SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૮) જેનલન અને પત્ર દાન સિદ્ધિક ભગ્ય છ છેવટે મેહરાજને હણીને વાસ્તવિક પૂરેપૂરી આત્મરમણતા પામે, એમ કહેવું યોગ્ય જ છે. એ પણ ન જ ભૂલવું જોઈએ કે પૂર્વોક્ત જ્ઞાનરૂપી અખૂટ ખજાનાના પ્રતાપે જ અશાતા વેદની દિ કર્મોના ઉદય કાલે મહાત્માઓને લગાર પણ કલેશ થતો નથી, આ વાત તે ગીતા પણ કબુલ કરે જ છે, જુઓ આ રહ્યો તેને સાક્ષિ – શનિનનિશ્વાર, શાકાળી છે न क्लेशो ज्ञानिनो धैर्यात् , क्लिश्यत्यज्ञो अधैर्यतः ॥ १ ॥ આ બાબતમાં અન્યત્ર નજર ફેંકતાં, એકાંતવાદીઓ પણ પોતાની માન્યતા પ્રમાણે જ્ઞાનને પરમપદના કારણરૂપે તે માટે જ છે, એમ તેઓના જ શાસ્ત્રમાં કહેલા (૨) જ્ઞાનાન્ન મુઃિ (૨) જયંતિતરવજ્ઞ: કુરચરે જાત્ર ૪ (૨) જ્ઞાનદિઃ રામનિ મહારાજન, વગેરે પાકેથી સિદ્ધ થાય છે. તે છતાં તેઓ અપેક્ષા જ્ઞાનના અભાવે એકલા જ્ઞાનથી જ મુક્તિ માને છે. એટલે ક્રિયાને સ્વીકારતા નથી. અને જૈન દર્શન જ્ઞાન યુકત કયાથી મુકિત માને છે. એટલે જ્યારે અલગ અલગ જ્ઞાનમાં અને ક્રિયામાં પરમપદ દેવાનું દેશથી સામર્થ્ય છે ત્યારે સંપૂર્ણ સામર્થ્ય તે ભેગા ભળેલા (દર્શન સહિત) બંનેમાં જ રહેલું છે, જેમ ગાડાને ચલાવવાનું સામર્થ દરેક પડામાં અમુક અંશે છે અને બંનેમાં સવશે રહેલું છે. એ પણ યાદ રાખવું કે જ્ઞાન વિનાની ક્રિયા આંધળાને જેવી કહી છે. અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળા માણસની જેવું સમજવું. આથી એમ સાબીત થયું કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મેક્ષમાર્ગ છે એટલે ત્રણેની સમૃદિત આરાધના કરવાથી મેક્ષ મળી શકે છે. સુપાત્ર દાન આવા મોક્ષ માર્ગની આરાધના કરવામાં ઉજમાલ જે હોય તે સુપાત્ર (મુનિરાજ વગેરે) કહેવાય. તેઓ પિતે સંસારસાગરને તરેલા છે અને તરે છે તેમજ બીજા ભવ્ય જીને પણ તારવા સમર્થ છે. પાત્રની પરીક્ષા કરવાના સંબંધમાં બીજા ગ્રંથોમાં યુધિષ્ઠિર અને ભીમના સંવાદ પ્રસંગે-કૃષ્ણદીપાયને બંને ભાઈને સમજાવ્યું કે હે યુધિષ્ઠિર, જેમાં વિદ્યા અને તપ (ચારિત્ર-ક્રિયા) બંને હોય તે જ પાત્ર કહેવાય. આવા સુપાત્રના ગુણો જેમાં ન હોય તે કુપાત્ર કહેવાય. એટલે જનદર્શનમાં જેની શ્રદ્ધા ન હોય, વસ્તુ સ્વરૂપનો જેને યથાર્થ બોધ ન ડેય, સદ્વર્તન (મહાવ્રત-વ્રતાદિની આરાધના) ન હોય તેઓ કુપાત્ર કહેવાય. આ પ્રમાણે સુપાત્રદાનના પ્રસંગે કુપાત્રને ગુરૂબુદ્ધિથી દાન ન દેવાય એ બીના સમજવા માટે પાત્ર-કુપાત્રનું રવરૂપ દુકામાં જણાવ્યું. આવા દાનના પ્રસંગે ભવ્ય જીવોએ યાદ રાખવું કે સુપાત્રને અકથ્ય (ન ખપી શકે તેવા) પદાર્થો ન દેવાય, કારણ કે તેમ કરવાથી અલ્પાયુષ્યને બંધ પડે છે. અલ્પાયુષ્ય બાંધવાનાં ત્રણ કારણે આ પ્રમાણે સમજવા- . જેને હgવાથી, ૨. જુઠું બોલવાથી અને ૩. સુપાત્રને દૂષિત વસ્તુ આપવાથી. વળી સુપાત્રને તરછોડીને દાન ન દેવાય. કારણ કે તેવી રીતે દેનારા જેવો લાંબુ (ઘણું રિથતિવાળું) Jain Educati_અંશમાયુષ્ય બાંધે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy