SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] જેન ગૃહસ્થની સાહિત્યસેવા [૧૬] વાકયોથી વિવેકમંજરી નામનું ૩ પ્રકરણ પોતે ત્રિત કર્યું (પી. ૨. ૫૬, પી. ૭, ૧૨ તથા ૧૦૦) ૯ દુર્લભરાજ–જાતે પ્રાગૂવાટ વણિક અને મૂળ ભીમદેવ રાજાના વ્યયકરણપદામાત્ય જાહિલના પુત્ર મહત્તમ નરસિંહના પુત્ર હતા. એ કવિ હતો. તેને કુમારપાળ મહત્તમ! ( મહેતા-પ્રધાન) કરેલ હતો. તે મંત્રીએ સં. ૧૨૧૬ માં સામુદ્રિકતિલક નામના સાસુદિક ગ્રંથની રચના કરી (વે. ન. ૪૦૧, લીં. દા. ૨૭ નં. ૬૭). ૧૦ જગદેવ—ઉપરોક્ત દુર્લભરાજાને પુત્ર હતો. એણે શુભ-અશુભ નામક બે પ્રકરણમય સ્વપ્નચિંતામણિ ગ્રંથ રચેલ છે. પોતાના પિતાએ રચેલા સામુદ્રિકતિલકનું પણ સમર્થન કર્યું હતું. તથા ચૌલુક્ય રાજાની વારાહી નામની નગરીમાં વસતા કષાધિપતિ (ખજાનચી) શ્રીપાલકુલના યશોધવળના પુત્ર જગદેવને પણ હેમચંદ્રાચાર્યો બાલકવિ બિરુદ આપ્યું હતું જેની વિનંતીથી પર્ણમિકગચ્છના સમુદ્રષસૂરિએ સં. ૧૨ પ૨ (દ્ધિ પંચદિનકૃત) વર્ષે પત્તનમાં અમચરિત્ર રચ્યું. ૧૧ મહારાજા કુમારપાલ–સિદ્ધરાજ જયસિહ પછી સં. ૧૧૯૯ માં કુમારપાળ ગાદિએ આવ્યો. અને કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યના ઉપદેશથી સં. ૧૨૧૬ માં સંપૂર્ણ જૈનધર્મ સ્વીકાર્યો હતો. તે હેમાચાર્ય કૃત યોગશાસ્ત્ર તથા વીતરાગસ્તોત્રનું દરરોજ પઠન કરતા હતા. એમણે રત્નાકર પચ્ચીસીના સમાન જિનેશ્વર સ્તુતિરૂપ સ્તોત્ર રચેલ છે, જે પ્રસિદ્ધ છે. તેમણે કુમારવિહાર, ત્રિભુવનવિહાર, ત્રિવિહાર વગેરે અનેક જિનચે બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કર્યા હતા. તે ઉપરાંત ૨૧ જ્ઞાનભંડારો સ્થપાવ્યા હતા. જૈન આગમોની સુવર્ણાક્ષરે સાત પ્રતો અને શ્રી હેમચંદ્રાચાર્ય વ્યાકરણાદિ ગ્રંથોની ૨૧ પ્રતો લખાવી હતી. ૧૨ પ્રહાદનદેવ–આ ગુજરાતના સામંત, આબુના રાજા ધારાવર્ષ (કુમારપાળના મહાસામંત યશોધવળના પુત્ર) નો ભાઈ હતો. એણે પાર્થ પરાક્રમવ્યાયોગ રચ્યું (પ્ર. ગા. એ. સી.) ને પોતાના નામથી પ્રવ્હાદનપુર (પાલણપુર) વસાવ્યું. અને ત્યાં પાહુવિહાર નામનું જૈન મંદિર કરાવ્યું. અજયપાળ મેવાડના રાજા સામંતસિંહ સાથેના યુદ્ધમાં બહુ ઘવાય હતો ત્યારે તેના પ્રાણની રક્ષા આ પ્ર©ાદનદેવે (પાલનસીએ) પિતાની વીરતાથી કરી હતી. આ અલ્લાદનદેવે શ્રી ભોજ અને મુંજ સંબંધી એક કરુણરસપ્રધાન કથા રસ્યાનું સેમેશ્વર કહે છે પરંતુ તે કથા કે પ્રહાદનદેવના બીજા ગ્રંથે હાથ લાગતા નથી. પણ આ (રાજા) કે જે સેમેશ્વરના પિતાના ગુરુ થાય, તે અત્યંત પરોપકારપરાયણ પુરુષ હશે, એમ સોમેશ્વરના એક વચનથી જણાય છે. वैदुष्यं विगताश्रयं श्रितवति श्रीहेमचंद्रे दिवं । श्रीप्रल्हादनमन्तरेण विरतं विश्वोपकारव्रतम् ॥ ૧૩ એના ધર્મોપદેશક ગુરુ અભયદેવસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિના શિષ્ય બાલચંદ્ર કવિએ ઉપદેશકંદલી અને વિવેકમંજરી ઉપર વૃત્તિ સં. ૧૨૪૭ (૮) માં રચી. (કી. ૨. ૫, પી. ૩. ૧૦૦) તે ઉપદેશકંદલીવૃત્તિની તાડપત્રીય પ્રત સં. ૧૨૯૬ માં લખાયેલી પાટણના ભંડારમાં છે. (પી. ૫. ૪૨). એ બને સટીક ગ્રંથ મુદ્રિત થઈ ગયેલ છે. १४ आसीत् तत्र विचित्रश्रीमजाहिलसंज्ञया जातः । व्ययकरणपदामात्यो नृपतेः श्रीभीमदेवस्य ॥ १५ श्रीमान् दुर्लभराजस्तदपत्यं बुद्धिधाम सुकविरभूत् । यं श्रीकुमारपालो महत्तमं क्षितिपतिः कृतवान् ॥ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy