SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [348) શ્રી જન સત્ય પ્રકાશ 3, બુદ્ધિની વદ્ધિ-જે દ્વારા પદાર્થ તત્ત્વને ખરે મુદો જણાય તે બુદ્ધિ કહેવાય. આવી વિશલ નિમલ બુદ્ધિ ધર્મારાધનથી મળી શકે છે. ભલે ને મોટે રાજા હોય, તો પણ જે તેનામાં વિદ્યા-બુદ્ધિની ખામી હોય તે હસી પાત્ર બને છે. આ બાબત જુએ એક દષ્ટાંતઃ આ પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલિવાહન રાજા રાજ્ય કરતા હતા તેને ચદ્રલેખા વગેરે પાંચ સે રાણીઓ હતી. તમામ રાણીઓ સંસ્કૃતાદિ છએ ભાષાની જાણકાર હતી, પણ રાજા વ્યાકરણ ભર્યો ન હતો. ભાષા શુદ્ધિને માટે અને પદાર્થનું યથાર્થ રવરૂપ સમજવાને માટે વ્યાકરણ ભણવાની ખાસ આવશ્યક્તા છે. એક વખત ગ્રીષ્મઋતુમાં રાજાએ રાણીઓની સાથે જલક્રીડા શરૂ કરી. ચંદ્રલેખા રાણી, શરીર કોમળ હોવાથી, ઠંડી સહન કરી શકતી ન હતી. અને રાજા તે પહેલાંની માફક પાણી છાંટયા જ કરતા હતા. આ બાબતને નિષેધ કરવા રાણીએ સંસ્કૃત ભાષામાં રાજાને કહ્યું કે–“સેવ, માં મો : વિશ” (આને અર્થ આ છે કે હે રાજન, મને પાણી છાંટે નહિ. “મા-ઉદકે = નહિ-ઉદક વડે. અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે આ+3 ને “rથાય) એમ વારંવાર રાણીએ કહ્યું તે પણ વ્યાકરણનો બોધ ન હોવાથી રાજા શાલિવાહન રાણીને કહેવાનો મુદો સમજી શકે નહીં. એ તે “મેદક' આ શબ્દ સાંભળીને ઉ૯હું એમ સમજ્યો કે રાણું લાડવા માગે છે. જેથી દાસીને લાડવાની છાબડી લાવવા ફરમાવ્યું. દાસી તે લાવી. આ બનાવ જોઇને રાણું હસી પડી, અને વિચારવા લાગી કે “રાજા આવી બીના પણ સમજ નથી. હસતી એવી રાણીને જોઇને રાજાએ હસવાનું કારણ પૂછયું, ત્યારે રાણીએ કહ્યું કે-હું કહું છું કઈ ને તમે સમજે છે કે, તેથી મને હસવું આવ્યું. રાણીના આ વચન સાંભળીને રાજા શરમાઈ ગયો. પછી તેણે વિધા (બુદ્ધિ) મેળવવા માટે ત્રણ ઉપવાસ કરીને સરસ્વતી દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ દર્શન દઈને વરદાન દીધું. જેથી રાજા કાવ્યરચનામાં કુશળ કવિ થયે. અને તેણે સારસ્વત નામનું વ્યાકરણ પણ બનાવ્યું. ધર્મના પસાયે પ્રજ્ઞા (વિદ્યારે ને વધારે થઈ શકે છે. આ ત્રીજી વૃદ્ધિ જણાવી. 4. સુખની વૃદ્ધિ–કહ્યું છે કે–વધારે પ્રમાણમાં ધર્મારાધના કરવાથી મન ગમતાં ભજન, સુખ સાહિબી, દાન દેવાનું સામર્થ્ય વગેરે મળે છે. યાદ રાખવું કે સુખનું ખરું સાધન ધર્મારાધન છે. જેમ જેમ પુદ્ગલરમણુતા ઓછી થાય તેમ તેમ ધર્મક્રિયા તરફ લક્ષ્ય જરૂર રહે છે. મેહ રાજાના પંઝામાં સપડાયેલા છે પિતાની ફરજ સાધવામાં જરૂર મુંઝાય છે. નિ છત્તિ, ધ જેન્તિ માનાણાઃ | फलं नेच्छंति पापस्य, पापं कुर्वति सादराः // 1 // ૧-ત્રણ ઉપવાસ એ એમ કહેવાય, આ તપને પ્રભાવ એ અલૌકિક છે કે જેથી કઠિન એવાં કાર્યો પણું હેલ બને છે. છ ખંડ સાધતી વખતે ચક્રવતીઓ પણ જુદા જુદા સ્થલે 13 અહમ કરે છે. ૨-બાપભદિસૂરિ-હેમચંદ્રસૂરિ વગેરે મહાપુરૂએ પણ સરસ્વતીની આરાધના કરી છે. For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy