SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫-૬] નિહનવવાદ [૧૭] જિનશબ્દથી જેમણે રાગ અને દ્વેષનો ક્ષય કરેલ છે અને ભૂમિતલ ઉપર વિચરી રહ્યા છે એવા કવળી ભગવતિને સમજાવે છે પરંતુ જે જીવો ભવિષ્યમાં જિન થવાના છે તે છે વ્યજિન કહેવાય છે. પ્રતિમામાં કે ચિત્રપટમાં જે જિનની સ્થાપના કરેલ હોય છે તે સ્થાપનાજિન કહેવાય છે. અને કોઈ વસ્તુનું જિન એવું નામ આપ્યું હોય તે નામજિન કહેવાય છે. તે દ્રજિન, સ્થાપનાજિન અને નામજિનને જિન શબ્દ સમજાવતો નથી. અર્થાત જે શબ્દમાં જે વસ્તુને સમજાવવાની શક્તિ છે તે વસ્તુને માટે વાપરવામાં આવતો તે શબ્દ તેનું નામ શબ્દનય. પ્રશ્ન—આ શબ્દમાં આ વસ્તુ સમજાવવાની શક્તિ છે એ શાથી જાણું શકાય ? ઉત્તર–આ શબ્દને આ અર્થ છે, આ શબ્દથી વસ્તુ સમજાય છે એવા પ્રકારનો શબ્દનો શકિતગ્રહ ઘણે પ્રકારે થાય છે, તેમાં મુખ્ય આઠ કારણ છે, તે આ પ્રમાણે— - ૧ વ્યાકરણું–કેટલાક શબ્દોના અર્થ વ્યાકરણથી સમજાય છે. જેમકે નછતિ એ શબ્દનો અર્થ જાણ છે- તે તેમાં કાજૂ ધાતુ અને તિ પ્રત્યય છે. ધાતુના અર્થ માટે વ્યાકરણમાં લખ્યું છે કે અમુક એટલે ધાતુ ગતિ અર્થમાં વાપરવામાં આવે છે અને રિ-ત-અનિત વગેરે પ્રત્યો વર્તમાન કાળમાં ત્રીજાપુરુષ માટે વાપરવામાં આવે છે. એટલે તિને અર્થ તે છે. હવે અરતિને સંપૂર્ણ અર્થ તે ગતિમાં છે, અર્થાત તે જાય છે, એવો થાય છે. એ પ્રમાણે બીજા શબ્દોનો પણ અર્થગ્રહ વ્યાકરણથી થાય છે. ૨ ઉપમાન–ઉપમાન એટલે સાદ. તે ઉપમાન કેટલાક શબ્દનું અર્થજ્ઞાન થાય છે. જેમકે કાઈ નાગરિકને ગવય(કે) એ શું વસ્તુ છે તેનું જ્ઞાન નથી. તેના જ્ઞાન માટે કઈ વનાવાસીને તેણે પૂછ્યું કે ગવય (રાઝ) કોને કહેવાય. ત્યારે વનવાસીએ તે નાગરીકને કહ્યું કે ગાય જેવું જે પ્રાણી હોય તેને ગવય (ઝ) કહેવામાં આવે છે. નાગરીકને એક વખત વનમાં જવાનું થયું ત્યાં તેને ગવયે (રોઝ)ને જોયું એટલે તેને પેલા વનવાસીનું વચન યાદ આવ્યું કે “ગાય જેવું જે પ્રાણી હોય તે ગવાય(ઝ) કહેવાય છે.” આ પ્રાણી પણ ગાય જેવું છે માટે આ ગવય (રેઝ) છે. એ પ્રમાણે ગવય શબ્દનો અર્થ રોઝપશુ એવો થાય છે એમ જે નાગરીકને સમજાયું તે ઉપમાનથી અર્થજ્ઞાન થયું કહેવાય છે. એ પ્રમાણે અન્ય શબ્દો માટે પણ સમજવું. ૩. કેશ–કોષ એ પણ અર્થજ્ઞાન થવામાં મુખ્ય કારણ છે. તે કાષ ઘણું પ્રકારના હોય છે. જેમકે કેટલાક કાષ એકાક્ષરી જ હોય છે તેમાં એકેક અક્ષરના જે શબ્દ છે તેને જ અર્થ આપ્યો હોય છે. જેમકે 31 શબ્દનો અર્થ બ્રહ્મા વિષ્ણુનિષેધ ઇત્યાદિ થાય છે. શું શબ્દનો અર્થ કામદેવ, દયા નિન્દા વગેરે થાય છે. એ પ્રમાણે કેટલાક કાષ પર્યાયવાચક હોય છે. જેવાંક ૩fમાનચિત્તામણિ, ઉમરા, ધનંજ્ઞાનામમાત્રા વગેરે. આવા કપમાં એક શબ્દના અર્થમાં વપરાતા જેટલા શબ્દો હોય તેનો સંગ્રહ કરવામાં આવ્યો હોય છે જેમકે-- For Private And Personal Use Only
SR No.521554
Book TitleJain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy