________________
દુલભ પંચક
રિર૯]
કી નદીસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે- “સવનીકાળ અવતરણ તમારે विकचुग्धाडिओ चिट्ठइ, जइ पुण सोधि आवरिजा तो णं जीवी अजीबत्तण
વિકસિ | ચાલુ પ્રસંગે દૃષ્ટાંત એ છે કે-જેમ સૂર્ય પુષ્કત ગાઢ વાદળાના સરહથી ઢંકાયો હોય તે પણ તેને કંઈક પ્રકાશ તે ખુલ્લો હોય જ છે કે જે દ્વારા દિવસની ખાત્રી થઈ શકે છે. એમ ન હોય તે રાત દિવસને તફાવત જાણી શકાય નહિ. તેમ અહીં તમામ છ અક્ષરને અનંતમો ભાગ ખુલ્લો હોય છે. ઉપર કહેવામાં આવ્યું તેમ સહુથી થેડામાં થડે જ્ઞાનને અંશ નિગદના જીવને ઉત્પત્તિસ્થાનમાં પહેલે સમયે હોય છે. તે પછીના સમયમાં તે જ્ઞાનાંશ વધતો જાય છે. એમ કંઠ બાકીના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં પણ જેમ જેમ ઇંદ્રિયલબ્ધિ અને યોગલબ્ધિ વધતી જાય, તેમ તેમ જુદી જુદી જાતના ક્ષમશમને અનુસારે અનુક્રમે જ્ઞાનાંશ વધતા વધતા ઘાતિ કર્મો હઠે ત્યારે સંપૂર્ણ સાન થાય છે.
પ્રશ્ન-આત્માનું લક્ષણ “જ્ઞાન” કહ્યું તેથી એમ સાબીત થાય છે, સાસ્ના (ગળકંબલ) અને બળદની પેઠે આત્માથી જ્ઞાન અલગ ન જ મનાય. અને જે તેમ માનીએ તો આત્માને સર્વ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. તેમ કેમ હોતું નથી? વળી જ્ઞાનરવ ૫ આત્મા અમુક બાબત જાણતા નથી એ પણ ન જ કહી શકાય. તેમજ તાનારૂપ આત્માને (૧) સંશય, (૨) અવ્યકત (અષ્ટ) બેધ, (૩) અબાધ (નહિ જાણવાપણું ), (૪) અને વિપરીત બાધ ( ગેરસમજણ) કઈ રીતે ઘટે?
ઉત્તર–જો કે આત્મા જ્ઞાનસ્વરૂ૫ છે તે પણ જ્ઞાનાવરણુીથાદિ કર્મશજાના પંઝામાં સપડાયેલ હોવાથી તેને એક પદાર્થમાં નિરંતર ઉપગ ટકતો નથી. આમ કહેવામાં ખરું રહસ્ય એ છે કે જેટલા લોકાકાશના, ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના પ્રદેશે છે તેટલા જ એક આત્માના પ્રદેશ છે. તેમાં મધ્યભાગે આઠ પ્રદેશે ગાયના આંચળની માફક ઉપર નીચે બે વિભાગમાં રહેલા હોવાથી તે રૂચિકર પ્રદેશ કહેવાય છે. તે સિવાયના તમામ આત્મપ્રદેશ ઉકળતા પાણીની માફક ઉપર નીચે આદિ સ્થલે ફર્યા કરે છે. એટલે જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે તે ખદખદે છે (ચારે બાજુ ફરે છે) તેમ મન, વચન, કાયાના વ્યાપાવાળા દરેક આત્માના પ્રદેશે જ્યાં સુધી તેરમા ગુણસ્થાનકથી આગળ ન જાય એટલે યોગ પ્રવૃત્તિ ચાલુ રહે, ત્યાં સુધી દરેક સમયે સાંકળની કડી (ઓ)ની માફક સંબદ્ધ રહેલા દરેક આત્મપ્રદેશ ઉપરથી નીચે અને નીચેથી ઉપર આવે છે. એટલે માથાના આત્મપ્રદેશ પગે આવે અને પગના આત્મપ્રદેશે માથાના ભાગમાં આવે. એમ દરેક સમયે થાય. સત્ય પરિસ્થિતિ (બીના) આવી છતાં પણ એક પણ પ્રદેશ આત્માથી અલગ થતો જ નથી. જેમ-પવનથી જલાશયનું પાણી હાલે, તેથી પાણીના કણિયા પણ હાલે છે, પણ તેથી તે કણીયા જલથી જૂદા પડતા નથી, તેમ આત્મપ્રદેશે દરેક સમયે હાલે તાપણુ આત્માથી કોઈ પણ પ્રદેશ
૨ અક્ષર એટલે સાકાર (જ્ઞાન) ઉપગ અને અનાકાર (દર્શન) ઉપયોગ, ૩ ગાયના આંચળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org