SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [ v] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : બધું ટોળું રાજમહેલે પહોંચ્યું. રાજમાતા પાસે પણ આ પુત્રની પ્રશંસા પહોંચી ગઈ. બ્રાહ્મણે એ પણ રાજાને ખુશી થઈ ખબર આપ્યા. “રાજન, બરાબર બત્રીશ લક્ષણે જ મળે છે. યજ્ઞ થતાં જ કમાન ચઢી સમજી લે.” અમરે “રાજ મને બચાવો ! રાજમાતા મને બચા!” એમ કહી કરૂણ આકંદન કર્યું. આજે તેનું કોઈ વાલી નહોતું. એણે જૈન સાધુઓ પાસે સાંભળ્યું હતું વેજ તેનું એને ભાન થયું, એને પોતાના ગુરૂના વચન ઉપર વિશ્વાસ હતો. એણે નમસ્કાર મંત્ર કંઠસ્થ કર્યો અને ખુબ ધીમેથી રાગબદ્ધ ગાવા માંડે. એ મંત્રમાં એવું શું ભર્યું હતું કે ગણતાં જ તેને આનંદ થવા માંડયો. એણે હવે રડવાનું છેડી દીધું. ભરવાનું તે એક જ વેળા છે. ત્રીજે દિવસે તેને હીરા અને માણેકથી ખૂબ શણગારવામાં આવ્યો. તે હસતે મેઢે યજ્ઞ પાસે આવ્યો. એને ખાતરી હતી કે કઈ દેવ આપશે અને મને બચાવી લઈ જશે. તેણે નમરકાર મંત્રને અખંડ જાપ જારી રાખે. બધા બ્રાહ્મણે મંત્ર જપતા હતા, યજ્ઞ મહામુશ્કેલીએ સળગ્યે, શરૂઆતમાં જ મંગલ કલશને ઘટ કૂટયો. બધા શંકાફૂલ થયા. આજે કાંઈ નવાજુની અવશ્ય થશે એમ લાગ્યું. બાલકના મંત્રની બધાને અદ્દભુત અસર થવા લાગી. પહેલાં તો યજ્ઞ કરાવનાર પેરેહિત પડી ગયા. તેમને લાગ્યું. રાજા પણ યજ્ઞ આગળ આવતાં જ પડે અને તેને પણ બરાગર વાગ્યું. યજ્ઞમાં આગ લાગી, મંડપ બળ્યો, આહુતિ દ્રવ્ય ભસ્મ થઈ ગયું. કેટલાક નાકા, કેટલાક તમારે જોવા આવ્યા. બધાને લાગ્યું આવા દેવકુમાર જેવા બાલકને ભારતાં કોઇને દયા ન આવી. સાવ નિર્દોષને ભાગ લેવામાં આવું પરિણામ ન આવે તે બીજું શું થાય? પણ હવે તે વાત વધુ વફરી હતી. રાજા અને રાણીના મુખમાંથી લોહી વમન થતું હતું. બ્રાહ્મણે પણ ઊંધા પડયા હતા. રાજાએ ઉઠી કુમારને નમસ્કાર કરી કહ્યું. “ભાઈ હવે છોડ! આ રાજપાટ તને આપું છું.” નમસ્કાર મંત્રને પ્રભાવ બરાબર જામ્યો હતે. કુમાર તે સિંહાસન ઉપર ચઢી બેઠો અને બે — “રાજન, મારે રાજપાટ નથી જોઈતું, એ તે ક્ષણિક છે,-મિથ્યા છે. એ તને નરકાગારમાં પહોંચાડશે. મારે ત્યાં નથી જવું, પણ આજથી પ્રતિજ્ઞા કરી કે યજ્ઞમાં કઈ પણ જીવને ન હોમ. યજ્ઞમાં મરનાર છવ નરકે જાય છે, મારનાર પણ નરકે જાય છે અને પાપપુંજ એકઠો કરે છે. વેદમાં આ યજ્ઞ કરવાનું લખ્યું જ નથી.” આમ કહી કુમાર ચાલી નીકળે અને સાધુ બની ગયે. જેના પ્રતાપે પોતે જીવન પામ્યું હતું એ પદ-એ સ્થાન તેને વધારે ગમ્યું. એણે તે ગામ બહાર સ્મશાનમાં જઈ કાયા વસરાવી દીધી. શરીર ઉપરનું મમત્વ છોડયું. કાઉસ્સગ ધ્યાને મુદ્રા લગાવી તે ધ્યાનમાં મગ્ન થયે. ગામમાં વીજળીવેગે આ વાત ફેલાઈ ગઈ. કંઈક કંઈક બેસું કોઈક કંઈક બેલું. અમરનાં માતપિતાને ઘણાએ ફિટકાર આપે તે કઈકે મનમાં રાજાને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy