SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ' ' , श्री सिद्धचक्रनी सात्त्विकी आराधना લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજ્યજી પરિણામી અને અપરિણામી—પદાર્થો બે પ્રકારના છે. પરિણામ અને અપરિણમી. પરિણામો એટલે વિવિધ ફેરફારને પામનારા, સંગોને આધારે જેમાં પરિવર્તન થાય છે એવા. અપરિણામી એટલે પરિવર્તનને નહીં પામનારા, સંગોની જેના ઉપર કશી પણ અસર નથી એવા. પાણું, સ્ફટિક, આત્મા વગેરે પદાથી પરિણામ છે. આકાશ આદિ અપરિણામી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ–પરિણામી પદાર્થોમાં પરિણામનું જે પરિવર્તન થાય છે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ને ભાવે પ્રધાને ભાવ ભજવે છે. પાણીમાં સુગંધી ને શુભ દ્રવ્યનું મિશ્રણ કરવામાં આવે છે તે તરત સુગધી ને સારું બને છે. સ્ફટિકની પાછળ જેવા રંગનું દ્રવ્ય મૂકામાં આવે તે રંગને તે તરત ગ્રહણ કરે છે. સારા ક્ષેત્રમાંથી પસાર થતું પાણી સારા ગુણવાળું અને મલિન ક્ષેત્રમાં રહેલું પાણી દોષવાળું હોય છે. સ્વાતિ નક્ષત્રમાં પડેલું પાણી મતિ ઉત્પન્ન કરે છે, ને અશ્લેષા નક્ષત્રનું પાણી વાત ઉત્પન્ન કરે છે. તેમાં કોઈ હેતુ હોય તો તે કાળ જ છે. ને ભાવનાને બળે પાણું પણ અમૃતરૂપ થઈ જાય છે. માટે જ કહ્યું છે કે : નવકૃતમાનુરિસ્થમાનં, જિં નામ નો વિવિઘારમurf? પાણી પણ અમૃત-અમૃત-એમ વિચારવામાં આવે તે શું ઝેરના દોષોને દૂર નથી કરતું.” એ જ પ્રમાણે માલન ભાવે પાણી દૂષિત થઈ જાય છે. આમા ઉપર પણ કવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ ની પ્રબલ અસર છે. સારા દ્રવ્યને યોગે આત્મ ઉન્નત અને અશુભ દ્રવ્યના સંગે અવત થાય છે. સારા અને નરસા ક્ષેત્રના પ્રભાવે આત્મા શુભ ચિન્તનવાળો ને અશુભ ચિન્તનવાળા બને છે. સિદ્ધાચલ. હિમાલય વગેરે પવિત્ર ભૂમિમાં આત્મા સવિચાર કરે છે, ને કુરુક્ષેત્ર, દડકારણ્ય, પાણિપતનું મેદાન વગેરે ક્ષેત્રમાં મલિન વિચાર કરે છે. શ્રવણ કુમારની કથા ક્ષેત્રના પ્રભાવને સારી રીતે વ્યક્ત કરે છે : માત પિતાને પૂર્ણ ભક્ત શ્રવણ કુમાર, અશક્ત માત-પિતાને કાવડ કરી પોતાના ખભે ઉપાડી સર્વ તીર્થોની યાત્રા કરાવે છે. દંડકારણ્યમાં પ્રવેશતાં જ શ્રવણે કાવડ નીચે મૂકી માતા-પિતાને કહ્યું: ‘હું કંઈ તમારા નોકર નથી કે તમને આમ ઉપાડી મારો ખભે તોડું. માટે આજ સુધી તમારે જે ભાર વહન કર્યો છે તેના પસા ચુકાવી આપે તો જ આગળ ચાલું.’ અનુભવી માતપિતાએ વિચાર્યું કે ભક્તિવાળા પત્રમાં બાવું જે વિચાર-પરિવર્તન જણાય છે તેમાં આ ક્ષેત્ર જ પ્રબલ કારણ છે. તેમણે પુત્રને કહ્યું: “ ભાઇ, આ અરણ્યમાં અમે પૈસા કયાંથી લાવીએ, અરણ્યની પાર ઉતાર એટલે પૈસા ચૂકવી આપીશું.' અરણ્યમાંથી પસાર થયા બાદ શ્રવણને પિતાના વિચાર અને વચન માટે ખૂબ પાશ્ચાત્તાપ થયો ને વારંવાર માતપિતાની માફી માંગવા લાગ્યા. ઘણી વખત કજિઓ ફાસ વગેરે પ્રસંગે કહેવાય છે કે આ ને પડી છે. ૨૫ ઘ ડયુ તત્વ છે For Private And Personal Use Only
SR No.521583
Book TitleJain_Satyaprakash 1942 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy