SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક | શ્રી અભયદેવસૂરિજી [૬૯] ૭-અનુત્તરોપપાતિક વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ–૨૯૨ લેક છે. સંયમના પ્રભાવે જેઓ અનુત્તર વિમાનમાં ગયા, તેમની બીના અહીં જણાવી છે. આનો વિસ્તાર દેશનાચિતામણિના ભાગ પહેલાના ૮૬મા પાને જણુવ્યો છે. આ સૂત્રની ઉપર શ્રી અભય. દેવસૂરિજીએ લગભગ ૧૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે. ૮ પ્રશ્નવ્યાકરણ વૃત્તિ-મૂલ સુત્રનું પ્રમાણ-૧૨૫૦ શ્લોક છે. તેમાં હાલ પાંચ આશ્રવ-સંવરની બીના મળે છે, બાકીને ભાગ વિષેદ પામ્યો છે. તેની ઉપર શ્રી અભયદેવસુરિજી મહારાજે ૪૬૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે. ૯ વિપાકસૂત્ર વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ-૧૨૫૦ શ્લેક છે. અહીં બે શ્રુતસ્કંધ (વિભાગ) છે, તેમાં સુખના અને દુઃખના વિપાકે જણાવ્યા છે. એટલે અહિંસા ધર્માદિને સાધીને કયા જીવો કેવા કેવા સુખને પામ્યા ? અને હિંસાદિના ફળરૂપે કયા જીવો કેવાં કેવાં દુઃખ ભેગવે છે, તે બીના જણાવી છે. દેશનાચિંતામણિના પહેલા ભાગને ૮૭મા પાને આ બીના જણાવી છે. આ સૂત્રની ઉપર અભયદેવસૂરિજી મહારાજે ૯૦૦ ઑપ્રમાણુ ટીકા બનાવી છે. ૧૦ પપાતિક વૃત્તિ અને ૧૧ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદની સંગ્રહણી ૧૩૩ ગાથામાં બનાવી છે. વિશેષ બીના આ નવ અંગોની ટીકાઓ બનાવવા ઉપરાંત સૂરિજીએ ૧૨ જિનેશ્વરસૂરિકૃત ષસ્થાનક ગ્રંથનું ભાષ્ય, ૧૩-શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાશકની ટીકા, ૧૪ આરાધના કુલક, ૧૫ જયતિહુ અણસ્તોત્ર વગેરેની રચના કરી છે. | નિવૃત્તિગછના શ્રી માનદેવસૂરિના શિષ્ય શીલાચાર્ય અથવા શીલાંકાચાર્ય મહારાજે વિ. સં. ૯૩૩ (શક સં. ૭૯૯)માં આચારાંગ સૂત્રની ટીકા બનાવી. અને વાહગિણિની મદદથી બીજા સૂત્રકૃતાંગની ટીકા બનાવી. આ રીતે તેમણે અગિયારે અંગેની ટીકા બનાવી હતી, તેમાંની નવ અંગેની ટીકા વિચ્છેદ પામી ગઈ. તેથી અભયદેવસૂરિએ નવી ટીકા બનાવી. અહીં જણાવેલા શીલાંકાચાર્યનું બીજું નામ કેટયાચાર્યું છે, એમ કેટલાએક ઐતિહાસિક ગ્રંથે જણાવે છે. અભયદેવસૂરિજીના શિષ્ય શ્રી પરમાનંદસૂરિએ હિતોપદેશમાલા પ્રકરણું બનાવ્યું છે. અને તેની ઉપર વૃત્તિ પણ પિતે બનાવી છે. નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ મહાજ્ઞાની અને નિર્મલ સંયમના ધારક હતા. તેમની જીવનરેખા બીજા ગ્રંથમાં વિસ્તારથી જણાવી છે. અહીં જણાવેલી ટૂંક જીવનરેખા અને તેમના બનાવેલા ગ્રંથની બીના યાદ રાખીને ભવ્ય જીવો તે મહાપરષના પંથે ચાલી આત્મકલ્યાણ કરે, એ જ હાર્દિક ભાવના ! ૧ શીલાંકાચા (1) પ્રાકૃતમાં ૫૪ મહાપુરુષોનાં જીવનચરિત્ર રચ્યાં છે તેનું પ્રમાણ ૧૦૦૦૦ શ્લોક છે, (૨) જીવસમાસવૃત્તિ (૩) જિનભદ્રગણિત વિશેષાવશ્યક ભાષ્યની ટીકા, વગેરે પ્રથા બનાવ્યા છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy