________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] બી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ શ્રી. વર્ધમાન રામજી હંસાણનું પુસ્તકાલય વર્ધમાન રામજીના આ ખાનગી પુસ્તકાલયમાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, આદિ ભિન્ન ભિન્ન ભાષાના સાહિત્યના વિશિષ્ટ ગ્રંથ છે. વળી મુકિત
શેની સચિત્ર નો છે, તેમ હસ્તલિખિત ગ્રંથની પણ અમુક પ્રતિઓ સચિત્ર છે. થોડા દહાડા ઉપર “શૃંગારતિલક' ની સચિત્ર હસ્તલિખિત નકલ એક અમેરિકને રૂપિયા સોળ હજારમાં ખરીદેલી, તેવું જ સચિત્ર “શૃંગારતિલક' આ સંગ્રહાલયમાં જોવામાં આવે છે.
આ ખાનગી પુસ્તકાલયમાં બીજા સાહિત્ય સાથે જૈન સાહિત્ય પણ ખૂબ ચીવટ અને હેશથી સંગ્રહ કરવામાં આવ્યું છે. તેમાં પણ અંચલ ગચ્છની કૃતિઓ વિશેષ છે. મેરૂતુંગ–સ્થવિરાવલી આદિ ઐતિહાસિક ગ્રંથ છે. કચ્છી સાહિત્ય ખીચોખીચ ભરેલું છે. કચછ નૃપતિઓએ જેનાચાર્યો અને યતિઓ પ્રત્યે જે ભાવ બતાવ્યો છે તે ખરેખર ચમત્કારને નમસ્કારરૂપ છે. સત્તરમા શતકમાં થએલા કચ્છના રાવ શ્રી ભોજરાજજી કે જે વિવાવિલાસી હતા, તેના નામથી જૈનાચાર્યો વ્યાકરણ ગ્રંથ બનાવ્યું છે, તેની હસ્તલિખિત નલ આ સંગ્રહમાં મેજુદ છે, કે જે “જ્યવ્યાકરણ” ના નામથી સુપ્રસિદ્ધ છે. તેના જે વ્યાકરણ વિષયક કાવ્યબહ ગ્રંથ વિરલ હશે.
શ્રી વર્ધમાન હંસાણીના આ ખાનગી પુસ્તકાલયમાં જેમ સૂત્ર સિદ્ધાંતના ગ્રંથ છે, તેમ કર્મ, તત્વજ્ઞાન આદિ દ્રવ્યાનુયેગના ગ્રંથને પણ સારો સંગ્રહ છે. કાચિંસિકાઓ, તીર્થંકરાદિનાં ચરિત્ર, વ્યાકરણ, ન્યાય આદિના ગ્રંથની પણ સારી સંખ્યા છે. જેના મેઘદૂતની કૃતિઓ, જેન નાટકે, જેન પાદપૂતિઓ, અનેક ચમત્કારિક અને યમકાદિ વિચિત્ર અંશે ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. મહાકાવ્યો તથા ગદ્ય-પદ્યાત્મક ગ્રંથની પણ સારી સંખ્યા છે. જેમ સમયસુંદરની “અષ્ટલક્ષી' વિદ્વાનેનું ધ્યાન ખેંચે છે તેમ “નમે અરિહંતાણું” ના ૧૧૦ અર્થને વિશિષ્ટ ગ્રંથ કે જે અલભ્ય છે તે અહીં છે. તે સિવાય યંત્ર, ત્રાદિ નિમિત્ત, તિષ આદિ ભવિષ્ય બતાવનારા ગ્રથો પણ છે. વળી જૈન સાહિત્યના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથની જેમ ગુજરાતી રાસ રાસાઓ પણ સારી સંખ્યામાં છે. આપણું જેનેનાં વિવિધ ક્રિયાકાંડે, ઉપધાનાદિ અનેક તપોના ગ્રંથ, પૂજાઓ, સ્તવને ઐતિહાસિક નવલકથાઓ આદિ તેમજ માસિક, ત્રિમાસિકની ફાઈલો તથા દિવાળીના વિશેષ અને સારે જેવો સંગ્રહ છે.
જેમ ઉપર જૈન સાહિત્યનું વર્ણન કર્યું તેમ જૈનેતર પણ અનેક સંસ્કૃત મહાકાવ્ય આદિ ગદ્ય-પદ્યાત્મક ગ્રંથે હેવા ઉપરાંત કલા, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, કાયદા કાનુન, નીતીશાસ્ત્ર, ભૂગોળ, ખગોળ, પ્રવાસ આદિના ગ્રંથ તે ખાસ જોવા જેવા છે. કારણ કે વર્ધમાન રામજીને જેમ સાહિત્યને શેખ છે તેમ પ્રવાસને પણ ઘણો શોખ છે. હિંદુસ્તાન કોઈ ખૂણે એ નહીં હોય કે જ્યાં વર્ધમાન રામજી ન ગયા હે; કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કરાંચી વચ્ચે હિંદુસ્તાનનાં દરેક મોટાં શહેરોમાં તેઓ ફર્યા છે. જેથી પ્રવાસના ગ્રંથને મેટે સંગ્રહ હોય એમાં નવાઈ નથી. વળી રાજકીય, બાપા તથા વેક વિદ્યાના ગ્રંથોને સંગ્રહ પણ સારામાં સારે છે,
For Private And Personal Use Only