SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] મહુડીની જન પ્રતિમાઓ [૧૩] પાયા વગેરે નજરે પડે છે, જે પુરાતત્ત્વોને માટે બહુ જ રસપ્રદ ઇતિહાસ પૂરો પાડે તેમ છે. ત્યાં ખોદકામ થવાથી ગુજરાતની એ પુરાતન મહત્વશાલી નગરીને જીર્ણોદ્ધાર થાય તેમ છે. આ નગરીમાં ઠાકોરનું રાજ્ય હતું. ચાવડાઓએ પણ અહીં સત્તા જમાવી હતી. છેલ્લે મુસલમાનોના આક્રમણથી આ નગરીનાં વૈભવ, મહત્તા અને ગૌરવ નષ્ટ થયાં અને તેમાં જે કાંઈ કચાશ રહી હતી તે સાબરમતીના પ્રવાહે નષ્ટ કરી. ત્યાં રહેતા ખડાયતા બ્રાહ્મણો અને ખડાયતા વણિકે અન્યત્ર ચાલ્યા ગયા અને વર્તમાન નાનું ખડાયતા ઠાકોરોએ વસાવ્યું છે ને તેમની વસ્તી જ વધુ પડતી છે. આ ખડાયતન નગરનું કેટયાર્ડનું મંદિર અત્યારે પણ એક ઊંચા ટીંબા ઉપર ઊભું છે. તે ખડાયતાના ઇષ્ટદેવ છે. સાબરમતીના પ્રવાહે ચેતરફ કોતરો કરી નાખ્યાં છે. ચોતરફ બીહામણું મોટા મોટા ઘા (વાંધા) નજરે પડે છે. નીચે જ પિતાને વિશાલ દેહ પાથરી સાબરમતી સૂતી પડી છે, સામે ઝાડી છે અને ત્યાં એક સૂર્યકુંડ છે. કહે છે કે અહીંથી પણું દૂર સાબરમતી હતી તેને બદલે આજે કુંડ સામે પાર દેખાય છે. આ કેટયાર્કના મંદિરને પણ નાશ થઈ જશે એ કરથી ભકતજનોએ મહુડીથી બે ખેતરવા દૂર નવા કોટયાર્કનું મંદિર બનાવ્યું છે. જુના કેટયાર્ડનાં દર્શન કરવા બહુ જ અલ્પ ખડાયતા જાય છે. આ પુરાણું સ્થાનેથી પહેલાં પણ જિનવરેન્દ્ર અજિતનાથ ભગવાનની ચાર હાથ મોટી પ્રતિમા નીકળી હતી. એટલે હમણાં નીકળેલી આ પ્રતિમાઓ પણ જૈન પ્રતિમા હેવાની જ સંભાવના ઘટી શકે છે, નહિ કે બૌદ્ધ પ્રતિમાઓની. અહીં વસનાર અને અહીંથી જ જેમની ઉત્પત્તિ થઈ તે ખડાયતોએ જેને પ્રતિમાઓ ભરાવ્યાના ઉલ્લેખ જૂઓ (१) “ १३७५ वर्षे आषाढ शुदि ६ खडायति ज्ञातीय श्रे. वनदेव भार्या लाच्छि पुत्र धिणाकेन श्री आदिनाथ बिंब का. प्र. सूरिभिः (२) सं. १३७० वर्षे आषाढ शुदि ६ खडायति ज्ञातीय विदे जयतशाह श्रेयसे श्रे० धीणाकेन श्री नमिबिंब कारितं॥ –બુદ્ધિસાગરસૂરિકૃત જેન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧, પૃ. ૨૪૬ પ્રથમ લેખને ભાવાર્થ એ છે કે સં. ૧૩૭૫ માં અષાઢ શુદિ ૬ ખડાયતા જ્ઞાતીય શેઠ વનદેવની ભાર્યા લક્ષ્મી-(લાછી)ના પુત્ર ધીણાકે શ્રી આદિનાથપ્રભુનું બિંબ ભરાવ્યું. બીજ લેખને ભાવાર્થ એ છે કે સં. ૧૩૭૦ માં અષાઢ શુદિ ૬ને દિવસે ખડાયતા જ્ઞાતીય વિદે જયત શાહના સ્મરણાર્થે શેઠ ધીણાકે શ્રી નમિનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું છે. એટલે ખડાયતાઓ જૈન હતા અને એ સ્થાનેથી મૂર્તિઓ મલી છે તે દષ્ટિએ પણ આ મૂર્તિઓ જૈન મૂર્તિઓ છે એમ સિદ્ધ થાય છે. આ મૂર્તિઓમાં ધર્મચક્ર છે એ જોઈને શ્રીયુત શાસ્ત્રી મહોદય આ મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ માને છે વા માનવા પ્રેરાયા છે પણ બૌદ્ધ સ્મૃતિમાં જ ધર્મચક્ર હોય એવું કશું નથી. વાસ્તવિક રીતે જોઈએ તે જૈન મૂર્તિઓમાં જ ધર્મચક્રની સંભાવના વધુ છે કારણકે ૧ સં. ૧૩૫૬-૫૭ માં અલાઉદ્દીન ખુનીએ પાટણ, સિદ્ધપુર, વીજાપુર, વિસનગર અને આ ખડાયતનનાં મંદિરે તેડયાં હતાં. For Private And Personal Use Only
SR No.521571
Book TitleJain_Satyaprakash 1941 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy