SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ એવા મોટા તોતીંગ પાટલા અને થાંભલા લાવવા માટે તે વખતે હાલના જેવા યાંત્રિક સાધન હતાં નહિ, છતાં ધીરજથી પાડાઓની મદદથી એ પત્થર ઉંચકી મંગાવેલા. કહેવાય છે કે એ ગાડાં સાથે એક સુથાર અને ઘી તેલનાં ગાડાં ચાલતાં, જ્યાં પણ એ અને ત્યાં પાડાઓને ઘી તેલ આપવામાં આવતું. અને ગાડું ભાગે ત્યારે સાથે રહેલે સુથાર તત્કાળ સમારી લેતો. જે ખાણમાંથી એ પત્થર લીધાં ત્યાંના ક્ષેત્રપાળને અહિંસક વિધિથી ખૂશ કરેલ. હાલમાં પણ એ ક્ષેત્ર–ખેતર–પાળ પ્રખ્યાત છે અને કેટલાય જેને તેને જૈન ક્ષેત્રપાળ માની પુત્ર જન્મ વખતે તેની યાત્રા કરે છે અને સાથે સાથે રાણકપુરજી અને ઘાણેરાવની પંચતીર્થીની યાત્રા મુખ્યત્વે કરે છે. એ થાંભલામાંથી એક સ્થંભ એ પ્રદેશના મહારાજા કુબા-કુંભકર્ણ રાણાએ બાંધવા હિંમત કરી, પણ ગુજરાતના મહારાજા વિશળદેવ વાઘેલા, જગડુશાહ આગળ દુકાળીને ખીચડીમાં તેલ આપતાં થાકી ગએલા તેમ, થાકી ગએલ, તેની યાદ યાત્રાળુઓને હજુ પણ અધુરા સ્થંભ રૂપે બતાવવામાં આવે છે. એ નગરવાળો પ્રદેશ મુંબઇથી અજમેર જતી લાઈનથી પૂર્વમાં આવેલ છે અને તે ગડવાડના નામથી જોધપુર રાજ્યમાં જાણીતો છે. એમાં નાના નાના ડુંગરે ઘણું છે તેથી એ નામ પડયું કહેવાય છે. ઈ. સ. અઢારમા સૈકાના છેવટમાં મેવાડના રાજાએ પિતાની પુત્રી જોધપુર પરણાવી તેના દાયજામાં એ મુક જોધપુરપતિને આપેલો તેથી ત્યાં જોધપુરનરેશ ઉમેદસિંહની આણ પ્રવર્તે છે. હાલના સ્ટેશનથી રાણપુર જતાં મેટરમાં ૧૧ મેલે સાદરી જતાં રૂા. ૧-૧૨-૦ લે છે. રાજ્યના ઠેકા હોવાથી મોટર ચાર્જ વધુ લેવાય છે, છતાં મોટરે સેકડહેડ અને રસ્તા તૂટેલા હોવાથી મુસાફરોને ખૂબ આંચકા આવે છે. એ માર્ગે જતાં ખુડાલા, કેટ, વાલી ને મુંડારા ગામ આવે છે. એ ગામોમાં જિનાલય છે અને પગ રસ્તે જતાં ખુડાલા, ચામલેડી, સાદરી, ટીપરી ને મુંડારા ગામે આવે છે. એ બાજુમાં ડુંગરા ઘણું હેવાથી જોખમ લઈ એકલા જવું જોખમ ભરેલું છે. મેંણું, સાંચી ને ભીલ કોમો ગરીબાઈના અંગે લૂંટફાટ પણ કરતી. ઈડરની ગાદીએ આવનાર રાઠોડ પ્રતાપસિંહે એ પ્રજાપર ખૂબ ધાક બેસાડેલી તેથી જરા શાંતિ ખરી છતાં ચોકીદાર રાખ ઇષ્ટ છે. ત્યાંના જંગલમાં વાઘ, હાર, રીંછ, ઉદવેગળા (વાધ અને સિંહની મિત્રતાથી થએલી જાત) દીપડા, ચિત્તા ને નામનાં જંગલી પ્રાણીને ભો છે. કુરૂ એ નાનકડું પ્રાણુ ઉચે ઉછળવામાં જમ્બર છે. તે સિંહ જેવા પ્રાણીને ઉંચે ઉછળી બોચી પર પકડી મોટા તીણ નહેરથી મારી નાખે છે. શિઆળાની મોસમમાં બોર થાય છે ત્યારે રીંછને ત્રાસ જમ્બર છે. તેથી એ મારવાડની પંચતીથીની યાત્રાએ જનારે સાદરીમાં શેઠ આણંદજી કલ્યાણજી (દેવકી પેઢી સાદરી)ની શાખા પેઢી છે તેમાંથી ચોકીદાર રાણકપુર કે ઘારાવ જવા અગર ફાલના કે રાણી સ્ટેશને જવા લેવો. ફાલના રાણી માટે પઢીના સિપાઈ, યાત્રાળુના પ્રમાણમાં આવે છે અને ગાડા દીઠ રૂ. ૮-૧૨–૦ આપવા પડે છે, જ્યારે રાણકપુર માટે રૂા. . -૮–૩ ગાડા દીઠ લેવાય છે; અને મેંણું ચેકીદારને મોક લાવાય છે. જ્યારે ઘારાવના રૂા. ૦-૪-લેવાય છે. હિંદુ મેંણાઓની એ ચેકી ઘણું For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy