________________
અક ૧-૨ ]
શ્રી વજસ્વામી ધનિક શ્રાવક રહેતો હતો. તેને ઈશ્વરી નામની ગુણવતી પત્ની હતી. તે વખતે દુકાળથી બધા દુઃખી થઈ ગયા હતા.
એકદા ધર્મપ્રધાન ઈશ્વરીએ પિતાના સ્વજનોને કહ્યું “આપણે આજપર્યત તે સુખમાં જ જીવ્યા છીએ, પણ હવે ધાન્ય વિના દુખે કેટલો વખત આવી શકીશું? તે કરતાં વિષાન જમીને સમાધિસ્થ થઇ જવું સારું, માટે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં અને વૃત્તિથી આ દુઃખના ગુરૂ દેહ ત્યાગ કરી દઇએ એટલે સ્વજોએ કહ્યું કે “ભલે એમ જ થાએ! કારણ કે હવે આ શરીરથી અંત સમયે એ જ ફળ મેળવવા યોગ્ય છે.' પછી લક્ષમૂલ્ય અને રાંધીને તે જ તેમાં વિષ નાખવા જતી હતી ત્યાં વસેન મુનિ ત્યાં આવ્યા. તેમને જોઈને તે હર્ષિત થઈને વિચારવા લાગી કે ભાગ્યને ચિત્ત, વિત્ત, અને પાત્ર એ ત્રણેને કેમ મળે છે, માટે આજે મુનિને દાન આપી આ જન્મ કૃતાર્થ કરૂં. આવા પાત્રની પ્રાપ્તિ કદાચિત્ દૈવયોગે જ થાય છે. આ પ્રમાણે હર્ષિત થઈને તેણે મુનિને ભિક્ષા આપી અને લક્ષમૂલ્ય પાક સંબંધી હકીકત બધી તેમને નિવેદન કરી. એટલે વજસેન મુનિએ કહ્યું, “હે ભકે, આ પ્રકારના સંકટથી જીવિતનો ત્યાગ ન કરે. કારણકે આવતી કાલે પ્રભાતે નિઃસંશય સુમિક્ષ થશે. તેણે પૂછ્યું “હે ભગવન, તમે સ્વયમેવ આ જાણ્યું છે કે બીજા કોઈ પાસેથી સંભળ્યું છે ?” તે બોલ્યા “શ્રી વસ્વામીએ મને કહ્યું છે કે જ્યારે તું લક્ષ પાક ભાતની ભિક્ષા પામીશ તેને બીજે દીવસે પ્રાતઃકાળે સુભિક્ષ થશે.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને તે શ્રાવકાએ દુર્ભિક્ષના તે છેલ્લા દીવસને એક ક્ષણની જેમ વ્યતીત કર્યો. બીજે દિવસે પ્રભાતે ધાન્યથી પરિપૂર્ણ એ નોકાસમૂહ દૂરથી ત્યાં આવ્યું, એટલે તે શ્રાવિકા તથા સર્વજને તત્ત્વ જ નિશ્ચિત થયા. વજન મુનિ પણ કેટલાક કાળ ત્યાં જ રહ્યા. જિનદત્ત શ્રેષ્ઠીએ પિતાની પત્ની અને ઘણા પુત્ર સાથે મહત્સવ સહિત જિનેશ્વર ભગવાનની પૂજા કરી, અને દીન જનોને દાન દીધુ. ત્યારપછી બીજે દીવસે શ્રી વજસેન મુનિ પાસે શાંત મનવાળા એવા તેમણે મહોત્સવ પૂર્વક અને લેકમાં હિતકારી એવી દીક્ષા ગ્રહણ કરી આત્મસાધનાનું વ્રત આદર્યું!
સાચું યુદ્ધ इमेण चेव जुज्झाहि किं ते जुन्झेण बज्झओ? जुद्धारिहं खलु दुल्लभं । ' હે ભાઈ, તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી વૃદ્ધને પે.ગ્ય બીજી વસ્તુ મળવી દુર્લભ છે.
શ્રી આચારાંગસૂત્ર (“મહાવીરસ્વામીને આચારધર્મ')
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International