SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્લભ પંચક લેખક–આચાર્ય મહારાજ શ્રી વિપવસૂરિજી (ગતાંકથી ચાલુ) પ-શમિ (મુનિને દાન-અહીં શમિ શબ્દની શરૂઆતમાં “શ” હેવાથી પાંચમા શકાર તરીકે “શમિદાન જણાવ્યું છે. શમિ પદે કરી ઉત્તમ સમ (શાંત સ્વભાવ ગુણ નિધાન શ્રી તીર્થંકરદેવ, ગણધરાદિ ગુણવંત મહાપુ લેવા. તેમને દાન દેવાને પ્રસંગ પૂરણ પુણે જ આસનસિદ્ધિક ભવ્ય છ પામી શકે, આવા આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઇને શમિદાન દુર્લભ કહ્યું છે. આમાં દાયકાદિ ત્રણની બીના ઉપર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છેઃ (૧) દાયક, (૨) ગ્રાહક અને (3) દેવા લાયક પદાર્થ શ્રી તીર્થંકર દેવે દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મ કલ્પી છે તેમાં દાનને શીલાદિની પહેલાં લેવાનું કારણ એ છે કે-દાનધર્મ-દાયક, ગ્રાહક અને અનુમોદક એ ત્રણેને તારે છે. તે ઉપર સંક્ષિપ્ત દષ્ટાંત આ પ્રમાણે જાણવું – ભવ્ય રૂપવંત અને મહાતપસ્વી મહાત્મા બલભદ્રજી, જંગલમાં આકરી તપસ્યા કરી જ્યારે પારણના પ્રસંગે નગરાદિમાં ગોચરી આવ્યા ત્યારે કૂવા કાંઠે પાણી ભરવા આવેલ નારીઓ એ મહાત્માનું રૂપ જોવામાં એવી ભગ્ન થઈ ગઈ કે તેમને પોતાના કામને ખ્યાલ જ ન રહ્યો. પિતાના ભવ્ય રૂપ નિમિત્તે થતે આ અનર્થ જોઇને એ મહાભાએ અભિગ્રહ લીધે કે “જંગલમાં જે મળે તેથી નિર્વાહ કરે ઉચિત છે. આવા (૩રામાં પાનાનું અનુસંધાન). ઉઠાવી કહેવામાં આવે કે નિશ્ચયનયના મતે આત્મા જ મેક્ષ માગે છે, અને રૂચિ એટલે સમ્યકત્વ તે પણ આત્મા જ છે, બીજું કોઈ નથી, તે અવિપ્રણાશરૂપ બાહ્ય હેતુ જણવવાનું પ્રજન શું? આના સમાધાનમાં ખુલાસે કરવામાં આવે છે કે આ કહેવું સાચું છે, પરંતુ વ્યવહાર નયની માન્યતા પ્રમાણે જેવી રીતે તીર્થંકર ભગવાને મોક્ષમાર્ગને ઉપદેશ આપતા હોવાથી માર્ગોપકારી કહેવાય છે, તેવી રીતે તે પણ સારી સિદ્ધ ભગવાને પણ અવિપ્રણાશ ગુણને લીધે માર્ગોપકારી કહેવાય છે. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજાઓ સંબંધમાં વિચાર કરીએ. પરમ ઉપકારી ગુરૂમહારાજ-આચાર્ય ભગવંત પતે આચારમાં સદાકાળ તત્પર હોય છે અને બીજાઓને આચારને ઉપદેશ પ્રદાન કરે છે, તેથી તેઓ પૂજ્ય છે. ઉપાધ્યાય મહારાજ પોતે વિનયવાન હોય છે અને શિષ્યને સૂત્રપાદાતા . તેઓને કર્મવિનયન (દૂર કરવામાં સમર્થ વિનયનું શિક્ષણ આપે છે, તેથી તેઓ પૂજ્ય છે. સાધુ મહારાજાઓ આચારવાની અને વિનયવાન હોઇ મેક્ષ સાધનમાં સહાય આપનાર લેવાથી પૂજ્ય છે. | (ચાલુ) ૧ જુઓ વિ . ગા. ૨૯૫૭-૫૮ Jain Education Inn પિકચરામપિયાનો સિલિન: (ાઘરા ૨૦૩).ww.jainelibrary.org
SR No.521541
Book TitleJain Satyaprakash 1938 12 SrNo 41
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size903 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy