SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ-૬ ] ધનપાલનું આ જીવન [૧૩] રહેતા, એટલું જ નહીં પણ તેની તલીનના માં એટલી બધી થઈ ગઈ હતી કે રાજસભામાં પણ તેનાથી બહુ જ ઓછું જવાતું. અને જાણે ખાવાપીવાની પણ પરવા ન હોય એમ જ્ઞાનામૃત મનનું માનીને દિવસે પર દિવસો પસાર કર્યો. કથાની સમાપ્તિ થતાં ધનપાલે પૂજ્ય શ્રી મહેન્દ્રસૂરીશ્વરને વિજ્ઞપ્તિ કરી કે “ આ કથાનું સંશોધન કાણ કરશે?” ત્યારે મહેન્દ્રસૂરીશ્વરે કહ્યું કે-“ આ કથાનું સંશોધન શ્રી શાંતિસરી કરશે.” આ સમયે શ્રી શાંતિસુરીશ્વરજી અણહિલપુર પાટણમાં બિરાજતા હતા. એટલે ધનપાલે અણહિલપુર પાટણ આવી સુરીશ્વરજીને માનવદેશમાં પધારવા વિનંતિ કરી. શ્રી સંઘની અનુમતિથી અરીશ્વરજીએ માળવદેશ તરફ પરિવાર સહિત વિહાર કર્યો. ટુંક સમયમાં જ સુરીશ્વરજી ધારાનગરીએ આવી પહોંચ્યાં. ધારાનગરીનાં રાજા અને પ્રજાએ સુરીશ્વરનો ભવ્ય સત્કાર કર્યો. રાજસભામાં સુરીશ્વરજીએ પોતાની અપૂર્વ વિદ્રત્તાથી પાંચસો વાદીએને પરાસ્ત કર્યો. આથી મહારાજા ભોજે તેમને “વાદી-વેતાલ એ પદથી વિભૂષિત કયાં. આ બાબતમાં વિશેષ હકીકત પ્રભાવક ચરિત્રમાંના શ્રી શાંરિતિ પ્રબન્ધથી નણી લેવી. ત્યારબાદ વાદિવેતાલ શ્રી શાંતિસુરીશ્વરજીએ તિલકમંજરીનું ધાર્મિક દૃષ્ટિએ, ઉત્સત્ર બરૂ પણ ન થર જાય તેવી દષ્ટિએ, સંશોધન કર્યું, કારણકે સ્વયં કવિ “સિદ્ધસારસ્વત હોવાથી તેનામાં કાવ્યદષ્ટિએ કે સાહિત્ય દષ્ટિએ ભૂલ થાય તેમ ન હતું જ નહીં. પ્રાને સુરીશ્વરજી વિહાર કરી પરિવાર સહિત અણહિલપુર પાટણ પાછા પધાર્યા. રાજસભામાં મહારાજા ભોજ સમક્ષ પરમહંત મહાકવિ ધનપાલે “તિલકમંજરી” નું વાચન શરૂ કર્યું. એની રચના અત્યંત રસિક હોવાથી મહારાજ ભેજને તે સાંભળવામાં એટલે બધે રસ પડયો કે જાણે રખેને રસ ઢળી ન જાય તે વાતે માં બેસી ધનપાલ નિલકમંજરીનું વાચન કરતા હતા ત્યાં પુસ્તક નીચે સુવર્ણને થાળ મૂકા. * આ સૂરિજી માટે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૨૦૬માં નીચે મુજબ ઉલલેખ છે: ઉકત શતિસૂરિને (૨૧૯) પાટણમાં ધનપાલે ધારામાં આવવા પ્રેરણા કરી હતી તેથી તેઓ ધારા નગરીમાં આવી રાજા ભોજને આદર સત્કાર પામ્યા અને તેમણે સભાના સર્વ પંડિતાને જીતવાથી ભેજરાજાએ તેમને ‘વાદિવેતાલ” એવું બિરૂદ આપ્યું હતું. તેઓ ચંદ્રકુલના થારા પદ્ધ ગીય હતા. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર પર મનોહર ટીકા રચી છે, કે જે ટીકા “પાઇય ટીકા' કહેવાય છે, (કારણ કે તેમાં પ્રાકૃત અતિ વિશેષ છે, પી. ૩, ૬૩) તેમણે અંગવિદ્યા ચી-ઉદરી (કાં. વ. ન. ૯, પી. ૩, ૨૩૧; જેરસ) તેમનો સ્વર્ગવાસ સં. ૧૯૯૬માં થયે. (પ્રા.) ધર્મ શાસ્ત્રના રચનાર શાંતિસૂરિ આ હશે.” (પી. ૨, ૬૦). [ ૨૧૯-આ સરિએ ૭૦ શ્રીમાલી અને જેન કર્યા. તેમના વડગઇ હતા. પછી તેમાંથી આઠ શાખાનો વિસ્તારવાળો પિંપલગછ થશે. સં. ૧૨૨૨. (આવી) તે વીરતીર્થ સાચે નગરમાં દીપ થયો. ( પુણસાગર કૃત અંજના સુંદરી રાસ પ્રશસ્તિ. ૨. સં. ૧૬૯૯; જુઓ જે. ગૂ. કવિઓ ભાગ ૨. પૃ. ૫૩૨.] “જીવવિચાર પ્રકરણ” ના કર્તા આ જ શાંતિસૂરિ છે– " सिरिसतिसूरिसिढे करेह भो उज्जम धम्मे" જીવવિચાર પ્રકરણની ૫૦મી ગાથાનું ઉત્તરાર્ધ. For Private And Personal Use Only
SR No.521554
Book TitleJain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy