SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વય યુક્ત કળશને મેટાઈ પ્રમાણે વિભાગ કરીને તમારે લેવા, જેથી તમારું ગુજરાન બરાબર રીતે થશે. પુત્રાએ ‘વારુ' એ પ્રકારે પિતાનાં આદેશ ગ્રહણ કર્યા, તેના મરણ પછી તેની મૃત્યુક્રિયા કરીને તેરમા દિવસે જમીન ખાદીને બરાબર નિધિ કળશે। તેએએ લીધા. જેવા તેને ઊઘાડીને જુએ છે તેવા જ પ્રથમ કુંભમાં સેાનું, ખીજામાં કાળી માટી, ત્રીજામાં ભુસુ (અને) ચેાથામાં હાડકાં જોયાં. ત્યાર પછી મેાટાની સાથે બાકીના ત્રણે જણાએ વિવાદ કરવા માંડયા કે—અમને પણ સેનાના ભાગ કરીને આપે. તેણે તે નહિ દેતાં તેઓ અવંતીરાજની કચેરીમાં ઉપસ્થિત થયા. ત્યાં પણ તેમના વાદના નિય ન થયું. પછી તે ચારે જા મહારાષ્ટ્ર દેશમાં ગયા. સાતવાહન કુમાર તેા કુંભારની માટી વધુ હાથી, ઘેાડા, રથ અને યાદ્દાએ હંમેશાં નવા નવા બનાવીને કુંભારની શાળામાં બાળકની ફ્રીડામાં ખરાબ રીતે ચપળ થયા છતાં અને એવીસ્થિતિવાળા થઈને સમય પસાર કરતા હતા. તે બ્રાહ્મણ પુત્રા પ્રતિષ્ઠાન નગરમાં આવીને તે જ કુંભારશાળાની પાસે રહેવા લાગ્યા. ચેષ્ટા અને આકાર જાણવામાં કુશળ એવા તે સાતવાહન કુમારે તેમને જોઈને કહ્યું-હે બ્રાહ્મણેા ! તમે બધા ચિંતાતુર જેવા કેમ દેખા છે? તેઓએ કહ્યું-હે જગતમાં અદ્વિતીય સુંદર (પુરુષ) ! અમે ચિંતાતુર હૃદયવાળા છીએ તે તમે કેવી રીતે જાણ્યું ? કુમારે કહ્યું-ચેષ્ટાએથી શું નથી જાણી શકાતું? તેઓએ કહ્યું-એ બરાબર છે; પરંતુ તમારી આગળ (અમારી) ચિંતાનું કારણ કહેવાથી શું વળશે ? (કેમકે ) આપ તે બાળક છે. બાળકે કહ્યું-તેમ હોવા છતાં મારાથી તમારું ( કાય ) સિદ્ધ થશે. તે ચિંતાનું કારણ તમે કહેા. તેથી તેના વચનની વિચિત્રતાથી હરણ કરાયેલા હૃદયવાળા તેઓએ નિધિ નીકળવાથી લઈને માલવરાજની સભામાં પણ વિવાદના નિય ન થયે ત્યાં સુધીનું બધુંય પોતાનું સ્વરૂપ-વૃત્તાંત કહી સંભળાવ્યું. કુમાર તે હાસ્યથી એઠ ફફડાવતા ખેલવા લાગ્યા-ડે બ્રાહ્મણેા ! હું તમારા ઝધડાને નિર્ણય કરું છું. સાવધાન થઈ ને તમે સાંભળેા-જેને ( નિધિના ) ભંડારનારે સુવર્ણતા કળશ આપ્યા છે તે તેના વડે સંતેાષ પામે. જેના કળશમાં કાળી માટી નીકળી છે તે ખેતર-જમીન વગેરે લે. જેને ભુસું નીકળ્યું છે તે કાહારમાં રહેલું બધું અનાજ લઈ લે અને જેને હાડકાં નીકળ્યાં છે તે ધેાડા, ગાય, ભેંસ, બળદ, દાસીદાસ વગેરે ગ્રહણ કરે-એ પ્રકારે તમારા પિતાનો વિચાર હતા. એ પ્રકારે બાળક-સાતવાહનનું કહેલું સાંભળીને જેમનો વિવાદ શાંત થયેા હતેા તેએ તેનું વચન સાંભળીને તેની રજા લઈ પેાતાની નગરીમાં પાછા આવ્યા. તેમના વિવાદના નિણૅયની વાત નગરીમાં ફેલાઇ ગઈ. રાજાએ પણ ખેાલાવી પૂછ્યું કે–શું તમારા વાદ નિ થઈ ગયા ? તેમણે કહ્યું- હા, સ્વામી ! કાણે નિર્ણય કર્યાં?–એ પ્રકારે રાજાએ કહ્યુ છતે સાતવાહનનું પેાતાનું સ્વરૂપ બધુંય સત્ય રીતે કહ્યું. તે સાંભળીને તે બાળકના પણ બુદ્ધિવૈભવ જાણીને પહેલાં જ્યોતિષીએ કહેલું કે તેનું પ્રતિષ્ઠાનમાં રાજ્ય થશે એમ સંભાળી, તેને પેાતાના હરીફ શત્રુ સમજી વ્યાકુળ મનવાળા થઈ તે લાંબા કાળથી તેના મારવાને ઉપાય વિચારવા લાગ્યા. અભિમર વગેરે પ્રયાગ વડે મારતાં તેને અપયશ અને ક્ષત્રિયપણામાં ખામી આવે એમ વિચાર કરીને ચતુર ંગ સેના સમૂહને તૈયાર કરીને અવતીરાજે પ્રતિષ્ઠાપત્તન તરફ પ્રયાણ કરીને ઈચ્છા મુજબ ધેરી લીધું. તે જોઈને તે ગામવાસીઓ દુઃખી થતાં વિચાર કરવા લાગ્યા. ફ્રોધાન્વિત માલવરાજને For Private And Personal Use Only
SR No.521555
Book TitleJain Satyaprakash 1940 03 SrNo 56
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy