________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૬ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું ૬૬૭માં શંકરના પુત્ર બુદ્ધરાજને હરાવીને કલ્યાણીમાં પોતાની સત્તા સ્થાપી હતી. અને બીજા પુલકેશીના ઉત્તરાધિકારીઓએ તો વિ. સં. ૬૮૦માં કલ્યાણીને જ પુન: પાટનગર બનાવ્યું હતું. આ દરેક સાલવારી પરથી એમ તારવી શકાય છે કે-શંકરગણુ વીરનિ. સં. ૧૧૦૦ લગભગમાં થએલ છે. આ રાજાએ કલ્યાણનગરીની મરકી શાંત કરવા માટે ચક્રવર્તી ભરતરાજાએ અંજનશલાકા કરેલ શ્રીમાણેકસ્વામી–આદિનાથ ભગવાનની પ્રતિમા મેળવીને તેની કર્ણાટકના કુલ્હાનગરમાં સ્થાપના કરી છે. રાજા શંકરગણે તેની પૂજા માટે ૧૨ ગામે આપ્યાં હતાં. અને એ સ્થાન કુલ્પાકતીર્થ અને માણેકસ્વામી એવા નામથી પ્રસિદ્ધ પામ્યું છે.
વીરનિસં. ૧૧૫૦માં રાજ્યક્રાન્તિ થવાથી અજેન રાજા કે અધિકારીઓએ આ તીર્થ પર કંઈક આક્રમણ કર્યું હતું, જેમાં ઘણું નુકશાન થયું પણ તીર્થ બચી ગયેલ છે. આજેય આ તીર્થ કુલ્પાક તીર્થ તરીક વિદ્યમાન છે.
શંકરગણુ એ “વેતાંબર જૈન રાજા છે. આ સિવાય કંકણના સીલ્હર, હલસીના કદંબ અને હૈસુરના યશોમાં પણ ઘણું વેતામ્બર રાજાઓ થયા છે. જેનાં નામ સંપ્રદાયભેદના કારણે દિગમ્બર શિલાલેખોમાં પૂરી રીતે મળી શકતા નથી.
– તીર્થકલ્પ, ઉપદેશસપ્તતિકા, હીરસૌભાગ્ય મહાકાવ્ય, જેને સત્ય પ્રકાશ વ. ૬ માં શ્રી કુલ્પાક તીર્થ લેખ.)
છર્ણ પત્રમાં ઉલ્લેખ મળે છે કે-આચાર્ય ધર્મશેખરસૂરિએ કર્ણાટકની રાજસભામાં “નમુત્થણું કલ્પને પ્રભાવ બતાવ્યો હતો. એમ લાગે છે કે શંકરગણુ કે બુદ્ધરાજના સમયમાં કલ્યાણીમાં આ ઘટના બની હોય.
–(પ્રાચીન હસ્તલિખિત પત્ર) શિવમૃગેશ (વીરનિસં. ૧૩૪૦)-શિવમૃગેશ એ દક્ષિણને જેન રાજા છે. તેણે જૈન સંઘને કાલવંગ ગામ આપ્યું અને તેની ઉપજ ૧ જિનાલય ૨ વેતામ્બર મહાશ્રમણ સંધ અને ૩ દિગમ્બર મહાશ્રમણ સંઘ એમ ત્રણ વિભાગમાં વાપરવા આજ્ઞા કરી હતી. આ ઉપરથી એ રાજા ન હતો એમ નક્કી થાય છે.
-(યલ એશિયાટિક સોસાયટી મુંબઈ બ્રાંચ જર્નલ ૩૨ માં છપાએલ બીજું દાનપત્ર, શ્રીયુત નથુરામ પ્રેમીએ તા. ૨૧-૧૦-૩૦ લખેલ હરિવંશપુરાણની પ્રસ્તાવના)
રાણે ભતૃભટ-મેવાડના મહારાજા બાપ્પારાવલના વંશજ રાણે ભતૃભટ જેન ૨ મહારાજા બાપા રાવલના વંશજોની નામાવલી નીચે પ્રમાણે જુદી જુદી રીતે મળે છે–
૧ મહારાજ શ્રી બખ, ૨ શ્રી ગુહિલ, ૩ ભેજ, ૪ શીલ, ૫ કાલભોજ, ૬ ભતૃભટ ૭ સિંહ, ૮ મહાયક, ૯ રાજ્ઞીસુતપુત સુવર્ણતુલાતલક શ્રી ખુમ્માણ, ૧૦ શ્રીમદ્ અલ્લટ, ૧૧ નરવાહન, ૧૨ શક્તિકુમાર, ૧૩ શુચિવર્મ, ૧૪ કીર્તિવમ, ૧૫ ગરાજ ૧૬ વૈરટ, ૧૭ વંશપાલ, ૧૮ વૈરીસિંહ, ૧૯ વીરસિહ ઇત્યાદિ-(રાણકપુર મંદિનો શિલાલેખ, સં. ૧૪૯૬).
૧ શ્રી ગેહ, ૨ મહારાજા બાપા (સં૦ ૭૮૪), ૩ અપરાજિત, (નાનો ભાઈ અસીલ) ખલભેજ, મહારાણુ ખુમાન, (સં. ૮૯૨) (પિતૃઘાતક મંગલ) ભતૃભટ, ઉલૂટ, નરવાહન, શાલિવાહન, ૧૧ શક્તિકુમાર.-(ટેડ રાજસ્થાન).
ગહલોત કુલના ૧૫ રાજાઓ–ગ્રહાદિત્ય ભોજ મહેન્દ્ર નાગાદિત્ય રૌલ (બાપા) અપરાજિત
For Private And Personal Use Only