________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ પદાર્થ ઉત્પન્ન કરી તે બીજે જ ક્ષણે નાશ પામે છે. તે પ્રમાણે સર્વ પદાર્થો એક ક્ષણ રહેવાવાળા ક્ષણિક છે એ સર્વમાન્ય સુસિદ્ધ સિદ્ધાંત છે.
સ્યાદ્વાદી–સર્વથા ક્ષણિકવાદ મિથ્યા છે ને કર્થચિત ક્ષણિકવાદ સ્યાદ્વાદિને જ સિદ્ધાંત છે.ઘટ પટ વગેરે પદાર્થો અમુક કાળ પછી નાશ પામે છે કે જે નાશ પછી આપણે તેને પૂર્વ સ્વરૂપમાં જોઈ શકતા નથી. માટે દરેક ક્ષણે થતા નાશ અને પછીથી થત નાશ એ બેમાં શું તફાવત છે કે જેથી દરેક ક્ષણે થતા નાશ પછી પણ તે પદાર્થ પૂર્વ સ્વરૂપે દેખાય છે, અને પછીથી દેખાતો નથી. જે બંને નાશ એક સરખા જ હોય તે પ્રથમ ક્ષણ પછીના નાશ પછી પણ તે જ પદાર્થ તે સ્વરૂપમાં ન દેખા જોઈએ. એમ કહેશે કે જે છેલ્લે નાશ થાય છે તે અને ક્ષણે ક્ષણે થતા નાશમાં એટલે જ ફેર છે કે છેલ્લા નાશમાં તેના જેવા જ બીજા સ્વરૂપ ઉત્પન્ન કરવાની શક્તિનો નાશ થયો છે. અને ક્ષણે ક્ષણે થતા નાશમાં તે શક્તિને નાશ થતો નથી. તે તે પણ તમારે મત ઘટી શકતું નથી, કારણકે--તમારે મતે સર્વ ક્ષણિક છે. એટલે શક્તિને પણ દરેક ક્ષણે નાશ થયા જ કરે છે. પછી દરેક ક્ષણે થતા શક્તિને નાશ અને છેવટની શક્તિને નાશ એ બેમાં શું ફેર ? એના ઉદ્ધારને માટે પહેલાંની જેમ કહેશો તે પાછી અનવસ્થા થશે અને જે એમ માનતા છે કે દરેક પદાર્થને દરેક ક્ષણે જે નાશ થાય છે તે કંઈક અંશે થાય છે, અને છેવટે જે નાશ થાય છે તે સર્વથા થાય છે તે તે અમને પણ ઈષ્ટ છે. સ્વાદાદીને તે એ જ મત છે કે દરેક પદાર્થને દરેક ક્ષણે કથંચિત્ નાશ કથંચિત્ ઉત્પત્તિ અને કથંચિત સત્તા હોય જ છે. માટે દરેક પદાર્થ માટે, દરેક પદાર્થ દરેક ક્ષણે સર્વથા ક્ષણિક છે, એ સિદ્ધ થતું નથી. માટે તે સ્વાદીને માન્ય નથી. કથંચિત નાશ ઉત્પત્તિ અને સત્તાવાળો આત્મા પણ સ્થાદિ માને છે, પરંતુ સર્વથા ક્ષણિક માન્ય નથી, અને સર્વથા ક્ષણિક માનવામાં અનેક દે આવે છે. તે દેશે ક્યાં અને કેવી રીતે છે તે આગામી સભામાં સ્યાદ્વાદી સમજાવશે.
(ચાલુ) સમાચાર પ્રતિષ્ઠા–પિચિયા (મારવાડ)માં માગસર સુદી ૬ પુ- પં. શ્રી. હિમ્મતવિજયજી ગણીએ પ્રતિષ્ઠા કરી. - દીક્ષા–લેદી (મારવાડ)માં માગસર સુદી ૮ પૂ. આ. શ્રી. વિજયલબ્ધિસૂરિજીએ એક ભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. રમણિકવિજયજી રાખીને તેમને પૂ. આ. શ્રી. વિજયગંભીરસૂરિજીના શિષ્ય બનાવ્યા.
સ્વીકાર १--२ आरामसोहाकहा तथा पंडिअधणवाल कहा (श्री संघतिलाकाરાત)-સંપાદક-મુનિ = શ્રી અમરવિકાર, પ્રારા-જા ચૌટા जैनसंघ, सुरत, भेट
૩ શ્રી હેમચન્દ્રાચાર્ય (સચિત્ર)-લેખક–ગૂજરાતના પ્રસિદ્ધ સાક્ષર) શ્રી. ધૂમકેતુ, પ્રકાશક—શ્રી. આત્માનંદશતાબ્દિ ગ્રંથમાળા, પ્રાપ્તિસ્થાન-ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ. મૂલ્ય—-દેઢ રૂપિ.
For Private And Personal Use Only