SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક (૨) કાલધાર-અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા સમાં જ આ મહર્ષિઓના જન્મ હોય છે, અને જિનકલ્પ ત્રીજા, ચેથા અને પાંચમાં એમ ત્રણ આરામાં હોય છે. ઉસર્પિણી કાળમાં તે જિનકલ્પ ત્રીજા, ચોથા, આરામાં જ " છે, અને જન્મ બોજા, ત્રીજા અને ચોથા એમ ત્રણે આરામાં હોય છે. મહાવિદેહક્ષેત્ર માં નિરંતર ચોથો આરો વિદ્યમાન હોવાથી જન્મ અને અસ્તિત્વ બને અહર્નિશ હોય છે. દેવ વગેરેના સંહરણને લઈને સમસ્ત કાળને વિષે પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે સર્વ આરાવાળાં ક્ષેત્રે સંભવી શકે છે. (૩) ચારિત્રહાર–જિનકલ્પ અંગીકાર કરતી વખતે સામાયિક યા કેપસ્થાપનીય ચારિત્ર હોય છે. પરંતુ જિનકલ્પ અંગીકાર કર્યા બાદ કોઈ મત વુિં ઉપશમશ્રેણું માંડે,૧૨ તેને શ્રેણિ અવસ્થામાં સૂક્ષ્મસંપાય અને યથાખ્યાત ચારિત્ર હોય છે. (૪) તીર્થધારતીર્થકર ભગવંતનું તીર્થ પ્રવેલું હોય, અથવા તીર્થ પ્રવર્યા પછી વિચ્છિન્ન થઈ ગયેલું ન હોય, એ સમયે જિનકલ્પને લે. (પ) પર્યાયકાર–પર્યાય બે પ્રકાર છે. એક ગૃહસ્થપર્યાય અને બીજો પતિપર્યાય. તે બન્નેના પણ બે ભેદે છે. જધન્ય અને ઉત્કૃષ્ટ તેમાં ગૃહસ્થ પર્યાય જઘન્યથી ર૯ વર્ષને હવે જોઈએ, અને યતિપર્યાય જઘન્યથી વીસ વર્ષને હોવો જોઈએ. અને બન્નેને ઉત્કૃષ્ટ પર્યાય દેશનપૂર્વ કેટિ વર્ષ સુધી જાણ. (૭) આગમાર-આગમ નવું ભણે નહીં. પૂર્વે ભણેલુ હોય તે ભૂલી ન જવાય તેને માટે અહર્નિશ પક્ષનુપૂર્વી યા પૂર્વનુપૂર્વીથી સંભાળે. જિનકલ્પ અંગીકાર કરનાર મહાપુરૂષનું જ્ઞાન જધન્યથી નવમા પૂર્વની તૃતીય વસ્તુ સુધી, અને ઉત્કૃષ્ટ કાંઈક ઉણાં દશ પૂર્વ હાય. (૭) વેદકાર–જિનકલ્પ લેતી વખતે સ્ત્રીવેદ હોવો ન જોઈએ. અને સ્વીકાર્યા બાદ ઉપશમશ્રેણિમાં અવેદક (દરહિત) પણ હોય. (૮) કલ્પદાર–કલ્પદારથી સ્થિતકલ્પ (નિયત ક૫) અને અસ્થિતંકલ્પ (અનિયત કલ્પ) બને હોય છે.૧૩ (૯) લિંગઠાર–જિનકલ્પ સ્વીકાર કરતી વખતે દ્રવ્યલિંગ (મુનિશ) અને ભાવલિંગ (મુનપરિણામ) બને હોય છે. જિનકલ્પ અંગીકાર કર્યા બાદ વસ્ત્રાદિકને લઇને તેમજ સંહરણને લઇને કદાચિત દ્રવ્ય લિગો અભાવ હોય, પરંતુ ભાવલિગ તે અવશ્ય હોય છે. १२ " तज्जम्मे केवलपडिसेहभाषाओ" [तजन्मनि केवलप्रतिषेधभावात् ] આવા પ્રકારનું પૂર્વ મહર્ષિ એનું વચન હોવાથી આ કલ્પવાળાને ક્ષપકશ્રેણિ હોઈ શકતી નથી. વિશે–જિનકલ્પ અંગીકાર કરનાર બાવીસ તીર્થંકરના સાધુઓને તેમજ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને સામાયિક ચરિત્ર હોય છે. પ્રથમ તીર્થકરના સાધુઓને તેમજ છેલ્લા તીર્થ કરના સાધુઓને સામાયિક ચારિત્ર અને છેદપસ્થાપનીય ચારિત્ર બને છે એ છે. ११ “ आचेलक १ हेसिअ २ सिजायर ३ रायपिंड ४ किइकम्मे ५ षय ६ जिट्ट ७ पडिकमणे ८ मासं ९ पज्जोसणाकप्पे १० ॥१॥ कल्पसूत्र WWW.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy