________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક } ]
શ્રી માંડવગઢની મહેત્તા
[ ૩૫૫ ]
વિદ્વાન અને ગ્રન્થકાર પણ હતા. તેમણે રચેલ ગ્રન્થા હાલ મળે છે, તેઓએ દરેક ગ્રન્થનું નામ પેાતાની પણ સ્મૃતિ રહે તે પ્રમાણે મંડન (ભૂષણ) અન્તવાળુ રાખ્યું છે, તેમના રચેલ ગ્રન્થ આ પ્રમાણે છે. ૧-સારસ્વતમડન ( વ્યાકરણતા ગ્રન્થ છે ). ૨-કાવ્ય મડન. ૩–ચમ્પૂમડન ( આ બન્ને વ્યાકરણના વ્યુત્પાદક સાહિત્યના પ્રત્યેા છે). ૪-કાદમ્બરી મંડન (૪ પરિચ્છેદમાં અનુષ્ટુપ કબદ્ધ છે). પ-ચન્દ્રવિજય (૧૪૧ લલિત પદ્યો છે). ૬-અલ’કારમાન (પાંચ પરિચ્છેદમાં છે). છ શૃંગારમંડન (આમાં શ્રૃંગાર રસના પરચૂરણુ શ્લોકા છે.) ૮ સ'ગીતમ`ડન. ઉપસ་મંડન. આ સિવાય કવિકલ્પદ્રુમસ્કન્ધ અને પ્રાસાદમંડન પણ તેમના રચિત હોવાનું કહેવાય છે. પાટણના વાડીપાર્શ્વનાયના ભંડારમાં ઉપરના ગ્રન્થાની સ. ૧૫૦૪માં કાયસ્થ વિનાયકદાસના હાથની તાડપત્રીય પ્રતા છે. ર થી ૩ સુધીના ગ્રન્થા હેમચંદ્ર ગ્રન્થમાળા તરફથી મુદ્રિત થયા છે. પાતાના પુત્રાદિ પરિવારસહિત મને સર્વ સિદ્ધાન્તાની પ્રતા લખાવી હતી. તેમાંની શ્રી ભગવતીજી સૂત્ર (મૂળ)ની એક પ્રત પાણુના સાગરગચ્છના ઉપાશ્રયમાં મળે છે. તેમાં અન્તે જે જણાવ્યું છે તેના ભાવ આ પ્રમાણે છેઃ ‘સ, ૧૫૦૩ વૈશાખ શુદ એકમ ને રવિવારે ખ’ભાતમાં શ્રી શ્રીમાલ જ્ઞાતીય માંડણે પોતાના શ્રેય માટે ખરતરગચ્છમાં શ્રી જિનરાજસૂરિના પટ્ટધર શ્રી જિનભદ્રસરિજીના ઉપદેશથી શ્રી ભગવતીજીસૂત્રની પ્રત લખાવી'. મંડનની પેઠે તેના પિતાના કાકાના પુત્ર ધનદ પણુ એક વિદ્વાન અને સમ` કવિ હતા. તેમણે ભતૃહ નાં ત્રણ શતકની માફક ‘રા’ગારધનદ ’‘ નીતિધનદ ' અને ‘વૈરાગ્યધનદ ’ એમ સા સા ક્ષ્ાકપ્રમાણુ ધનત્રિશતી માંડવમાં સ. ૧૪૯૦માં વૈશાખ શુદ્ધિ દશમે રચેલ છે. તે ‘ત્રયેાદશગુચ્છક ’માં છપાયેલ છે. મડન અને ધનદ બન્ને ખરતરગચ્છીય હતા.
સંગ્રામસિહુ સાની-આ અરસામાં ઓસવાળ સંગ્રામસિંહ સેાની ખજાનચીના અધિકારી પર હતા. તેમના પિતા અને કાકાએ પણ સારા અધિકારો ભોગવ્યા હતા. કહેવાય છે કે વીસિંહના પુત્ર નરદેવ અને ધનદેવે, ચન્દ્રપુરીમાં જઇ ઘણા લકાને ધન આપીને સમજાવીને મુસલમાન થતા બચાવ્યા હતા. તેમાં નરદેવપુત્ર સગ્રામસિંહજી થયા. સગ્રાસિંહૈં સાનીએ માંડવમાં ઉદયવલ્લભસૂરિજીને [કાઇ કહે છે. જ્ઞાનસાગરસૂરિને ] ૭૨ લાખ દ્રવ્યને વ્યય કરી મહેસ્રવપૂર્વક પ્રવેશ કરાવ્યા. અને તેઓશ્રીના શ્રીમુખે શ્રી ભગવતીજી સૂત્રનું વિધિપૂર્વક શ્રવણુ કર્યું. તેમાં નોયમાં પોયમા’પદ દીઠ પાતે એક-એક સુવણુ' મહારથી, તેમની પત્ની [ અર્ધાંગના]એ અધી અધી સાના મહેારથી અને તેમના પુત્રે પા પા સેાના મહારથી પૂજા કરી અને એ પ્રમાણે ૩૬+૧૮+૯ એમ ૬૩ હાર મહેારા એકઠી થઈ તેમાં બીજી એક લાખ તે પીસ્તાલીશ હજાર મહેારા મેળવી કુલ એ લાખ તે આઠ હાર સુવણ મહેરના વ્યય કરી જુદા જુદા જ્ઞાનભંડાર સ્થાપ્યા. અને સુવર્ણાક્ષરે આગમ લખાવ્યા. આજ પણ તેઓએ લખાવેલ સુવર્ણાક્ષરાની બારસા [ કલ્પસૂત્ર મૂળ ] વગેરેની પ્રતા મળે છે.
સગ્રામસિંહઞાનીનુ વિશુદ્ધ બ્રહ્મચર્ય :—તેમના બ્રહ્મચર્યંના પ્રભાવની એક વાત એવી છે કે માંડવગઢમાં બાદશાહના એક બગીચામાં ઘણા આમ્બાનાં વૃક્ષેા હતાં. તેમાં એક વૃક્ષને ફળ-ફૂલ કદ આવતું ન હતું, તે વાંઝિયું હતું. ખાદશાહે માળીને કહ્યું કે ‘આ વૃક્ષને
For Private And Personal Use Only