તેમને મળેલ આ માનનો દુરુપગ ન થાય તો સારું. તેઓ આગળ વધે ને આવી વિદ્વત્તા ફેલાવે તે આપણે ગૌરવ લેવા જેવું છે.” “એમાં શું ? આપણા રાજ્યમાં એવા વિદ્વાનો વસે એ આપણને અને રાજ્યને અભિમાનનો વિષય છે, વળી હજુ સુધી હું છવ ને અજીવ એ બે જ પદાર્થ છે એમ જ સમજતો, પણ આ મહારાજનું કથન સાંભળ્યા પછી મારો એ ભ્રમ દૂર થયે ને નવ પણ છે એ સમજાયું.” “હા, મારા પણ સાંભળવામાં અત્યાર સુધી એ નહોતું આવ્યું, મહારાજે એ નવીન જ બતાવ્યું.” શ્રીહગુપ્ત પરિવ્રાજકને વાદમાં પરાજિત કરીને તેની દુષ્ટ વિવાઓને બેલહીન કરી એટલે તેણે ગર્દભ મહાવિદ્યાનો પ્રયોગ કર્યો. શ્રીહગુપ્ત પિતાના ગુરુમહારાજે મંત્રીને આપેલ એવાથી તેને પણ વ્યર્થ કરી એટલે ઉપાયહીન થઈ પરિવ્રાજક સંપૂર્ણ પરાસ્ત થયો ને રાજ્ય તેને નગર પાર કર્યો. ને શ્રીહગુપ્તને ખૂબ માનપૂર્વક વિજ્યા જાહેર કર્યા. ઉપરની નાગરીકાની વાતચિતથી એ સ્પષ્ટ સમજાય છે. [૫] આજ અન્તરંજિકા નગરીમાં ઘરઘર ઉત્સવ છે. જેનો અને જૈનેતર સર્વે શ્રીહગુપ્તના વિજયથી આનેન્દ્રિત થયા છે. શ્રીરાહગુપ્તને મોટા ઉત્સવપૂર્વક રાજસભાથી ઉપાશ્રયે લાવ્યા. તેમના ગુરુમહારાજશ્રીએ વાદમાં વિજય મેળવવા માટે તેમને ખૂબ શાબાશી આપી, ને પછી વાદને વૃત્તાન્ત પૂછળ્યો તે આ પ્રમાણે– હગુપ્ત ! વાદની શરૂઆત કોણે કરી હતી ?” જી, રાજ્ય તરફથી વાર શરૂ કરવા સૂચન કરાયું એટલે તે કંઈ પણ બોલ્યો નહિ ત્યારે મેં કહ્યું “પૂર્વપક્ષ કરે” એટલે તેણે પૂર્વ પક્ષ કર્યો.” “શા વિષયમાં તેણે પૂર્વપક્ષ કરેલ” “જી, જવ અને અજીવ એમ બે જ રાશિ છે. તેનું તેણે સ્થાપન કર્યું.” “ત્યારે તે તેણે આપણને અભિમત સત્ય સિદ્ધાન્તનો પક્ષ લીધે. પછી તેં શું કર્યું?” “જી, મેં ધિરાશિનું ખંડન કરીને ત્રણ રાશિનું સ્થાપન કર્યું.” For Private And Personal Use Only
SR No.521590
Book TitleJain_Satyaprakash 1943 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy