SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૪] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક નજીક આવતાં હોવાથી સમસ્ત જૈન સંઘ એકત્રિત થઈને શ્રી વવસ્વામીજીને વિનંતી કરવા આવ્યા, - શ્રી સંઘે વજીસ્વામીને જેને કુળફલ ન મળી શક એવા રાજ્યના નિયમથી વાકેફ કર્યા અને કહ્યું કે “હે પ્રભો, પર્યુષણ પર્વના ઉત્તમ દિવસો નજીક આવે છે. એ દીવસમાં પણ જે અમને પુષ્ય નહિ જ મળે તે સાધુઓની માફક જ અમે પણ માત્ર ભાવ પૂજન જ કરી શકીશું. આપના જેવા ધુરંધર આચાર્ય છતાં તે દુષ્ટ બુદ્ધિઓએ વારંવાર હરાવીને અમને મુવા જેવા ર્યા છે, તે અભિભૂત એવા શ્રી જૈન શાસનની પ્રભાવના કરીને અમને જીવનદાન આપ.” આ ખેદજનક સમાચાર સાંભળી તેમણે કહ્યું “હે શ્રાવક, તમે શાંત થાઓ. તે બાબતને યોગ્ય પ્રબંધ હું કરી આપીશ.” એ પ્રમાણે કહીને પિતાના વિદ્યાબળથી આગાશમાં ઉડીને એક નિવમાત્રમાં તે માહેશ્વરી નગરીમાં આવ્યા, અને નગરીના બહારના એક ઉપવનમાં ગયા. તે ઉપવન હુતાશન નામના એક દેવનું હતું. તેને ભાળી જામીના પિતા ધનગિરિજીનો મિત્ર હ. પ્રાતઃકાળમાં અચાનક વજીસ્વામીજીને જોઈને તે હર્ષ પામતે બોલ્યો “હે પ્રભે, હું મારા આત્માને ખરેખર ધન્ય ગણું છું કે મને તમે ચિત્તથી દર કર્યો નથી. હવે કયા પ્રકારે આપનું આતિથ્ય કરી હુ કાર્ય થાઉં તે આપ કહો.” ત્યારે વવામીએ કહ્યું કે “હે ઉધાનપાલક, મારે સુંદર પુનું કામ છે, અને તે આપવા તું સમર્થ છે. ત્યારે માળીએ કહ્યું “હે પ્રભ, પુષ્પ ગ્રહણ કરી મારા પર અનુગ્રહ કરે, અહીં દરરોજ લગભગ વિશ લાખ ફુલે થાય છે. તેથી વાસ્વામીએ તેને કહ્યું “હે ભદ્ર, હું બીજે જઇને અહીં આવું, એટલામાં તું તૈયાર રાખજે.' આ પ્રમાણે કહીને દેવતાની માફક આકાશ માર્ગે ચાલીને તે મહામુનિ ક્ષહિમવંત પર્વત ઉપર ગયા. અને ત્યાંનાં સિહાયતને માં રહેલી શાશ્વતી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજીને વંદન કર્યું. પછી જ્યાં લક્ષ્મી દેવી રહે છે તે પદ્મદ્રહ તરફ આકશમાં ગયા. લક્ષ્મીદેવીએ વાસ્વામીજીને જોયા, એટલે તરત જ વંદન કર્યું. પછી દેવીએ પૂછયું, હે મહાત્માન , આપનું કયા કારણે અત્રે આગમન થયું છે? મારા લાયક કોઈ પણ કાર્ય હોય તે ફભાવો. એટલે મુનીંદ્ર બોલ્યા “હે દેવી, આદેશ માત્ર એટલો જ છે કે તમારા હાથમાં રહેલ આ પદ્ધ અમને આપે. લક્ષ્મીદેવીએ તેમને પદ્મ આપ્યું એટલે ત્યાંથી વાસ્વામી આકાશમાર્ગે પાછા ફરીને હુતાશનના વનમાં ગયા, અને ત્યાં પોતાની વિદ્યાશક્તિથી પાલક વિમાનના નાના ભાઇ જેવું અનેક પ્રકારની શોભાવળું મનહર વિમાન વિકુછ્યું અને તેના મધ્ય ભાગમાં શ્રી દેવીએ આપેલ કમલને સાપન કર્યું અને તેની ચારે બાજુ ચિત્ર માળીએ આપેલ ફુલ ગેદવ્યાં. તે વખતે વજીસ્વામીજી મહારાજે જભક દેવતાઓને સભા એટલે જેમ ઇંદ્રની પાસે દેવતાઓ હાજર થાય તેમ તે હાજર થયા અને ઇન્દ્રની જેમ તેમની ચારે બાજુ વીંટળાઈ ગયા. પછી છત્ર સમાન તે કમળની નીચે બેસીને વિમાનને આકાશમાર્ગે લઈ જા માટે તેમણે આદેશ કર્યો, એટલે વિમાનની સાથે ચાલના ભક દેવતાઓ પણ પોતાના વિમાનમાં બેસીને ગીત વાદ્યાદિ પૂર્વક સાથે ચાલ્યા. તે વિમાનરથ દેવતાઓ વડે પરિવરેલ શ્રી વિશ્વ સ્વામી મહાપુરી આવ્યા. ત્યાં આકાશમાંથી ભક દેવતાઓએ સંગીત મહોત્સવ કયો, એટલે દિવ્ય વાજીના મધુર સ્વરથી સમસ્ત - શહેર શબ્દમય કઈ ગયું. એ જેને “આ પિતાના દેવો છે' એમ માનતા બૌદ્ધ લોકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy