________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
જૈનધર્મ વીરેના પરાક્રમ
[૪૯]
સં. ૧૩૮૭માં પ્રાકૃત ભાષામાં રચેલ “સપ્તતિશતસ્થાનપ્રકરણ” નામના ગ્રંથને આધારે લખેલ હોઈ, આ સ્તવનના લેખકને સ્મૃતિફેર નથી, પરંતુ મતાંતર
છે, એમ સમજવું. આ કવિની પિતાની ભાષા અને તે સમયની ભાષા જેવા ને તેવા સ્વરૂપમાં સચવાઈ રહે તે માટે આ સ્તવનમાં અશુદ્ધ જણાતા શબ્દ, જેવાકે— પરિણામ (પ્રણામ), ગીતગ્યાન (ગીતગાન), વૃહિ (વહી), મૃત્યકા (મૃત્તિકા), ઉચિત (ઉચિત) વગેરે કેટલાક શબ્દ તેમજ હ્રસ્વ-દીર્ઘ કે સકાર–શકાર આદિ ચાલુ ભાષાને હિસાબે જણાતી ભૂલ સુધારેલ નથી. તે વાચકેએ ધ્યાનમાં રાખવું. (મુનિ જયંતવિજય)
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખકઃ-શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી
(ગતાંકથી ચાલુ)
બછાવતોની ચડતી-પડતી બીકાનેરને એ “જૈન ઉપાશ્રય” જોતાં ચક્ષુ સમીપ બરછાવત (Bachchhavats) વંશને ઉદય-અસ્ત તરવરે છે. રાંગરી--કા-ચેક (Rangri-ka-chowk) નામાં લતામાં આવેલ આ પ્રાચીન સ્થાને એક સમયે બચ્છાવત અટકથી ઓળખાતા પ્રખ્યાત જેન વંશનું વસતીસ્થાન હતું. ઉમરાવસિંગ ટાંક B. A. LL. B. Pleader લખે છે કે
My good guide related to me a pathetic story of the rise and fall of the bachchhavats as we went round the place. A feeling of awe and reverence came over me as he described the closing scene of the drama of the bachchhavats' activity which was enacted some three centuries ago on the very spot where we then found ourselves standing. It was a tragedy pure and simple. The Bachchhavats had doubtless a glorious rise and a still more glorious fall and every son of the Jaina mother may justly be proud of it.'
ટાંક મહાશયના ઉપરોક્ત ઈગ્લીશ ફકરાનો ભાવ એ છે કે જે ઉપાશ્રયવાળી જગ્યાએ અમે ઊભા હતા એનાં સબંધમાં અમારા મિયાએ બંછાવતવંશની ત્રણ સૈકા પૂર્વે થયેલી કીર્તિવંત ચડતી અને એ કરતાં વધુ કીર્તિભરી પડતીને જે ઇતિહાસ કહી સંભળાવ્યું તે એક કરુણ કથારૂપ હોવા છતાં આજે પણ એ માટે જેનધર્મી માતાની કુખે જન્મેલ દરેક પુત્ર મગરૂર થઈ શકે.
For Private And Personal Use Only