SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકારી [૧૬] [વ સાતમુ ૬ તક પંચાનન શ્રી અભયદેવસૂરિજી તેમના સત્તાસમય વિક્રમની ૧૧ મી શતાબ્દિ છે. તે એક સમ` ટીકાકાર હતા. તેમણે શ્રી સિદ્ધસેન દિવાકરછના ‘સન્મતિતક” ઉપર ૨૫ હજાર શ્લાક પ્રમાણુ વિસ્તૃત ટીકા રચી છે. તેમાં દશમી શતાબ્દિ સુધીના ચાલુ સર્વ વાદેની સુન્દર રીતિએ ગાઠવણુ કરી છે, તે ટીકાનું નામ વાદમહાર્ણવ' અથવા ‘તત્ત્વષાવિધાયિની' છે. તેમની વાદ લખવાની પહિત ઘણી જ મનેજ્ઞ છે. પ્રથમ ચાલુ સિદ્ધાન્તમાં બિલકુલ નહિ માનનાર પક્ષ પાસે ખાલાવે, પછી કંઇક સ્વીકાર કરનાર પાસે તેનું ખંડન કરાવે ને તેને મત પ્રદર્શિત કરાવે, પછી વધુ માનનાર પાસે, પછી ઘણું સ્વીકાર કરનાર પાસે ને છેવટ સ`માં દૂષણ બતાવવા પૂર્વક સ્વાભિમત સિદ્ધાન્તનું મંડન કરે. તે વાંચતા જાણે એમ લાગે કે આપણે સાક્ષાત્ એક વાદસભામાં જ હાઇએ અને પ્રત્યક્ષ વાદ સાંભળતા હાઇએ. : , દર્શનશાસ્ત્રમાં મીમાંસા દર્શન સમજવું મુશ્કેલ હેાય છે. તે મીમાંસા દર્શનના આકર ગ્રન્થ કુમારિલ ભટ્ટના શ્લોકવાર્તિક'નું આ વાદમહાર્ણવ’માં વિશેષ ખંડનમંડન છે. તેથી આ ગ્રન્થ સમજવા ઘણા કઠિન ગણાય છે. ને તે જ કારણે અભ્યાસમાં અલ્પ આવ્યા છે. શાન્તિરક્ષિત કે જેઓ નાલન્દા વિશ્વવિદ્યાલયના મુખ્ય આચાર્યાં હતા તેમના બનાવેલ ‘તત્ત્વસંગ્રહ' ઉપરની કમલશીલની અનાવેલ ‘જિકા’ નામની ટીકા, દિગમ્બરાચાર્ય પ્રભાદ્રે રચેલ પ્રમેયકમલમાર્તંડ ' તથા ન્યાયકુમુદચંદ્રોદય ' વગેરે ગ્રન્થાને આ ટીકામાં ઉપયોગ છે. વાદિ દેવસૂરિજી, મલ્લિષેણુસૂરિજી તથા ઉપાધ્યાય શ્રો યાવિજયજી વગેરેએ સ્થળે સ્થળે આ ટીકાને ઉલ્લેખ તથા છૂટથી ઉપયેગ કર્યાં છે. ૧૧ મા સૈકા પછી જૈન ન્યાયના મેટા મેાટા ગ્રન્થા રચાયા તે સર્વમાં આ ટીકાની સહાય લેવામાં આવી છે. આ ટીકામાં ગૂંથાયેલ વિષયા પાછળના ગ્રન્થકારીને સરળતાથી મળી ગયા છે. આ ટીકામાં શબ્દોની બહુ રમકઝમક નથી પણ ભાષાપ્રવાહ એક નિ`ળ ઝરણુની માફક સીધા વહે છે. પ્રે. લાયમેને શ્રી અભદેવસૂરિજીના સમ્બન્ધમાં જણાવ્યું છે જે તેમને ઉદ્દેરા તે સમયમાં પ્રચલિત સર્વ વાદોને સંગ્રહ કરી અનેકાન્તવાદનું સ્થાપન કરવાના હતા'-તે આ ટીકા જોવાથી સ્પષ્ટ સમજાય છે. શ્રી અભયદેવસૂરિજી,' ન્યાયવનસિંહ' અને ‘તર્ક પંચાનન' એ બિરુદોથી વિભૂષિત હતા, અને ૮૪ વાદવિજેતા શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના પદ્મપ્રભાવક હતા. ૭ શ્રી ધનેશ્વરસૂરિજી ' Acharya Shri Kailassagarsuri Gyanmandir તેએ! મુંજરાજાના સમયમાં થયા એટલે તેમનેા સત્તાકાળ ૧૧ મી વિક્રમ શતાબ્દિને હતા. તેઓ તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિજીના પટ્ટધર હતા. ધારાનગરીના સાર્વંભૌમ રાજા મુંજે તેઓને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યાં હતા. તેમણે રાજાની સભામાં અનેક વાદો જીત્યા હતા. પ્રવચનસારાધાર-વૃત્તિમાં શ્રી સિદ્ધસેન લખે કે तदनु धनेश्वरसूरिर्जज्ञे, यः प्राप पुंडरीकाख्यः । निर्मथ्य वादजलधि, जयश्रियं मुंजनृपपुरतः ॥ ૮ વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી પ્રભાવકરિત્ર 'માં તેમને સ્વવાસસમય વિ. ૧૦૯૬ ના જેઠ સુદ ૯ ને મગળવાર, કૃત્તિકા નક્ષક, જણાવેલ છે. તેમના પ્રત્યે પાટણના ભીમરાજાને અને ધારાનગરીના ભેજ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy