________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧
બધી સામગ્રીએ ભૂલ છે, માટે જ આ બધી સામગ્રીઓ મળે છે છતાં કાર્ય ધીરે ધીરે થાય છે, એમ આપણને લાગે છે. એટલે આપણે કહીએ છીએ કે-કાર્ય ઘણે કાળે ઉત્પન્ન થાય છે. પરંતુ ઉપર બતાવ્યા સિવાયની બીજી સૂક્ષ્મ સામગ્રીઓ પણ છે, તે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ વગેરે. એ સામગ્રીઓ જ્યારે મળે છે ત્યારે તક્ષણે જ કાર્ય ઉતપન્ન થાય છે. વળી ઉપરોક્ત સામગ્રીને જ આપણે ઘટમાં ઉપયોગી માનીએ તો તે માટીના પિંડને ચક્ર ઉપર ચઢાવ્યો અને તે માટીના પિંડની પ્રથમ એક આકૃતિ બની, તે આકૃતિ ઉપર બતાવેલ સામગ્રીથી જ બની છે. તે તે આકૃતિને ઘટ કહેશે ? ના. મારે કહેવું પડશે કે તે આકૃતિ એ ભવિષ્યમાં ઉત્પન્ન થનાર ઘટમાં ઉપયોગી આકૃતિ છે. એ પ્રમાણે ઘટ થવા પૂર્વે જે છેલ્લી આકૃતિ થાય છે કે જે આકૃતિ પછી તરત જ ઘટ થવાને છે, તે આકૃતિ ઘટમાં વાસ્તવિક કારણભૂત છે. અને એ આકૃતિ પછી જ ઘટ બનવાની શરૂઆત થાય છે, અને એક જ સમયમાં ઘટ બની જાય છે. એ પ્રમાણે આપણે જે કહીએ છીએ કે આ સંથારો પથરાય છે તે નિશ્ચય નયથી સંથારે પથરાતે નથી, પણ ભવિષ્યમાં થનારા સંથારાને ઉપયોગી સામગ્રી તૈયાર થાય છે. સંથારે પથરાવાની ક્રિયા તે એક જ સમયમાં થાય છે. અને તે જ સમયમાં સંથારે પથરાઈ જાય છે. ઋજુસૂત્ર (નિશ્ચય) નયમાં કાર્યની શરૂઆત અને સમાપ્તિ એક જ સમયમાં થાય છે, માટે “કરાતું એ કરાયું” “નિર્જરાતું એ નિર્જયું” ” “ચલાતું એ ચલાયું” વગેરે વચને યર્થાથ છે, અને માન્ય છે.
જમાલિને દુરાગ્રહ-ઉપર પ્રમાણે મુનિઓએ “કરાતું એ કરાયું” વગેરે વાકયોના રહસ્યને સારી રીતે સમજાવ્યા છતાં મહા મિથ્યાત્વના ઉદયથી જમાલિએ એ વાત સ્વીકારી નહીં, અને વ્યવહારનયની દૃષ્ટિએ જ ઉપરનાં વચનને જોયા કર્યા. અને ઉપરનાં વચનો મિથ્યા જ લાગ્યા કર્યા. પરંતુ ઋજુસૂત્ર (નિશ્ચય) નયની દૃષ્ટિને સમજી શક્યા નહિ અને તે પ્રમાણે તે નયને આધારે જે વસ્તુ યર્થાથ છે તે વસ્તુને પણ સમજી શક્યા નહિ અને પુનઃ પુનઃ મને તો આ સંથારાને જ કાળ લાગે છે એ પ્રમાણે કહેવા લાગ્યા.
સ્થવિરેનું પ્રભુ શ્રી મહાવીર સ્વામી પાસે જવું જે વખતે જમાલિને અને સ્થવિર મુનિઓને આ વાદ થયો તે વખતે પ્રભુ શ્રી મહાવીરસ્વામી ચંપાપુરી નગરીમાં પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં બિરાજતા હતા. છેવટે જ્યારે જમાલિ પોતાની માન્યતાને વળગી રહ્યા ને પ્રભુ શ્રી મહાવીરનાં વચનને મિથ્યા કહેવા લાગ્યા, અને જરાપણ સરલતા બતાવી ન શક્યા ત્યારે સ્થવિર મુનિઓ જમિલને સુધારવા પોતાનાથી બનતા પ્રયત્ન કરી છેવટે જમાલિને ત્યાગ કરી પ્રભુશ્રી મહાવીરસ્વામી જ્યાં બિરાજતા હતા, ત્યાં વિહાર કરીને ગયા.
સાધ્વીજી પ્રિયદર્શનાનું જમાલિના સ્નેહથી તે મતમાં જોડાવું-સ્થવિરે વિહાર કરી ગયા પછી જમાલિ પિતાની માન્યતાને પ્રચાર કરવા લાગ્યા, અને સર્વની પાસે કરાતું એ કરાયું એ મિથ્યા છે, કાર્ય ઘણું કાળે ઉત્પન્ન થાય છે, વગેરે સમજાવવા લાગ્યા. પૂર્વાવસ્થાનાં પિતાનાં પત્ની સાધ્વીજી પ્રિયદર્શના જ્યારે વન્દન કરવા માટે આવ્યાં ત્યારે તેમને પણ પોતાની માન્યતા સમજાવી. સ્નેહથી પરાભૂત થયેલાં
For Private And Personal Use Only