SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૧] શ્રી જન સત્ય પ્રકાશ ઉચું છે. એમની સર્વતોમુખી પ્રતિભા અને પાહિત્ય એમના ગ્રંથોમાં સ્થાન સ્થાત ઉપર નજરે પડે છે. આટલું છતાંય આ મહાન ધર્મગુરૂમાં સાંપ્રદાયિકતાનું નામ નિશાન નથી જણાતું. એમની ઉદારતા, મહાનુભાવતા, સમવૃત્તિ અને માધ્યસ્થભાવ ભારતીય પુણ્યશ્લોક ઇતિહાસમાં એમને ઉચ્ચ આસન અપાવે છે. તેમણે સિદ્ધરાજની સભામાં અપૂર્વ માન મેળવ્યું, મહારાજ કુમારપાળને પ્રતિબધી જૈનધર્મી બનાવ્યું, છતાંય લેશ પણ અભિમાન ન મળે. વળી રાજસત્તા દ્વારા કદી કોઈ પણ અન્ય ધર્માવલંબી ઉપર સહેજ પણ દબાણું બતાવ્યા સિવાય જૈનધર્મની ઉન્નતિ–ઉદ્ધાર માટે તેમણે પ્રયત્ન કર્યો છે. આ સિવાય શ્રીહેમચંદ્રાચાર્યજીએ સિદ્ધરાજ અને કુમારપાલને સત્તા જો પર નો ઉપદેશ આપ્યું અને યોગ્ય રાજ્યધર્મ, ક્ષાત્રધર્મ સમજાવી પ્રજાનું હિત, સુખ અને ભલાઈ માટે પણ ઘણા પ્રયત્ન કર્યો છે. મહાભારત અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોના આધારે રાજાઓને શિકાર શા માટે ખેલ જોઇએ એનું વરૂપ સમજાવી રાજાઓને શિકારના છેદે ચઢવું ઉચિત નથી એમ બરાબર ઠસાવ્યું. શિકાર, જુગારખાનાં, દારૂના પીઠાં અને પ્રજાને બરબાદ કરનાર અને માદક ચીજો અને પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ અંકુશ રેખા અને ભચારને સખ ગુહા તરીકે જાહેર કરાવ્યો. કુમારપાલને જૈનધર્મી બનાવ્યા પછી દેવીઓને અપાતાં નિર્દોષ પશુઓના બલિ બંધ કરાવ્યા, સ્ત્રીધનની રક્ષા કરાવી, અપુત્રિયાનું ધન ન લેવાને કાયદો બંધ કરાવ્યું, અન્યાય, લાંચ માટે સખ્ત કાયદા કરાવ્યા. કોઈ પણ નિર્દોષ, નિરપરાધિ, અનાથ, દુઃખી છર ભાર્યો ન જાય, અન્યાય ન પામે એવા કાયદા કરાવ્યા. શ્રી હેમચંદ્રાચાર્યને સર્વધર્મ સમભાવ આપણે પ્રથમ જણાવી ગયા તેમ હેમચંદ્રાચાર્યમાં અપૂર્વ ધર્મસમભાવ હતો. કુમારપાલને તેમણે પ્રભાસપાટણના પ્રસિદ્ધ શિવાલયને ઉદ્ધાર કરવા પ્રેર્યો. બ્રાહ્મણે અને રાજના અત્યાગ્રહથી તેના પ્રતિષ્ઠાઉ સવ સમયે સિદ્ધાચલજી, ગિરનારજી આદિની યાત્રા કરી હેમચંદ્રાચાર્ય હાજર રહ્યા અને ત્યાં સ્તુતિ કરતાં બોલ્યા यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया। वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् ! नमोऽस्तु ते ॥ ગમે તે સમયે, ગમે તે રીતે અને ગમે તેવા નામ વાં, જે વીતરામ એક જ છે તે તું હે તે હે ભગવન તને મારે નમસ્કાર થાઓ. भवबीजांकुरजनना रागाद्या क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तमै॥ સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દેશે ક્ષીણ થઇ ગયા છે એવા બ્રહ્મા હા, વિષ્ણુ હે, મહાદેવ છે કે જિન હે-ગમે તે હું તેમને નમસ્કાર થાઓ. આ સિવાય આખું નવું મહાદેવસ્ટોત્ર રચ્યું અને મહાદેવનું યથાર્થ સ્વરૂપે દર્શાવ્યુप्रशान्तं दर्शनं यस्य सर्वभूताभयप्रदम् । माइल्यं च प्रशस्तं च शिवस्तेन विभाव्यते ॥ १॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy