________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય–આ વિભાગમાં એ સાત વર્ષ માં રચાયેલ આગમને લગતુંઆગ ઉપર પ્રકાશ પાડતું (ટીકા વગેરે રૂ૫) સાહિત્ય, સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા બીજા અનેક વિષયેના નાના મોટા ગ્રંથ, એ ગ્રંથકારનાં જીવનચરિત્રો, જૈન લીપીને વિકાસ, તે વખતની પઠન-પાઠન શૈલી તેમજ એ સાત વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા ગ્રંથને પરિચય વગેરે વિષયોને સમાવેશ થઈ શકે.
કળા–તે વખતની જેમ કળીનું સ્વરૂપ, જૈન ચિત્રકળા, લેખનકળી આદિને વિકાસ, જૈન કળાને પ્રભાવ અને તેનું વૈશિષ્ઠ વગેરે આપી શકાય.
શિ૯૫સ્થાપત્ય અને પુરાતત્ત્વ–એ વખતમાં સ્થાપન થયેલાં જૈન તીર્થો, દેરાસર, અન્ય ધર્મસ્થાનકે તેમજ તેના સ્થાપકેને લગતી હકીકત એ સમય ઉપર પ્રકાશ પાડતા શિલાલે છે, ત્યારના જૈન સ્થાપત્યની વિશેષતા, એ સ્થાપત્ય અને વર્તમાન સ્થાપત્યની તુલના અને એ કાળ ઉપર પ્રકાશ પાડતા પુરાતત્ત્વના અવશેષ વગેરે વિષને આ વિભાગમાં સમાવેશ થાય છે.
આ સમયમાં થયેલાં તીર્થો, દેરાસરે, શિલાલેખે, હસ્તલિખિત ગ્રંથ કે બીજી કોઈ બાબતેનાં ચિત્ર અમને મળશે તે તેને પ્રગટ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
આ વિશેષાંક વધુમાં વધુ ઉપયોગી બને એવી અમારી ઉમેદ છે, અમારી આ ઉમેદની સફળતાને આધાર પૂજ્ય મુનિરાજે અને અન્ય વિદ્વાને તરફથી મળનાર લેખસામગ્રી ઉપર છે.
અમે સૌ પૂજ્ય મુનિમહારાજેને તથા અન્ય વિદ્વાનને સાદર વિનંતી કરીએ છીએ કે તેઓ ઉપરના વિષને લગતા, આધારપૂર્ણ, મુદ્દાસર અને ટૂંકા (બનતાં સુધી આ માસિકના ૬ થી ૮ પૃષ્ઠમાં સમાઈ શકે તેવડા) લેખ બની શકે તેટલા વધુ પ્રમાણમાં મેકલીને અમારા આ પ્રયત્નને સફળ બનાવવામાં અમને સહાયતા કરે !
–વ્યવસ્થાપક લેખ વગેરે ભાદરવા વદિ ૧૦, તા. ૧૬-૯-૪૧ સુધીમાં નીચેના સરનામે મક્લી આપવા–
વ્યવસ્થાપક, શ્રી જેનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ
For Private And Personal Use Only