SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમહાબત [35] 3. પ્રજ્ઞાપનીયપણું-આગમત યુકિતઓ વડે અન્યને સમજાવવાની કુશળતા. 4. ક્રિયામાં અપ્રમાદ–સાધુ માર્ગની કરણ મદ વિષય કષાય વિથા નિદ્રા રૂપ પાંચ પ્રમાદ રહિત કરતાં થકાં શુદ્ધ સંયમનું પાલન કરવું. 5. શક્ય અનુષ્ઠાનને આરંભ–-શરીરની શક્તિ મુજબ તપાદિ ક્રિયા કરવી. 6. ગુણાનુરાગ-ચરણ-કરણસિત્તરી, તથા આગમત મળ ઉત્તર ગુણમાં પ્રીતિ. 7. ગુરૂ આજ્ઞા આરાધન–ગુરૂ પ્રત્યે બહુમાન ધરતો, સદા આજ્ઞા ઉઠાવવામાં તત્પર રહે અને ચારિત્ર ધર્મ નિહતિએ પાળે. જ્ઞાનાચારના આઠ પ્રકારમાંના પ્રથમ કાળ નામના આચારનું સ્વરૂપ –યુગકાળે મૃત ભણવું, ભણાવવું તથા વ્યાખ્યાન કરવું તે શ્રત ધર્મને પ્રથમ આચાર છે. અગિયાર અંગ અને ઉત્તરાધ્યયન સુત્ર વગેરે કાલિકશ્રત કહેવાય છે. તે દિવસે તથા રાત્રે પહેલી અને ચેથી પારસી (પ્રહર) માં ભણવું ગણવું અને દશવૈકાલિક વગેરે તથા દૃષ્ટિવાદ ઉત્કાલિક શ્રુત કહેવાય છે. તેને ભણવા વગેરેને કાળ સવ પિરસીને છે. તેમાં પણ સૂવની પિરસીમાં સૂત્ર ભણવું અને અની પિરસીમાં અર્થ અથવા ઉત્કાલિક શ્રેતાદિ ભણવું. દિવસ તથા રાત્રિની પહેલી અને છેલ્લી પિરસીમાં અસ્વાધ્યાય (અસઝય) ને અભાવે ભણાય તેથી તેનું નામ કાલિક કહેવાય છે. કાલિક શબ્દાર્થ એ છે કે યોગ્ય કાળે જ ભણવું તે. માત્ર કાળ વેળા સિવાય બધી રિસીમાં ભણય તેને ઉકાલિક કહ્યું છે. કાલિક તથા ઉત્કાલિક બને છતને લઘુ અધ્યાય કાળ બે ઘડીને છે તેવી માળવેલા પ્રત્યેક અહેરાત્રમાં ચાર આવે છે. તેટલો વખત અધ્યયન માટે ત્યાજ્ય છે: (1) સંધ્યાકાળ (2) મધ્યરાત્રિ (3) પ્રભાતકાળ (4) મ યાહ આ ચાર કાળવેળા અધ્યયન માટે વર્જિત છે. પણ પડિલેહણાદિ બીજી ક્રિયા માટે નિષિદ્ધ નથી. સ્વાધ્યાય ગ્ય કાળે કરવામાં આવે તે જ ફળીભૂત થાય છે. અધ્યાયને સમય પણ પ્રકાર છે, તેનું વિસ્તારથી સ્વરૂપ આવશ્યક નિર્યુકિતની વૃત્તિમાં પ્રતિક્રમણ અધ્યયનમાં તેમજ પ્રવયન સારોદ્ધારમાં છે. અત્રે એ સંબંધમાં કઈક દર્શાવાય છે. નીચેના કારણોથી અસ્વાધ્યાય કાળ જાણ: 1. આકાશમાંથી સક્ષ્મ રજ પડતી હોય, તેમજ ઘુઅર કે ધુંવાડ જેટલો કાળ પડે તેટલો સમય. ઘુ અર પડતું હોય ત્યારે તે મુનિએ અંગાદિની ચેષ્ટા પણ ન કરવી. 2. ગંધર્વનગર એટલે આકાશમાં નગર જેવું દેખાય છે તે, ઉલ્કાપાત, દિશાઓને દાહ અને વિદ્યુતપાત થાય તે સમય ઉપરાંત એક પ્રહર સુધી. 3. અકાળે (વર્ષાઋતુ વિના) વિધુતને ચમકારો થાય વા અકાલે મેઘની ગર્જના થાય તે બે પ્રહર સુધી. 4. અષાડ ચેમાસાનું તથા કાર્તિક ચોમાસાનું પ્રતિક્રમણ કર્યા પછી પ્રતિપદા (એકમપડવા) સુધીને સમય. 5. આસે તથા ચૈત્ર સુદ પાંચમના મધ્યાન્હ સમયથી આર ભીને કૃષ્ણપક્ષની પ્રતિ દા સુધીનો સમય. વદી બીજને દિન સ્વાધ્યાય કરવા યોગ્ય છે. 6. રાજા અને સેનાપતિ વગેરેનું પરસ્પર યુદ્ધ થતું હોય તે સમય. 7 હેળીના પર્વમાં જ્યાં સુધી રજ શાંત ન થાય ત્યાં સુધી. 8. ગામને રાજા મરણ પામે તે જ્યાં સુધી બીજા રાજાને અભિષેક ન થાય ત્યાંસુધી. For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy