SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૯ ] મહારાજા કુમારપાળ ૧૦. ઉપરનાં પ્રમાણે ગુ. કુમારપાળને ૩માાતિવરનું વિશેષણ આપવાના વિરૂદ્ધમાં જાય છે, એટલે કુમારપાળ માટે વપરાતું એ વિશેષણ વાસ્તવિક નથી એમ કેમ ન માનવું? “નાપતિવધપ્રતા' વિશેષણનાં કારણે કુમારપાળને માટે માતાનું વિશેષણ વપરાયું છે તેનાં કારણે નીચે પ્રમાણે હોઈ શકે– 1. કુમારપાળ સં. ૧૨૧૮ સુધી શેવ ધર્મી હતા અને તે લેખકે પણ શૈવ છે, એટલે રાજ્યપ્રાપ્તિમાં સાધારણ જનતામાં પ્રચલિત “ઇશ્વકૃપાની મહત્તા બતાવવી. રત્નપુરની રાણીએ રાજા માટે અને સિદ્ધરાજે દરેક સોલંકી રાજ માટે આ વિશેષણ વાપર્યું છે. ૨. કવિ શ્રીપાલની ચાર ઉપમા પૈકીની એક ઉપમાએ સાચી ઘટનાનું રૂપ પકડયું અને ત્રણ ઉપમાઓ ઉપમા રૂપે જ રહી. ૩. શિવ રાજાઓ વિશ્વાસુ બની રહે અને અમારિ રૂઢીને શિવ ફરમાન રૂપે જ અપનાવે. ૪. સોમનાથ પાટણમાં સેમેશ્વર કુમારપાળને આપેલ ઉપદેશના આધારે આ વાત ઘડાઈ હોય. ૫. થા નાગા તથા પ્રજ્ઞા એ ન્યાયે પ્રજા ઉમાપતિની ઉપાસક બની રહે અને શિવમહાભ્યને પ્રચાર થાય. કેમકે આ વિશેષણને પ્રથમ પ્રાદુર્ભાવ ગુજરાતની બહાર થયો છે. પુપિકાના શબ્દો, તામ્રપત્રના પરિપથતિ ઈત્યાદિ અવતરણ રૂપે છે. પુષિકાને લેખકો અજન છે. ૬. વલ્લભી વંશના કેટલાક રાજાઓ જૈન તથા બૌદ્ધ હતા છતાં તેને માટે પરમમાહેશ્વર લખાય છે. કુમારપાળ પછીના રાજાઓએ એ નીતિ અખત્યાર કરી હોય. ૭. પરમ માહેશ્વર, નિષ્કલંકાવતાર કે નારાયણાવતાર વિશેષણે વાપરીને રાજાઓને શાત કે ખુશી કરવા માટે બુદ્ધિમાની વાપરી હોય ! ૮. કુમારપાળ જૈન હતું એ વાતને ભૂંસી નાખવા માટે જ ખાસ આ રોજના તૈયાર કરવામાં આવી હોય. ૩માાતિવાદને પ્રચાર થવામાં ઉપયુકત કોઈ પણ કારણ હોઈ શકે. ઉકતવિશેષણની અવાસ્તવિકતા તત્કાલીન શિલાલેખનો સમન્વય કરતાં સમruતવરનું વિશેષણ વાસ્તવિક લાગતું નથી. કુમારપાળે એ વિશેષણ સ્વીકાર્યું નથી, તામ્રપત્રમાં ઉતાર્યું નથી, શિલાલેખોમાં કોતર્યું નથી, અને પિતે આખર સુધી શેવ બની રહ્યો નથી. પછી તેનું એ વિશેષણ કેમ હોઈ શકે? કુમારપાળનાં ધાર્મિક કાર્યો ગુકુમારપાળના સમકાલીન પ્રકારોએ તેના નૈષ્ઠિક અને ધાર્મિક જીવન પર ઘણું જ પ્રકાશ પાડે છે, જેને સાર નીચે પ્રમાણે છે-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy