SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ શાતા વેદનીયરૂપે સંક્રમ થવાથી અશાતાની સત્તાને નાશ થયે। અને શાતાવેદનીયની સત્તાને ઉદ્દ્ભવ થયેા. એટલે એ પ્રમાણે સંક્રમવડે પણ સત્તા થાય છે. તે જ પ્રમાણે સત્તાને વિનાશ પણ છે રીતિએ છે—એક તેા ઉદયથી (અર્થાત્ ઉદય સમયાનન્તર થતી નિ`રાથી ). ભલે પછી તે ઉદય પ્રદેશાય હાય કે વિપાકાય હોય પરંતુ જે કર્મ ઉદયમાં આવ્યું તે કર્મ આત્મપ્રદેશથી ઉદય સમય પછી અનન્તર સમયમાં છૂટું પડેલું જ હાય છે. એટલે કે–જ્યાં સુધી કર્મના ઉદય ન થાય ત્યાં સુધી તે કર્મ સત્તામાં ગણાય. ઉદય થયા એટલે સત્તામાંથી ખસ્યું સમજવું. ખીજો પ્રકાર સંક્રમને છે જે ઉપર જણાવવામાં આવેલ છે. આ પ્રમાણે બંધ અને સંક્રમ વડે જેણે કર્મપણું પ્રાપ્ત કર્યું છે, અને હજુ જેમાં ઉદય અને સંક્રમ વડે ખસવાપણું થયું નથી તેવી અવસ્થાવાળા જે કર્મના અણુએ તે સત્તાગત કર્માંણુ કહેવાય છે. કર્મપ્રકૃતિગત આ સત્તાપ્રકરણમાં ક્ષપકશ્રેણિનું સ્વરૂપ ઘણું જ વિસ્તારથી આપવામાં આવેલ છે. ઉપસ’હાર આ પ્રમાણે-બંન્ધન સંક્રમાદિ કર્મપ્રકૃતિ મહાગ્રન્થવત્તિ દશેય દ્વારના અત્યંત સંક્ષિપ્ત ભાવ અહીં આપેલ છે. એ ભાવ મનન પૂર્વક વંચાય અને વિચારાય તે મૌલિક ગ્રન્થ તરફ મુમુક્ષુ આત્માની જિજ્ઞાસા જાગે. અને એ જિજ્ઞાસા પર’પરાએ એ મુમુક્ષુને શિવસામ્રાજ્ય અર્પણ કરાવે એ ઉદ્દેશથી જ એક કર્મવિષયક મહાન્ ગ્રન્થના વિષયાનું નવનીત રૂપે તારણ કરવું અહીં સમુચિત ધાર્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir [વિષયનું ગહનપણું અને મારી અલ્પબુદ્ધિને અંગે કાંઈ પણ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હાય તે। મિથ્યાદુષ્કૃત છે. ] ઉત્તર પાંચાલની પુરાતન રાજધાની અહિચ્છત્રા નગરી સં.-શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. गणप्रपदे दर्शार्णकूटवर्तिनि तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने... .આવશ્યક નિયુ`ક્તિ. ભૌગાલિક પરિચય-ઉત્તરમાં નૈનિતાલ, પૂર્વમાં પીલીભિત, દક્ષિણ-પૂર્વમાં શાહજહાનપુર, દક્ષિણુ–પશ્ચિમમાં બદાઉં અને પશ્ચિમમાં રામપુર રાજ્ય આવેલ છે. આ પુરાતન નગર વમાનના બરેલી જિલ્લામાં આવેલ રામનગર નામના શહેરથી દક્ષિણ દિશામાં ચાર માઇલના ઘેરાવામાં આવેલ હતું, તેવું પુરાતત્ત્વ ખાતા તરફથી સાખીત થએલ છે. અહિ ત્રાને કેટલાંક સાહિત્યામાં અહિક્ષેત્ર નામથી ઓળખાવેલ છે. પ્રખ્યાત ખગેાળવેત્તા ટાલેમી છું. સ. બીજી શતાબ્દિના પૂર્વાર્ધમાં ભારતના પ્રવાસે આવેલ. તે સમયે આ સ્થાનને “ ડીસડર Adisadra, (સંસ્કૃત નામ અહિચ્છત્રા ) પ્રાચીન સમયનું ખતાવેલ છે, તેના For Private And Personal Use Only
SR No.521575
Book TitleJain_Satyaprakash 1942 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy