________________
અંક ૭]
ભગવાન સહાવીર અને માંસાહાર
૩૮૦ ]
વિદ્વાન લેખક શ્રીયુત પટેલે “ભગવતીસૂત્ર'ના પંદરમા મતકમાં આવેલા શાશાળાના પ્રસંગને સૌથી પહેલાં હાથ ધર્યો છે. ગશાળાને અને ભગવાન મહાવીર સ્વામીને સંબંધ ભગવતીના પંદરમા શતકને અનુસરે તેમણે વિસ્તારથી આલેખે છે. ગોશાળ મહાવીર સ્વામી પાસે આવે છે. ભગવાન મહાવીરના બે શિષ્યોને ગોશાળાએ તેજલેશ્યાથી બાળી મૂક્યા અને પછી મહાવીર સ્વામી ઉપર તેજે છેડી. એ તેલેસ્યા મહાવીરસ્વામીને કંઈ પણ અસર કરવાને બદલે તેમના ઉપર અફળાઈ ગોશાળા ઉપર પાછી પડી. ગોશાળાએ મહાવીરસ્વામીને કહ્યું “તું છ મહીનાને અને દાહની પીડાથી મરણ પામીશ.” ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું “હું તે હજુ સોળ વરસ સુધી તીર્થંકરપણે વિચરીશ, પણ તું હારા જ તેજથી પરાભવ પામીને સાત રાત્રિને અંતે મરીશ.” બરાબર ગોશાળે સાત રાત્રિએ મરી ગયો. મહાવીર સ્વામીને પેલી તે જેલેસ્થાની અસરથી મરડે થયો. સિંહ નામનો મહાવીરસ્વામીને શિષ્ય અણગાર પણ દુઃખી છે. ભગવાને જ્ઞાનથી જેમાં તેને પિતાની પાસે બોલાવી કહ્યું “તું ચિન્તા કરીશ નહિ, હું હજુ સોળ વરસ જીવવાનો છું.” તે પછી ભગવતી સૂત્રમાં આ પ્રમાણે પાઠ આવે છે-- " तत्थ शं रेवतीए गाहावइए मम अटाए दुवे कपोयसरीरा उपक्खडिया तेहिं नो अठो अत्थि। से अण्णे पारियासिए मजारकडे कुक्कुडभसए તમાદાર, તેમાં કો” | ઈત્યાદિ
શ્રીયુત પટેલ ઉપર્યુંકત પાઠનો આમ અર્થ કરે છે-“(તું મેંટીક ગામમાં રેવતી નામની બાઈ છે તેને ત્યાં જ તેણે મારા માટે બે કબુતર રાંધીને તૈયાર કર્યા છે. પણ તેને કહેજે કે મારે તેનું કામ નથી. પણ ગઈ કાલે બિલાડાએ મારી નાખેલા કુકડાનું માંસ તે તૈયાર કર્યું છે તે આપ.”
આમાં જે વિવાદગ્રસ્ત શબ્દો છે તે આ છે-“ સર” “ ” આ શબ્દોના અર્થો શ્રી પટેલ અનુક્રમે આમ કરે છે-“બે કત (કબૂતર) ના શરીર” “બિલાડ મારેલ” “કુકડાનું માંસ ” આ અર્થ કરીને તેઓ બતાવવા ચાહે છે કે “મહાવીરસ્વામીએ તેજોલેસ્થાની ગરમીથી થએલી મડાની બિમારીમાં બિલાડાએ મારી નાખેલા કુકડાનું માંસ ખાધું હતું.”
ઉપરના શબ્દોનો જે અર્થ તેઓ કરે છે તે સિવાય બીજો કોઈ અર્થ કષમાં થતું નથી” એમ તેઓ જણાવે છે. મને લાગે છે કે આ લેખકે જૂના કે તરફ ધ્યાન આપ્યું લાગતું નથી. હું એમનું અને બીજા વાચકોનું ધ્યાન ખેંચ્યું છું કે જૂના કેજોમાં આવા પ્રાણીવાચક દેખાતા અનેક શબ્દ વનસ્પતિવાચક શબ્દોમાં વપરાએલ આવે છે. નિર્ણયસાગર પ્રેસમાં પ્રકાશિત “અભિધાનસંગ્રહ” નામના સંગ્રહમાં નિબં, નામને કષ છપાયો છે તેના ૧૩૯ અને ૧૪૦મા શ્લેકમાં આ શબ્દો છે--
" पारावते तु साराम्लो रक्तमाल : पराषतः। आखेतः सारफलो महापारावतो महान् ।। For Private & ફોસાઇ
www.jainelibrary.org
Jain Education International