SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨] પાટલીપુત્ર [ ૧૭ ] તરીકે પ્રસિદ્ધિ પામ્યો. અનુક્રમે ઉંમર વધતા અભ્યાસાદિના ક્રમે કરીને આ બાળક યૌવન અવસ્થાને પામ્યા. ઉત્તમ પુરૂષ પાક ફળના જેવા શાદિ વિષયેામાં લગાર પણ આસક્તિ રાખતા નથી, એમ અણુિંકપુત્ર પશુ એ જ કૅટિના હતા, જેથી તેમણે સાંસારિક વિલાસાને બ્રાસની જેમ તુચ્છ ગણી અને તેને ત્યાગ કરીને જસિંહ નામના આચાર્ય મહારાજની પાસે પવિત્ર દીક્ષા ગ્રહણુ કરી ગીતા થયા અને આ આ પદ પામ્યા. અનુક્રમે વિચરતા વિચરતા ધા સમય વીત્યા બાદ વૃદ્ધાવસ્થામાં પોતાના પરિવાર સહિત તે અણુિ કાપુત્ર આચાર્ય મહારાજ ગંગાનદીને કાંઠે રહેલા પુષ્પભદ્ર નામના નગરમાં પધાર્યાં. આ વખતે ત્યાં પુષ્પકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને પુષ્પવતી નામની રાણી હતી. રાષ્ટ્રી પુષ્પવતીને પુષ્પચૂળ નામે પુત્ર અને પુષ્પચૂળા નામની પુત્રી હતી. આ અંતેને યુગલ (જોડલા) રૂપે જ જન્મ થયા હતા. આ અને ભાઇ બહેનને માંડામાંહે ઘણા પ્રતિભાવ હતા. આ પ્રસંગ જોઇને રાજાએ વિચાર કર્યું કે આ અને જો વિખુટાં પડશે તા જરૂર જીવી શકશે નહી અને હું છુ આ બન્નેના વિયોગ સહન કરી શકું તેમ નથી. માટે આ અનેને પતિપત્ની રૂપે વિવાદ થાય તેા ટીક, એમ વિચારીને રાજાએ ાથી મંત્રી, મિત્ર અને નગરના લોકોને પૂછ્યું કે સભાજના ! અન્તઃપુરની અન્દર જે રત્ન ઉત્પન્ન થાય તેને માલિક કેણુ ? આ પ્રશ્નને સભાજને જવાબ આપ્યા હે રાજન! દેશની અન્દર જ રત્ન ઉત્પન્ન થાય તેને રાજા ઇચ્છાનુસાર ઉપયોગ કરી શકે તો પછી અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલા રત્નના આપ માલિક ગણા તેમાં નવાઇ શી ? આ બાબતમાં ગેરવાજબી છે જ નહિ. સભાજતેના આ શબ્દ સાંભળીને રાજાએ પોતાના વિચાર પ્રમાણે ક્ષમ મહાસત્રની તૈયારી કરી, તે વખતે રાણી પુષ્પવતીએ આમ કરવાની ના પાડી છતાં રાજાએ પોતાનું ધાર્યું કર્યું. રાણી પુષ્પવતીને આ અયોગ્ય બનાવ જોઇને અને પેાતાનુ અપમાન થયેલું જાણીને સંસાર ઉપરથી વૈરાગ્ય ભાવ જાગ્યા. જેના પરિણામે તેણીએ સંયમ ગ્રહણ કરી નિળ સાધના કરી, દેવલોકની ઋદ્ધિ મેળવી. કાળાન્તરે પુષ્પકેતુ રાજા મરણ પામ્યા બાદ કુંવર પુષ્પચૂળ રાજા થયા. હવે તે દૈવે (પુષ્પવતીના જીવે) અવધિજ્ઞાનથી આ બંનેનું અકૃત્ય જાણીને સ્વપ્નમાં પુષ્પચૂળાને ધણા દુઃખથી રીખાતા એવા નારકીને દેખાડયા. આ જોઇ પુષ્પમૂળા જાગી ગઇ અને હૃદયમાં ભય પામી. તેણીએ પતિની આગળ સ ખીના જણાવી દીધી. રાણીના ભયને દૂર કરવા માટે પુષ્પળ રાજાએ ધાએ જ્ઞાન્તિકમ કરાવ્યાં, છતાં પણ તે દેવે હંમેશના નિયમ પ્રમાણે પુષ્પચૂળા રાષ્ટ્રનિ નરક સ્વરૂપને દેખાડવાનો નિયમ છેડયા નડી, એટલે તેણે સ્વપ્નમાં આ બીના જણાવવી ચાલુ રાખી. ત્યારે રાજાએ જન સિવાય અન્ય ધર્મ વાળાઓને ખેલાવીને પૂછ્યું કે નરકસ્થાન કેવું હોય ? આના જવાબમાં કેટલાએક લોકોએ ગર્ભવાસને, કેટલા લેાકાએ કેદખા નાને તેમજ કેટલા લોકોએ દરિદ્રતાને નરકસ્થાન તરીકે જણુાવ્યું અને કેટલા લેાકાએ પરાધી પણું એ નરકસ્થાન છે એમ જણાવ્યું. આ બધી ખીના સાંભળીને રાણી પુચ્ળાને લગાર પણ સનેેષ થયે। નહીં, કારણ કે સ્વપ્નમાં જોયેલા નરકાવાસેાની મીનાની સાથે આતા લગાર પશુ મેળ મળતા ન હતા. છેવટે રાજા પુષ્પચૂળે જનાચાર્ય શ્રી અણુિકા ૭ પાંચે ઇન્દ્રિયાના પાંચ વિષયા રૂપ, રસ, ગ, ૫, અને શબ્દ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy