________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે એ પ્રમાણે નિયમ છે ને તેથી પર્વતમાં અગ્નિનું જ્ઞાન થાય છે, માટે પ્રત્યક્ષ પ્રમાણ સિવાય અનુમાન પણ પ્રમાણ છે એમ તમે કહે છે, પરંતુ જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય છે એવો નિયમ કયે સ્થળેથી જાણે છે. રસોડામાંથી કે ભઠ્ઠીમાંથી જામ્યો છે તે પણ ઠીક નથી. રસોડામાંથી નીકળતા ધૂમ રસોડાને ધૂમ કહેવાય ને ભઠ્ઠીમાંથી નીકળતો ધૂમ ભઠ્ઠીને ધૂમ કહેવાય. તે રસોડાના ધૂમથી ને ભઠ્ઠીના ધૂમથી રડાના અગ્નિનું ને ભઠ્ઠીના અગ્નિનું જ જ્ઞાન થાય, પરંતુ પર્વતના અગ્નિનું જ્ઞાન ન થાય. અર્થાત પર્વતના ધૂમને અને પર્વતના અગ્નિને નિયમ કઈ સ્થળે જાણો નથી એટલે તે અગ્નિને નિશ્ચય તે ધૂમથી ન થઈ શકે. વળી ધૂમથી અગ્નિ સામાન્યની સિદ્ધિ જે કરાતી હોય તે તેમાં કંઈ લાભ નથી, કારણ કે જગતમાં અગ્નિ છે એમ અમે માનીએ છીએ. ઉપર બતાવેલ દેને કારણે ધૂમવાળા પ્રદેશ જે હોય તે પ્રદેશમાં અગ્નિ હોય છે, એમ સામાન્ય, વિશેષ, ઉભયની પણ સિદ્ધિ નહિ થઈ શકે. માટે અનુમાન પ્રમાણ માની શકાય નહિ.
સ્યાદ્વાદી-પુના અનુમાનની રથાપના–પર્વતમાં દૂરથી ધૂમ જેવાથી અગ્નિનું જ્ઞાન થાય છે એ નિઃશંક છે. એ જ્ઞાનને જે ધૂમ ને અગ્નિના નિયમજન્ય ન માનીએ તે તે શાનને માટે નવી કલ્પના કરવી જરૂરી થશે. બીજી સર્વ કલ્પનાઓ કરતાં ધૂમને અગ્નિના નિયમથી એ જ્ઞાન થાય છે એમ માનવામાં ફાયદા ને ઓછી મહેનત છે. વળી રસોડાના ધૂમને અને રસોડાને અગ્નિને નિયમ માનીએ તે તે નિયમમાં રસોડાને નાખવું તદન નકામું થઈ પડે છે. એટલે ધૂમ અને અગ્નિને નિયમ માનવામાં જ સહેલાઈ છે. વળી રસોડાના ધૂમને ને રસેડાના અગ્નિને વિશેષ નિયમ ગુરુકલ્પનાએ પરાણે માનવામાં આવે તે પણ અનુમાનનું ખંડન તે થતું જ નથી, કારણ કે ફરીથી કઈ જગાએ રસોડામાંથી નીકળતા ધૂમને દૂરથી જોઈને એવું જ્ઞાન થાય છે કે આ રસેડામાં અગ્નિ છે, એ સ્થળે અગ્નિનું પ્રત્યક્ષ નથી ને નિયમથી સત્ય જ્ઞાન થાય છે, માટે અનુમાન માનવું જોઈએ. નિયમ તેને હેય છે કે જે પદાર્થ સિવાય બીજે પદાર્થ ન રહી શકતા હોય, પરંતુ તે સિવાયના બીજા પદાર્થને નિયમમાં નાખવાની જરૂર રહેતી નથી, એટલે કે ધૂમ અગ્નિ સિવાય રહી શકતા નથી. પરંતુ રસેડા સિવાય નથી રહી શકતે એવું નથી. એટલે રસોડું ધૂમ અને અગ્નિ સિવાય જુદે પદાર્થ થશે. માટે નિયમ તે ધૂમ અને અગ્નિને જ બને પણ વચમાં રસડાને નાખવાની જરૂર નથી. હવે પર્વતમાં પણ ધૂમ ને અગ્નિના નિયમથી જ અગ્નિનું જ્ઞાન થાય છે, એટલે અનુમાન પ્રમાણ છે.
ચાર્વાક-અનુમાનથી આત્મા સિદ્ધ કેવી રીતે થાય છે?–અમારી માન્યતા પ્રમાણે અનુમાન પ્રમાણુ સંભવતું નથી. પરંતુ તમારો એ આગ્રહ છે કે અનુમાન પ્રમાણ માનવું જોઈએ તે તમારું અનુમાન છે, પરંતુ તેથી આત્મા સિદ્ધ કેવી રીતે થાય છે તે બત.
સ્યાદ્વાદી-અનુમાન પ્રમાણથી આત્માની સિદ્ધિ- કુહાડીથી કાછ કપ ય છે. કાકને કાપનાર કુહાડી છે, પરંતુ એકલી કુહાડીમાં કાઇને કાપવાનું સામર્થ્ય ની, પરંતુ તેને વાપરનાર ચલાવનાર કોઈ માણસ જોઈએ છે. એ પ્રમાણે ચામડીથી શીત, ઉષ્ણ વગેરે સ્પર્શનું જ્ઞાન થાય છે, જીભથી તીખા મીઠા સ્વાદ જણાય છે, નાસિકાથી સારા નરસ ગધ પરખાય છે, આંખથી કાળું ધળું રૂપ દેખાય છે ને કાનથી નાને મેટે શબ્દ સંભ
For Private And Personal Use Only