________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
તક્ષશિલાની શિક્ષણ પ્રણાલી
[
1 ]
કયાંથી આવે છે ? ” ગુરુએ પૂછ્યું. કાશીથી.” તમે આને દીકરા થાઓ * ‘હું કાશીના રાજાનો દીકરો છું.'
અહીં કેમ આવવું થયું ?” વિદ્યાભ્યાસ માટે.” યુવાને જવાબ આપો. ઠીક, ગુરુદક્ષિણું લાવ્યા છે કે ગુરુસેવા કરી વિદ્યાધ્યયન કરવા ઈચ્છા છે?”
હું દક્ષિણ લેતો આવ્યો છું;” એમ કહીને એણે ગુરુનાં ચરણો સમીપ પિતાની ૧૦૦૦ સિક્કાની કથળી રજુ કરી દીધી.
સ્થાનિક વિદ્યાથીઓ દિવસે ગુરસેવા કરતા અને રાત્રે ગુરુ પાસે અભ્યાસ કરતા, પરંતુ જે વિદ્યાર્થીઓ દક્ષિણ લાવતા એ ગુરના ઘરમાં એમને વેષ્ટ પુત્ર તરીકે રહી અધ્યયન કરતા. આ ગુરુ પણ બીજાઓની પેઠે શુભ દિવસે શુભ મુદતમાં આ કંવરને ભણાવતા. આમ આ શું કુંવરનું ભણતર શરૂ થયું.
આ વાત પરથી એ કાળની શિક્ષણ પદ્ધતિની સર્વ મુખ્ય રૂપરેખાઓ આપણને વહેવાર પૂરતી જ જાય છે. હવે અમે એની સમજ પડીશું અને બી જ કમાંથી જે વિશેષ માહિતી મળે એ ટાંકીશું.
વિદ્યાલય તક્ષશિલા વિદ્યાનું સૌથી વધારે સુપ્રસિદ્ધ મથક હતું. ભારતના જુદા જુદા અને દૂર દૂરના ભાગના વિદ્યાથીઓ ત્યાં ભણવા આવતા. દૂર આવેલા કાશીશી, રાજગ્રહ ૨થી, મિથિલા થી, ઉજ્જૈનથી, મધ્યપ્રાંતમાં આવેલા કાલથી, અને ઉત્તર પ્રદેશમાં આવેલા શિવિ અને કુરાજ્યોમાંથી, વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં ત્યાં કેવી રીતે આવતાં એ વિષેના જાતકોમાં સંખ્યાબંધ ઉલ્લેખ છે.
તશિલાની, વિદ્યાના મથક તરીકેની ખ્યાતિ, અલબત્ત, ત્યાંના અધ્યાપકોની ખ્યાતિને લીધે હતી. તેઓ પોતપોતાના વિષયમાં આધારરૂપ સમર્થ વિદ્વાનો હેવાથી હંમેશાં એમને “જગવિખ્યાત” કહેવામાં આવે છે. ભારતવર્ષના ભિન્ન ભિન્ન દૂર દૂરના ભાગોમાંથી સારા સારા વિદ્યાર્થીઓ અધ્યયન માટે તક્ષશિલા જતા અને તક્ષશિલા એ જમાનામાં
૧ [* ૨૭૨, ૨૮૫, ૪૦૯; ૨. ૮૫, ૮૭, ૪. ૫૦, ૨૨૪, ૫. ૨૬૩, ૧ર૬]. ૨ [૩. ૨૯૮, ૫. ૧૭૭, ૨૪૭.. 3 [૪. ૧૧, ૬, ૩૪૭.] ૪ [૪. ૩૯૨.]. ૫ [૩ ૧૧૫.] ૬ [૬. ૨૧૦, ૬. ૪૫૭, ૩. ૩૯૯, ૧. ૩૫૬]
છે. આવા એક ગુરુ વિશે આપણે એમ વાચીએ છીએ કે “બ્રાહ્મણ અને ક્ષત્રીય વર્ણના યુવાને સમસ્ત ભારતમાંથી એની પાસે વિદ્યા લેવા આવતા [ 3, ૧૫૮ ]'
* અહીં તેમજ આગળ જયાં જ્યાં પાદનોમાં આવા આંકડા આવ્યા છે ને, તે તે નંબરના જાતકમાં તે તે હકીકતનો ઉલેખ હોવાનું સૂચવે છે.
For Private And Personal Use Only