SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬-૭] પ્રવચન-મનમાં પરભવમાં જવું જ પડે, તે આયુષ્ય કહેવાય. ૩. અથવા નરકાદિ એમાંના કેઈ પણ ભવમાં જેટલે કાળ રહેવાનું થાય, તે આયુષ્ય કહેવાય. આ રીતે આયુષ્ય કર્મની વ્યાખ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિ વગેરેમાં જણાવી છે. ૧૯. ૨૦. પ્રન–શાસ્ત્રમાં આયુષ્યકમને બેડીના જેવું જણાવ્યું છે, તે બેડીનું દૃષ્ટાંત કઈ રીતે ઘટી શકે? - ઉત્તર–જેમ કેદખાનામાં બેડીમાં રહેલે માણસ ક્રેદમાં રહેવાની મુદત પૂરી થયા વિના કેદખાનામાંથી છૂટો થઈ શકતો નથી, તેમ આયુષ્ય કર્મની સ્થિતિ પૂરી થયા વિના સંસારી જીવો તે તે ભવમાંથી છૂટા થઈ શકતા નથી. આ મુદ્દાથી આયુષ્યકમને બેડીનાં જેવું કહ્યું છે, એમ શ્રી કર્મગ્રંથ વૃત્તિ–પંચસંગ્રહ ટીકા વગેરેમાં જણાવ્યું છે. ૨૦. ૨૧. પ્રાન–શ્રી. જિનેન્દ્રાગમમાં આયુષ્યના બે ભેદ ણ કહ્યા છે તે કયા ? ઉત્તર–૧, દ્રવ્ય આયુષ્ય, ૨. કાલ–આયુષ્ય-આ રીતે આયુષ્ય છે ભેદે છે. ૨૧. ૨૨. પ્રકનકવ્ય–આયુષ્યનું સ્વરૂપ શું ? ઉત્તર–જે આયુષ્યકર્મના દળિયા આત્માની સાથે સંબદ્ધ છે, તે વ્યાયુષ્ય કહેવાય. સંસારી છે જે અમુક કાળ સુધી જીવે છે, તેમાં કારણ દ્રવ્યાયુષ્ય જાણવું. જેમ તેલથી દીવો બળે છે. તેમ દ્રવ્યાયુષ્યને લઈને એટલે આયુષ્ય પુદ્ગલેના ટેકાથી જીવ અમુક કાળ સુધી જીવી શકે છે. આવાં અનેક કારણોને લઇને આયુષ્યકર્મ પૌગલિક કહેવાય છે. ૨૨. ૨૩. પ્રશ્નન-કાલ–આયુષ્યનું સ્વરૂપ શું ? ઉત્તર–બાવીસમાં પ્રશ્નમાં જણાવ્યા મુજબ આયુષ્યકર્મના પુદ્ગલેના અવલંબનથી સંસારી જીવો જે અમુક કાળ સુધી જીવન ધારણ કરે, તે કાલાયુષ્ય કહેવાય. ૨૩. ૨૪. પ્રશન–શાસ્ત્રમાં કોલ–આયુષ્યના કેટલા ભેદ જણાવ્યા છે? ઉત્તર–૧–અપવર્તનીય કાલાયુષ્ય. ૨. અપવર્તનીય કલાયુષ્ય-એમ બે ભેદ કહ્યા છે. ૨૪. ૫. કન—-અપવર્તનીય કાલાયુષ્યની વ્યાખ્યા શી? ઉત્તર–જે આયુષ્યને કાલ પૂરો થયા પહેલાં મરણ થાય, તે અપવર્તનીય કાલાયુષ્ય કહેવાય. આયુષ્યના દળિયામાં સ્થિતિઘાતાદિ થવાથી કાલ પૂરા થયા પહેલાં પણ જીવ મરણ પામે છે, તેમાં થોડા ટાઇમમાં આયુષ્યના તમામ દલિયા ભોગવાય છે. ૨૫. ર૬. પ્રશ્નન–અનપવર્તનીય કાલાયુષ્યનું સ્વરૂપ શું ? ઉત્તર–સંસારી જીવો જે આયુષ્ય પૂરું કરીને જ મરણ પામે (પરભવમાં જય) તે અનાવર્તનીય કાલાયુષ્ય કહેવાય. કાલાયુષ્યનું બીજું નામ રિસ્થતિ–આયુષ્ય છે. તેના ભેદની વિશેષ બિના શ્રી. પ્રજ્ઞાપના સૂત્રમાં જણાવી છે. ૨૬. ૨૭. પ્રકન-અપવર્તનીય આયુષ્યમાં ને અનપ વર્તાય આયુષ્યમાં તફાવત છે ? ઉત્તર–આયુષ્યકર્મને બાંધતી વેળાએ કોઈ વખત જુદા જુદા અધ્યવસાયાદિ નિમિત્તોને લઈને તેની સ્થિતિ નરમ પણ બંધાય છે. જે આયુષ્ય નરમ થિતિવાળું હોય, તેને શસ્ત્રાદિ ઉપક્રમોના સંબંધાદિથી પૂરું ભેગવી શકાતું નથી. જેથી આયુષ્યની સ્થિતિ પૂરી થયા પહેલાં જીવ મરણ પામે છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે-જે આયુષ્ય For Private And Personal Use Only
SR No.521588
Book TitleJain_Satyaprakash 1943 03 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy