SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [34] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 3 8. ઉપાશ્રયથી સાત ઘર સુધી કોઈ પ્રસિદ્ધ માણસ મૃત્યુ પામ્યું હોય તે એક અહોરાત્રિને અનયાય કાળ. 10. ઉપાશ્રયથી સે હાથ સુધીમાં કોઈ અનાથ મૃત્યુ પામ્યો હોય તે તેનું શબ જ્યાં સુધી લઈ ન જાય ત્યાંસુધી અસ્વાધ્યાય કાળ. 11. સ્ત્રીના રૂદનને શબ્દ જ્યાંસુધી સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે નહિ. 12. જળચર, તિર્યચ, પચેંદ્રિય, મત્સ્ય વગેરે (વિકલેંદ્રિય નહિં) ના રૂધિર માસ કે હાડકે ઉપાશ્રયથી સાઠ હાથ સુધીમાં પડ્યાં હોય, તે તે તથા કોઈ પક્ષનું ઇંડું પડયું હોય, પણ ભાંગ્યું ન હોય તે તે કાઢી નાખ્યા પછી સ્વાધ્યાય થઈ શકે. અને જે ઇંડું ફૂટી ગયું હોય તે ત્રણ પિરસી સુધી સ્વાધ્યાય કલ્પે નહિ, તેમાં પણ જે ઈડું ફુટેલું હોય અને તેમાંથી રસનું બિંદુ ભૂમિ ઉપર પડયું હોય તે તે સાઠ હાયની બહાર લઈ જઈને તે ભૂમિ ધોયા પછી સ્વાધ્યાય કલ્પે. 13 માખના પગ જેટલું પણ ઈડાના રસનું અથવા લોહીનું બિંદુ ભૂમિ પર પડયું હોય તે સ્વાધ્યાય કલ્પે નહીં. 14 ગાય વગેરેને જરાયુ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી સ્વાધ્યાય કાળ અને જરાય પડયા પછી ત્રણ પે રસી સુધી અસ્વાધ્યાય. 15. બિલાડી વગેરેએ ઊંદર વગેરે માર્યો હોય તે એક અહોરાત્રિ અસ્વાધ્યાય 16. ઉપર્યુકત રીતે મનુષ્યના સંબંધમાં સમજવું. વિશેષતા એ છે કે ઉપાશ્રયથી સે હાથ સુધીમાં મનુષ્યના અવયવે અથવા ચર્મ, માંસ, રૂધિર હાડકું વગેરે પડ્યાં હોય તે અસ્વાધ્યાય. પણ જે ઉપાશ્રય અને તે અવયવ પડેલા સ્થાનની વચ્ચે માર્ગ હોય તે સ્વાધ્યાય થઈ શકે. 17. સ્ત્રીઓને ઋતુ આવે ત્યારે ત્રણ દિવસ સ્વાધ્યાય ન કલ્પ, પ્રદર રોગવાળા માટે અધિકકાળ સુધી. 18. કોઈ ગર્ભવતીને પુત્ર પ્રસવ થયો હોય તે સાત દિવસ સુધી અસ્વાધ્યાય, અને પુત્રી થઈ હોય તે અથવા રક્ત અધિક જતું હોય તે આઠ દિન સુધી. 18. સો હાથ સુધીમાં કોઈ બાળક વગેરેને દાંત પડે છે, તે તે શેધ અને જે દાંત જોવામાં ન આવે તે “દંત ચેહડા વર્ણિય કરેમિ કાઉસગ્ગ” એમ કહી એક નવરાકારને કાયોત્સર્ગ કરો. પછી સ્વાધ્યાય કલ્પ. 20 દાંત વિના બીજા કોઈ અંગ અથવા ઉપાંગનું હાડકું સ હાથ સુધીમાં પડયું હોય તો બાર વર્ષ * () સુધી વાચનાદિક રવાધ્યાય કલ્પે નહિ. મનમાં અર્થનો વિચારણને કઈ સ્થાને નિષેધ નથી. 21. આર્દી નક્ષત્રથી આરંભીને સ્વાતિ નક્ષત્ર સુધી, વિદ્યુત તથા મેઘ ગર્જના થાય તે સ્વાધ્યાયનો નિષેધ નથી. અહીં કંઈક કાળની ખલના જણાય છે. For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy