________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનદર્શને પ્રરૂપેલા મોક્ષ અને તેનું સુખ
લેખક-મુનિરાજ શ્રી ભદ્રકવિજયજી [ આ. ભ. શ્રી. વિજ્ય રામચંદ્રસૂરિશ્વરજીવિનય ]
- શ્રી જૈનશાસને જગતમાં જે સાધનાને માર્ગ દર્શાવ્યો છે, તે અર્થ કામ છે તેવી જ કોઈ પૌગલિક વસ્તુઓ ની સાધનાને નદિ કિન્તુ જેમાં સર્વ પૌગલિક વસ્તુઓની સાધનાને પરિત્યાગ છે, એવી આત્મિક સાધનાને માર્ગ દર્શાવ્યો છે. આત્મિક સાધના એટલે આત્મગુણની સાધના અને આત્મગુણોની સંપૂર્ણ સાધના સર્વ કર્મના ક્ષયથી નિષ્પન્ન થતા મોક્ષ સિવાય શક્ય નથી. તેથી જેનદર્શનની સાધનાનું પ્રધાન લય મોક્ષ યાને સર્વકર્મરહિત અવસ્થા છે. કમરહિત અવસ્થામાં જે સુખ છે તે જ શાશ્વત, નિરાબાધ અને સંપૂર્ણ છે. એ અવસ્થાનું બીજું નામ સિદ્ધાવસ્થા છે. શ્રી જૈનશાસને મેક્ષની સાધનાને જે માર્ગ પ્રરૂપે છે તેને વિચાર કરતાં પહેલાં તે મોક્ષ સંબંધી આ જગતમાં કેવા કેવા પ્રકારની માન્યતાઓ ચાલી રહી છે, તે પ્રથમ સમજવું જોઈએ. કારણ કે સ્વરૂપને યથાર્થ નિશ્ચય થયા પહેલાં તેને માટેની પ્રવૃત્તિ દૃઢ અને મક્કમ નથી બની શકતી. અન્ય દર્શનકારની મેસસંબંધી માન્યતાઓ
ચાર્વાક દર્શન તે મેક્ષ જેવા પદાર્થની હયાતી જ સ્વીકાર નથી. પરંતુ તે સિવાયનાં બધાં આસ્તિક દર્શને એકી અવાજે અન્તિમ ધ્યેય તરીકે મોક્ષને જ માને છે. મેક્ષ એ દરેક આસ્તિક દર્શનનું લક્ષ્ય સ્થાન છે. અને એને જ સર્વસ્વના ભાગે પ્રાપ્તવ્ય તરીકે આદરપૂર્વક સ્વીકારે છે. તે તે દર્શનકારે આત્માના મોક્ષનું જે સ્વરૂપે વર્ણવે છે તે અને તેમાં કેટલા ગુણ–દોષ રહ્યા છે તે નીચેના વર્ણનથી સમજાશે.
વૈશેષિક દશન કહે છે કે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈછા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, ભાવના અને દેપ આત્માના એ નવે ગુણોને સર્વથા ઉચ્છેદ થવાથી જીવને મેક્ષ થાય છે. મેક્ષમાં બુદ્ધિ, સુખ આદિ ગુણે રહેતા નથી. વિશેષમાં તેઓ કહે છે કે-શાસ્ત્રાભ્યાસથી તત્ત્વજ્ઞાન થાય છે, તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાન નાશ પામે છે, મિથ્યાજ્ઞાનના નાશથી રાગાદિ નાશ પામે છે, રાગાદિને ક્ષય થવાથી પ્રવૃત્તિ અટકે છે, પ્રવૃત્તિ અટકવાથી ધર્માધમ અટકે છે અને ધમધર્મ અટકવાથી જન્માદિ નાશ પામે છે. જેને કહે છે કે-ઈન્દ્રિયથી ઉત્પન્ન થનારાં બુદ્ધિ, સુખ, દુ:ખ કે ઈચ્છાદિને મોક્ષમાં નાશ થતો હોય તે તે અમને સ્વીકાર્ય છે, પરંતુ આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિ અતીન્દ્રિય ગુણોને નાશ કવી રીતે સંભવે ? અને તે પણ જે નાશ પામતા હોય તે એવી મુક્તિને અર્થ જ શું છે? કે જ્યાં વર્તમાનમાં જેટલું જ્ઞાન અને સુખ છે તેટલું પણ ન રહે ? અથવા સર્વથા જ્ઞાન અને સુખ રહિત અવસ્થા અનન કાળ માટે પ્રાપ્ત થાય છે એવી જ્ઞાન-સુખરહિત મુક્તિ ઉપર કોઈ પણ વિબુધજનને આરથા ન જ થાય, એ તન્ન સ્વાભાવિક છે.
મીમાંસકે માને છે કે મુક્તાત્મા સદા સ્વસ્વરૂપમાં સ્થિત રહે છે. બંધન, દુઃખ તથા કલેશથી રહિત હોય છે. અને કામ, ક્રોધ, મદ, ગવ, લેભ અને દંભ એ છ પ્રકારની
For Private And Personal Use Only