SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] મહાયાકરણ [૮૫] પ્રથમ અધ્યાય-૨૪૧ ( ચોથો અધ્યાય-૪૮૧ | સાતમો અધ્યાય-૬૭૩ બીજો અધ્યાય-૪૬૦ | પાંચમે અધ્યાય-૪૯૮ | આઠમો અધ્યાય-૧૧૧૯ ત્રીજો અધ્યાય-પર૧ | છો અધ્યાય-૬૯૨ આ બધામાં છઠ્ઠો, સાતમે અને આઠમે અધ્યાય બહુ વિસ્તૃત છે. પાંચ અધ્યાયમાં જેટલી સૂત્રસંખ્યા છે તેથીયે અધિક બાકીના ત્રણ અધ્યાયમાં છે. કેમકે તેમાં ક્રમશ: ન્ત, તદ્ધિત અને પ્રાત છ ભાષાઓનાં વ્યાકરણનાં મોટાં પ્રકરણે આવેલાં છે. પ્રત્યેક વૈયાકરણને આ પ્રકરણનો વિસ્તાર કરે પડે છે કેમકે તેમાં ઘણા વિષયો પર વિસ્તૃત વક્તવ્ય હોય છે. એકલા હેમચંદ્રાચાર્યે જ વ્યાકરણનાં પાંચ અંગો રચ્યાં અને તે પર વાર્તિકની પણ જરૂર ન પડે તેવી કુશળતાથી રચના કરી એ જ આ વ્યાકરણનું મહત્ત્વ છે. વળી આ પાંચે અંગો ઉપર વિસ્તૃત દેમપ્રચાર પણ પિતે જ રો એ ખરેખર તેમની અદ્દભુત ગ્રહણ અને સંગ્રહ શક્તિને આપણને ખ્યાલ આપે છે. હેમચંદ્રાચાર્યું ન કેવળ સંસ્કૃત ભાષાનું જ એકલું વ્યાકરણ બનાવ્યું પણ આઠમાં અધ્યાયમાં ૨ પ્રાકૃત, ૨ રસેન, રૂ માધી, ઉરા, ૧ મૂઢિા -પૈરાત્રી અને ૨ અપભ્રંશ—એમ ધ્યે શિષ્ટ સાહિત્યમાં પ્રસિદ્ધ ભાષાઓનું વ્યાકરણ રચ્યું. ગૂજરાતી ભાષાની માતા સમી સપભ્રંશ ભાષાનું વિશદ વ્યાકરણ સૌથી પ્રથમ હેમચંદ્ર આપી અપભ્રંશના આદિ વૈયાકરણ તરીકેની ખ્યાતિ મેળવી. જેમ પાણિનિએ લૌકિક વ્યાકરણ પછી વૈદિક સાહિત્યના જ્ઞાન માટે અંતમાં વૈવિ રચી તેમ હેમચંદ્રાચાર્યે આઠમા અધ્યાયમાં અમારી ભાષામાં રચાયેલા જૈન ગામ ગ્રંથના જ્ઞાન માટે ટૂંકમાં પ્રયોગાનુકૂળ વાર્ષમાપનું દિગદર્શન પણ કરાવ્યું. આ અષ્ટાધ્યાયી વ્યાકરણના બત્રીશ પાદમાં પ્રત્યેક પાની અંતે એક એક લોક-એમ બત્રીશ અને ત્રણ અનુપૂર્તિને મળી પાંત્રીશ કાના સુંદર લાક્ષણિક અને ઐતિહાસિક કાવ્યમાં ચૌલુકયવંશીય સાત રાજાઓની પ્રશસ્તિ આપી છે, જે કે એક રીતે પિતાના સંસ્કૃત, દ્રથાશ્રય-માથના નિષ્કર્ષ સ્વરૂપના લાગે છે. તે સાત રાજાઓનો રાયકાળ આ પ્રમાણે છે-૧ મૂળરાજ ઇ. સ. ૯૬૦ થી ૯૫ ( વિ. સં. ૧૦૧૭ થી ૧૦૫૨), ૨ ચામુંડરાજ (નં. ૧ નો પુત્ર) ઈ. સ. ૯૫ થી ૧૦૦૬, ૩ વલ્લભરાજ (નં. ૨ ને પુત્ર) છ માસ, ૪ દુર્લભરાજ (નં. ૩ નો ભાઈ) ૧૦૦૯ થી ૧૦૨૧, ૫ ભીમદેવ (નં. ૪ ને ભત્રીજે) ઈ. સ. ૧૦૨૧ થી ૧૦૬૩, ૬ કર્ણદેવ (નં. ૫ ને પુત્ર) ઈ. સ. ૧૦૬૩ થી ૧૦૯૩, ૭ સિદ્ધરાજ જયસિંહ (નં. ૬ ને પુત્ર) ઈ. સ. ૧૦૯૩ થી ૧૧૪૨.૩૯ આનો ગૂજરાતી અનુવાદ પં. બહેચરદાસજીએ “પુરાતત્ત્વ” નૈમાસિકમાં આપેલ છે. ૪ બીજા વ્યાકરણ સાથે સિદ્ધહેમની તુલના વ્યાકરણમાં ગુરુપણું દોષરૂપ મનાયું છે. અને તેથી જ માત્રાઢા પુત્રોત્સવીર મજ થાવર જેવી ઉક્તિ યથાર્થ થયેલી હેમચંદ્રના વ્યાકરણમાં પ્રતીત થાય છે. ૩૯ આ બધા સોલંકીવંશના રાજવીઓના ઈતિહાસ માટે જુઓ દુર્ગાશંકર શાસ્ત્રીત “ગુજરાતીના મધ્યકાલીન રાજપૂતોને ઇતિહાસ ભા. ૧-૨. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy