SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન હવે પાંચ સંધયણ અને પાંચ રસ્થાન, આદ્ય સંધયણ અને આદ્ય સંસ્થાનથી ઉતરતી પ્રકૃત્તિઓ હોવાથી તે દસે પાપ પ્રકૃતિઓ જ મનાય છે. તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે છે :___ उभयतो मर्कटबन्धाऽऽकलितास्थिसंचयवृत्तिपट्टबन्धसदृशास्थिप्रयोजक कर्म ऋषभनाराचम् । બન્ને તરફ મર્કટબન્ધથી યુકત હાડકાઓના સમૂહ ઉપર પાટાના આકારે હાડકાના સમૂહને ઉત્પન્ન કરાવનાર કર્મ ઋષભનારાચ સંઘયણ કહેવાય છે. અર્થાત જેવી રીતે વાંદરાના બચ્ચાને એની મા વળગાડી લે છે અને બચ્ચે વળગી પડે છે તેવી રીનતા હાડકાઓને સંબંધ હોય, અને તેના ઉપર પાટાના આકારે પુન : હાડકાઓની મજબૂતાઈ હોય તે ઋષભનારાચ સંઘયણના નામથી પ્રસિદ્ધ છે. उभयतो मर्कटबन्धमात्रसंवलितास्थिसन्धिनिदानं कर्म नाराचम् । બન્ને બાજુ મર્કટબધ માત્રથી યુકત હાડકાઓની સબ્ધિ બનાવનારૂં કર્મ નારાચ કહેવાય છે. પહેલામાંથી વછે શબ્દ ઓછો થયો એટલે ખીલીની મજબૂતાઈ ચાલી ગઈ, અને બીજામાંથી ઋષભ અથાત પાટ પણ એ થયો. મજબૂતાઈમાં ઊણપ થઈ એટલા અંશે પાપકૃતિ ગણાય છે. ___एकतो मर्कटविशिष्टास्थिसन्धिनिदानं कर्म अर्धनाराचम् । એક જ તરફના મર્કટબધું વિશિષ્ટ હાડકાંની સધિના કારણરૂપે કર્મ હોય તે અધનારાગ કહેવાય છે. અહિં મર્કટબન્ધ પણ અડધો ગયો એટલે એને હાડકાંની સનિધની શિથીલતા પણ ઓર વધી ગઈ તેથી તે પાપકૃતિ કહેવાઈ. केवलकीलिकासदृशास्थिबद्धास्थिनिचयप्रयोजकं कर्म कीलिका । માત્ર ખીલા સાથે બદ્ધ થયેલ હાડકાઓથી બંધાયેલ હાડકાંને સમૂહ કાલિકા કહેવાય છે. ઉપર અનંતર કરેલ સંઘયણથી પણ આ કમજોર સંધાણ થયું. परस्परपृथकस्थितानामस्थनां शिथिलसंश्लेषनिदान कर्म सेवार्तम् । આપસમાં મેળ વગરના હાડકાના નહિ જેવા શિથિલ સોગનું કારણ કર્મ સેવા સંઘયણ કહેવાય છે. આ તમામ સંઘયણે પ્રથમ સંઘયણથી નીચી કોટીનાં છે એટલે એના પા૫પણામાં જરાય સંશય રહે તેમ નથી. આજે આ જ સંઘયણના બળે આપણે કામ લેવાનું છે માટે આ સંધયણથી સાવધાન રહી ધર્મમાં જ જીવન ગાળવાના હેતુથી ચારિત્રમાં રમણુતા રાખીએ તે જરૂર આવતા ભવમાં ધર્મનું નિદાન એવું ઋષભનારા સંધયણ મેળવી સર્વ પાપનો નાશ કરી મુકિતના અમાપ સુખને મેલવવા ભાગ્યશાળી બની શકીએ. પાંચ સંસ્થાનનાં લક્ષણ નીચે પ્રમાણે જાણવાં – नाभेरूवं विस्तृतिबाहुल्यसल्लक्षणनिदानं कर्म न्यग्रोधपरिमण्डलम् । नाभ्यधोभागमात्रस्य प्रमाणलक्षणवत्त्वप्रयोजकं कर्म सादि : । For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy