________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨]
જૈન ધર્મી થીરાના પરાક્રમ
[ ૬૫ ]
ખાટી છાપ બેસે છે અને જે યુગમાં ભિન્નભિન્ન ધર્મી પ્રજા વચ્ચે ગાઢો સંપર્ક સાધવાની ખાસ આવશ્યકતા છે તેવા ખારીક સમયે આવા પ્રખર તે પ્રતાપી પુરુષો સામે ચેડા કહાડી અંતર વધારે છે !
કુમાળપાળ રાજાને જૈનધર્મી બનાવવામાં જાણે શ્રી હેમચન્દ્રસૂરિએ કાઈ મુસદ્દીગીરીના દાવ ન ફેંકયા હૈાય કિવા ચાણકયનીતિનું અવલંબનન ગ્રંથું હોય તેવા ભાસ ખડેા કરે છે! કલ્પિત મંજરીના પ્રણેતા હજુ પેાતાના મંતવ્યનું પૂર્ણપણે પ્રમા ન કરી નથી રહ્યા ત્યાંતા બીજા એક સાક્ષરે પરમઆર્હત કે પરમમાહેશ્વરના વટાળ ઉભા કર્યાં છે અને શ્રી મેધાણી જેવા લેખક જે ભાષામાં શ્રી હેમચંદ્રસૂરિના ચિત્રનું એક વાતમાં આલેખન કરે છે એ જોતાં દુઃખ ઉપજે છે! મનમાં ઘડીભર એ પ્રશ્ન ઊઠે છે કે ઇતિહાસના નામે બડી બડી વાતેા કરનારા આ સાક્ષરે! સાચેજ સત્યના પક્ષપાતી છે કે ધ્રુવલ માની લીધેલા મતવ્યના ?
પ્રાસગિક આટલી વિચારણા પછી મૂળ વાત પર આવતાં કહેવાનું કે રાજવી અને ગુરુદેવની ચર્ચાએમાં કઇ કંઈ તત્ત્વા કંઇ કંઇ ધર્મો અને જાત જાતના પ્રશ્નોની ફ્રુટથી છતાં લીલપુરસ્કર છષ્ણાવટ થઈ. એના વિસ્તાર કરવાનું આ સ્થળ નથી. એ વાતની વાનગી પીરસતાં સંખ્યાબંધ પુસ્તકા ઉપલબ્ધ થાય છે. એ પર ચઢેલા અતિશયાક્તિ કે સ્વધર્મ પ્રશંસાના વધુ પડતા પડળા દૂર કરીને પણ જિજ્ઞાસુ નિતરૂં સત્ય શોધી શકે તેમ છે. એનું પરિણામ એ જ આવે છે કે માત્ર સૂરિ મહારાજ પ્રત્યેના ઉપકાર વાળવાના દૃષ્ટિબિન્દુથી પ્રેરાઈને નહીં પણ જૈનધર્મના ઉમદા સિદ્ધાંત એમાં સમાયેલ ઉદાર ભાવ અને અહિંસામાં રહેલી અદ્દભુત શક્તિની પિછાન કરી મહારાજા કુમાળપાળે જૈનધર્મ સ્વીકાર્યો. એ બધું કઈ એક દિવસમાં નથી બની ગયું ! તેમ નથી તેા એ સારૂ શ્રી હેમચ ંદ્રસૂરિને ક્રાઇ જાતની કુટિલતા ચલાવવાની કનકાઈ પ્રકારની ભૂરકી નાંખવાની જરૂર પડી. અલબત્ત જૈનધર્મના પ્રખર અભ્યાસી અને વિદ્વાન જ્ઞાતા તરીકે શ્રીમદ્ હેમચન્દ્રસૂરિએ જૈનધર્મોનાં તત્ત્વાનું અહિંસા અને અનેકાંત જેવા તત્ત્વજ્ઞાનનું, આચરણમાં ઉતારવા જેવા શ્રાવક ધર્મ ચિત બાર પ્રકારનાં વ્રતાનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવા યેાગ્ય પ્રયાસ સેવ્યેા છે, પેાતાનામાં રહેલી વિદ્વત્તાને પૂરેપૂરો ઉપયેગ કર્યાં છે. જરૂર પડયે ચમત્કાર બતાવવા પણ ચુકયા નથી. મહારાજા કુમારપાળે પણ એ બધામાં નવીન અભ્યાસક તરીકે પ્રવેશ કરી, શ્રદ્ધાવત આત્મા તરીકે એના તાગ મેળવી, પૂર્ણ જિજ્ઞાસુ તરીકે એ સર્વને પચાવી, અને અંતરના ઉમળકાથી એને સ્વીકાર કર્યો છે. એક પ્રબળ પ્રતાપી રાજવી તરીકે જે જે કાર્યો કર્યાંના ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે એમાં જૈનધર્મીના જળહળતા સિદ્ધાંતની છાયા દષ્ટિગાચર થાય છે. તેથી જ પરમાર્હુતના બિરૂદની પ્રાપ્તિ થાય છે. પાટણની ગાદીપર પૂર્વે થઈ ગયેલા રાજાઓની કાર્યપ્રણાલીથી જુદી રીતે મહારાજા કુમારપાળે પ્રજાપાલન કર્યું અને જનતાના ઉત્ક સાધ્યો. ઇતિહાસની વાંધ કહે છે તેમ સન ૧૧૫૯ માં તે પૂરેપૂરા જૈનધર્મી તરીકે પ્રગટ થયા અર્થાત્ શ્રાવકનાં બાર વ્રત તેમણે લીધાં. ત્યારપછી બનારસના રાજા જયચંદ્ર પર તેના રાજ્યમાં ચાલતી હિંસા બંધ કરવાનું સૂચવવા સારૂ પ્રતિનિધિ મંડળ મેાકલ્યાના ઉલ્લેખ કુમારપાળ–પ્રબંધમાં મળે છે. જૈનધર્મના તેમના પેાતાના જીવનમાં જે ફેરફાર થયા તેની નોંધ નીચે પ્રમાણે
અભ્યાસ અને પાલનથી ટૂંકમાં લખ
શકાય.
For Private And Personal Use Only