SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ દિવસ ગુરુને વિચાર આવ્યો કે એ જંગલમાંથી લાકડાં પાદડાં વીણી આવે એટલે એને પૂછવું કે તે આજ શું જોયું અને જે જોયું તે શાના જેવું હતું? કારણું, આથી એ સરખામણી કરતાં અને કારણે આપતાં શીખશે અને એમ સરખામણી અને કારણો આપવાના અભ્યાસ પછી એને શિક્ષણ આપી શકાશે. આ સંબંધમાં એ સમયના વિદ્યાર્થીઓ સ્નાતક થયા બાદ પોતે લીધેલાં શિક્ષણને વહેવારમાં ઉતારવા માટે અને દેશદેશના ભિન્ન ભિન્ન રીત-રિવાજે જાણીને માનવ વ્યવહારની ઊંડી ખૂંચ મેળવવા તથા દુઃખો વેઠી ખડતલ થવા માટે ખરચાળ પરદેશી સકર પર શી રીતે જતા એ ધ્યાનમાં લેવા જેવું છે. તક્ષશિલા ત્યાંની કેટલીક વિશિષ્ટ પાઠશાળાઓ માટે પણ પ્રસિદ્ધ હતું. ત્યાંની વૈદક પાઠશાળા ઘણી પ્રસિદ્ધ હતી અને છવકની વાત માનીએ તો ભારતમાં એ એક ઉત્તમ પાઠશાળા હતી. ત્યાંની સ્મૃતિની પાઠશાળા પણ પ્રસિદ્ધ હતી. દૂર દૂર ઉજજેની વિદાથીઓ ત્યાં જતાં. ત્યાંની લશ્કરી પાઠશાળાઓ પણ ઓછી પ્રસિદ્ધ નહોતી. આવી એક શાળા એ વખતના આખા હિંદુસ્તાનમાંના કુલ ૧૦૩ રાજકુમારને પિતાના વિદ્યાર્થીઓ ગણાવવાનું અભિમાન ધરાવતી હતી. ત્યાંની ધનુર્વિદા પાઠશાળામાં અપાતા શિક્ષણ માટે દેશમાં કેટલી તીવ્ર અને બહેની માગણી હતી એ આપણે કયારના જોઈ ગયા છીએ. આમ તક્ષશિલાના પંડિતો શાંતિ તેમજ યુદ્ધની વિદ્યાઓ માટે સરખા સુપ્રસિદ્ધ હતા. આ સંબંધમાં જ્યોતિપાલ નામના એક કાશીના બ્રાહ્મણ છોકરાની વાતનો અત્રે ઉલ્લેખ કરવા ઘટે છે. પિતાની કેળવણી સમાપ્ત કર્યા પછી તે ઘેર પાછો જતો હતો ત્યારે એને એના ગુરુએ પિતાની તલવાર, એક ધનુષ્ય બાણ, એક બખ્તર તથા એક હીરે ભેટ આપીને કહ્યું- 'તું ૫૦૦ વિદ્યાર્થીઓને ગુરુ તરીકેનું મારું સ્થાન લે. હવે હું ઘરડો થયો છું અને નિવૃત્ત થવા ઇચ્છું છું. (૫. ૧૨૭)” એ સમયમાં જેટલા વિદ્યાર્થીઓ પવિત્ર વેદત્રયીને અભ્યાસ પસંદ કરતા લગભગ તેટલા જ વિદ્યાથીઓ ધનુર્વેદ પણ લેતા. એ પણ સ્પષ્ટ છે કે સિપ્પાઓની વા હુન્નર-વિજ્ઞાનની કેળવણી માટે પણ સામાન્ય કેળવણી વા ધાર્મિક કેળવણીના જેટલા જ વિદ્યાર્થીઓ મળતા. તક્ષશિલાથી બીજે નંબરે વિદ્યાના મથક તરીકે કાશી હતું. પરંતુ મેટે ભાગે એ તક્ષશિલામાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓએ ઊભું કરેલું સ્થાનક હતું. જે જે વિષયો તક્ષશિલા સિવાય બીજે ક્યાંય શીખવાતા નહિ એ વિષયો પણ ધીરે ધીરે કાશીની પાઠશાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. તક્ષશિલામાં તૈયાર થઈ આવેલાઓએ ત્યાં મંત્રવિદ્યા અને જાદુવિદ્યાની પાઠશાળાઓ કાઢી હતી એમ આપણને માહિતી મળે છે. સાધારણ વિષયો શીખવવા માટે અલબત્ત ત્યાં કયારની ય ઘણી શાળાઓ હતી૨૮. કાશીમાં કાશીના પિતાના પણ સમર્થ વિદ્વાનો હતા, ત્યાંના પાંચસો વિદ્યાર્થીઓના જગવિખ્યાત” ગુરુઓ વિષે કેટલાક ઉલ્લેખ મળે છે. એક ૮૦ કરોડના આસામી ૨૮ [ નં. ૧૩૦, ૧૮૫; ૨. ૯૯; ૧. ૪૬૪ ] For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy