SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] એક ઉપયોગી પ્રશસ્તિ [ પ૩૭] તેમની પાટરૂપ આકાશમાં સૂર્ય સમાન, હસ્પતિ જેવા, બુદ્ધિના વિકાસથી શ્રેષ્ઠ, તેજથી દેદીપ્યમાન, (વિદ્યારૂપ) લક્ષ્મીવાળા શ્રી ઉદયવલ્લભ૩ ગુરુ શોભે છે. વળી સિદ્ધાંતકથિત વિચારોનો સાર (કહેવા)માં ચતુર, સારા ચારિત્રરૂપ શોભા ધારણ કરનાર, અદ્દભુત ગુણસમૂહની ખાણ અને સુખ દેનાર શ્રી જ્ઞાનસાગરસૂરિક હતા. ર૯ દર ચારિત્ર વડે યુક્ત શ્રી ચારિત્રસુંદરસુરિ અને ક્ષમારૂપ સમુદ્ર જેવા થી ઉદય સાગરસુરિ૧૬ પૃથ્વીમાં શોભે છે. ૩૦ કાનને સુખરૂપ તે ગુરુઓનાં શ્રેષ્ઠ વચન સાંભળીને શાહુકારામાં શ્રેષ્ઠ, બહુ ધનવાળા (ધર્મિણીના) ભાઈ શ્રી રાઘવે ધર્મિણીના કલ્યાણ અર્થે પિતાના દ્રવ્યથી સં. ૧૫૨૪ના માઘ માસમાં સુવર્ણ અક્ષરવાળું શ્રી કલ્પસત્ર હર્ષ પૂર્વક લખાવ્યું. ૩૧ સ્તંભન પાર્શ્વનાથથી પવિત્ર થયેલા આ (ખંભાત) નગરમાં સમા નામના લહિયાએ (આ પ્રત) લખી અને પ્રશસ્ત ચિત્તવાળા શ્રી ઉદયધર્મે ૧૭ ૧૩ શ્રી ઉદયવલ્લભસૂરિ શ્રી રત્નસૂરિના શિષ્ય હતા. તેમના શિલાલેખો સં. ૧પ૧૪-૧૦-૨૧ ના મળે છે. ૧૪ શ્રી જ્ઞાનસાગરસૂરિ શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય હતા, અને ઉદયવલ્લભની પાસે આવ્યા હતા. સં. ૧૫૧૭માં શાણરાજે શત્રુંજય તથા ગિરનારની યાત્રા ૨૪ દેવાલયો સહિત કરી હતી અને તે જ વર્ષમાં સંઘવીના આગ્રહથી તેમણે વિમનાથ-ત્ર રચી પૂર્ણ કર્યું. જુઓ તે ચરિત્રની અંતિમ પ્રશસ્તિ. તેમના પ્રતિeોલેખો સં૦ ૧૫૦૦ થી ૧૫૫૧ સુધીના મળે છે. શ્રી જ્ઞાનસાગરસૂરિના લખિયા લેક પુનમિયાથી સં. ૧૫૦૮માં લંકામત નીકળ્યો. જુએ તરછમળવંશવૃત પૃ૦ ૩૯ની પાદ નોંધ નં. ૧૩. તેમના પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૦૦ થી ૧૫૫૧ સુધીના મળે છે. ૧૫ શ્રી ચારિત્રસુંદરસૂરિ શ્રીરત્નસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૪૮૪ (૭)માં શબૂત નામનું ૧૩૧ લોકોનું ખંડકાવ્ય મેઘદૂતની પાદપૂર્તિરૂપે બનાવ્યું. વળી તેમણે કુમારપારિત્રમાર્ગે દશસર્ગાત્મક શ્રી શુભચંદ્રગણિની અભ્યર્થનાથી ૨૦૩૨ મલેક વાળું બનાવ્યું. (પ્ર. આ૦ સભા ન૦ ૫૭) આમાં તેમણે પિતાના વિદ્યાગુરુ તરીકે શ્રી જયમૂર્તિ પાઠકને જણાવ્યા છે. આ ઉપરાંત તેમણે મારો દેશ, મદીવારિત્ર આદિ ગ્ર બનાવ્યા. ૧૬ શ્રી ઉદયસાગર શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય હતા. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૫૩થી સં. ૧૫૭૩ સુધીના મળે છે. ૧૭ ઉદયધર્મ શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે વાયકારા નામનું ઔકિતક સં. ૧૫૦૭માં બનાવ્યું અને સંમત્રિાસ્તોત્ર પણ રચ્યું છે. સુવર્ણમય કલ્પસૂત્રની આ પ્રશસ્તિ પણ તેમણે જ રચી છે. For Private And Personal Use Only
SR No.521581
Book TitleJain_Satyaprakash 1942 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy