SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૭] મહેાપાધ્યાય શ્રી યશોવિજયજી [ ૨૯૭ ] (૨૧) વર્ષો વર્ષાં કાશીમાં રહી ઘણા ગ્રન્થાના અભ્યાસ કરીને જે બીજા કેટલાક ન્યાય થાને અભ્યાસ બાકી હતા તે અહી આગ્રામાં ચાર વર્ષ સુધી રહીને નૈયાયિક પડિતા પાસે પૂરા કર્યાં. (૨૨) આા વખતે આગ્રા વગેરે નગરામાં બનારસીદાસ નામના ઘણે ભાગે દિગંબર મતને અનુસરતા હતા અને એકાંત નિશ્ચય માર્ગને ઘણા પ્રચલિત થયેા હતા. અનુક્રમે બનારસીદાસના શિષ્ય કુંવરજી નામે થયેા. તે પણુ પોતાના ગુરુના મતને પ્રચાર કરતા હતા. આ વખતે શ્રી ઉપાધ્યાયજી મહારાજે તે મત જૈનશૈલીને અનુસરતા નથી એમ તે મતના શ્રાવકા વગેરેને યુક્તિપૂર્વક સમજાવીને તેમને જૈનધર્મીમાં સ્થિર કર્યા. આ રીતે બનારસીદાસનેા દુર્માંત દૂર કરીને શ્રી યજ્ઞાવિજયજી સહિત શ્રી નયવિજયજી મહારાજ આગ્રાથી અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા તેમજ મામાં પણ ( શ્રીયશે વિજયજી મહારાજ ) અનેક પડિતા સાથે શાસ્ત્રાર્થ કરતા કરતા જૈનપુરી સરખા રાજનગર ( અમદાવાદ ) માં પધાર્યાં, પતિના મત કે જે પોષતા હતા તે (૨૩) શ્રી નયવિજયજી મહારાજે અમદાવાદ આવી હપૂર્વક નાગારીશાળામાં એટલે નાગેરી સરાહુ નામને લત્તો કે જે (અત્યારે પણ રતનપાળ) ઝવેરીવાડામાં મધ્યભાગે આવેલ છે ત્યાં ઉપાશ્રયમાં સ્થિરતા કરી. તે વખતે શ્રી યશેાવિજયજી મહારાજ અનેક શાસ્ત્રોના વાદવિવાદ કરાનારા પિંડતાના સમુદાયમાં ણું આદરમાન પામ્યા, કારણુ કે કાર્યપણુ દર્શીનને વાદી જૈન દન સંબંધી વાદ કરવા આવે તે તેઓ તેને શાસ્ત્રની યુક્તિ પ્રયુક્તિએથી તેમજ ન્યાયશાસ્ત્રઓની પરિપાટી પ્રમાણે એવુ સરસ સમજાવતા કે જેથી વાદી જૈનદર્શનની ખામી દર્શાવી શકતા નહિ, અને ઉપાધ્યાયજીએ દર્શાવેલી યુક્તિઓનું રહસ્ય સમજીને અત્યંત સતેષ પામતા. (૨૪) આ વખતે અમદાવાદમાં સદ્ગુણી જનેાના સદ્ગુણુને સન્માન આપનાર હાવાથી यस्य न्यायविशारदत्वबिरुदं कारयां प्रदत्तं बुधै स्तस्यैषा कृतिरातनोतु कृतिनामानंदमग्नं मनः ॥ For Private And Personal Use Only FOR ૪. અહી જણાવેલ બનારસીદાસ સત્તરમી સદીમાં હયાત હતા. તે હીંદી ભાષાના જૈત ક્રુવિ તરીકે પ્રસિદ્ધ હતા. તેએ આગ્રાના રહીશ શ્રીમાલ વૈશ્ય હતા. તેમના પિતાનું નામ ખગસેન હતુ અને વિ. સ. ૧૬૪૭ માં જોનપુરમાં તેમને જન્મ થયેા હતે. તેમણે મુનિશ્રી ભાનુચદ્રજીની પાસે વિ. સ. ૧૬૬૦ સુધી કાવ્યાદિ ગ્રંથોના અભ્યાસ કર્યાં હતા. અને તે મુનિના જ સમાગમથી ૧૧૬૪ થી ધાર્મિક પ્રવૃત્તિ તરફ વિશેષ લક્ષ્ય રાખીને અસટ્રાસનાથી પાછા તુટયા. આગ્રામાં તેમને અમલજી નામના અઘ્યાત્મરસિકને સમાગમ થયા તેથી અને સમયસારના વાંચનથી તે નિશ્ચય માર્ગ તરફ દેરાયા. આ સ્થિતિમાં તેમણે જ્ઞાનપચ્ચીશી વગેરે ગ્રંથા મનાવ્યા. વિ સ. ૧૯૯૨ માં પંડિત રૂપચંદના સમાગમથી અને દિગખર પ્રથાના પરિચયથી પૂર્વ સ્થિતિ પલટાઈ ગઈ, એટલે તે દિગબર મતાનુયાયી થયા. આ બનારસીદાસને કુંવરજી (કુમરપાલ) અમચ વગેરે મદદગાર અનુયાયી શિષ્યા હતા. તેએ આગ્રામાં નિશ્ચય માર્ગને પોષતા હતા અને આધ્યાત્મિક તરીકે ગણાતા હતા. આ અવસરે શ્રીમાન્ ઉપાધ્યાયજીએ તૅમને ચર્ચામાં હરાવ્યા. અને તેના મનનું ખ’ફન અમ!ત્મમત ખ`ડન સટીક મૂ. ગા. ૧૮ અને અયાત્મમતપરીક્ષા (મૂલગાથા ૧૧૮) સીક્રમાં કર્યું. શ્રી મેઘવિજયજીએ આ ત્રીના યુક્તિપ્રદેાધમાં જણાવી છે. વિશેષ ખના ઐતિહાસિક મચેાથી નણી લેવી.
SR No.521568
Book TitleJain_Satyaprakash 1941 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy