SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતનાં જૈન ગુફામંદિરો કુલુહા હલ યાને ભીલપુર લેશ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ ભદ્દીલપુર એ નામનું પુરાતન નગર ઇતિહાસકાળ પહેલાનું છે. જે ગયા જિલ્લામાં આવેલ છે. પુરાતન સમયમાં આ શહેર પૂર્ણ જાહોજલાલીએ હતું તે સંબધીની ઐતિહાસિક ઘટના ઈતિહાસકાળ પહેલાંની “વસુદેવહિંડી” નામના ગ્રંથમાં મળી આવે છે જેમાં યાદવકુલ વશીય રાજ વસુદેવના પરિભ્રમણનું વૃત્તાંત છે. આ ગ્રંથની રચના વિક્રમની પાંચમી શતાબ્દી આસપાસના સમયની થયેલ જણાય છે. અંતિમ તીર્થંકર મહાવીરદેવ જ્યારે શ્રમણ દિશામાં હતા તે સમયે તેમનું પાંચમું ચાતું માસ આ નગરે થએલ હતું, જે સમયે આ નગર જૈનપુરી જેવું હતું. ઇ. સ. પૂર્વે શેની શતાબ્દીમાં આ પ્રદેશ પર શિશુનાગ વંશના રાજ્યકર્તાઓને અધિકાર હતા. તે પછીના સમયમાં માય રાજ્યકર્તાઓની સત્તા નીચે આવેલ, જેમાં થઈ ગએલ પ્રખ્યાત સમ્રાટ અશોક અને મહારાજા દશરથે આ જિલ્લાના “બરાબર પર્વત” માં આવિ અને નિર્ચ ના નિવાસ માટે બનાવેલ (અનુસંધાન પાન ૩૩૬માં નુ ) નિષેધને પ્રતિકાર ધનપાલને પરમ શ્રાવક બનાવી દીધની વાત લોકોને સાંભળવામાં આવતાં લોકેનાં ટોળેટોળાં શોભન મુનિવરની અનહદ પ્રશંસા કરવા લાગ્યા. ધારાનગરીમાં આનંદની પરિસીમાં ન રહી. જૈનધર્મની વિજય પતાકા ફરકાવી ધર્મને ડંકો બજાવ્યો. એકદા પૂર્ણિમાના સંધ્યા સમયે, કવીપર પરમ શ્રાવક ધનપાલે, ધારાનગરીમાં શ્વેતાંબર સાધુઓ નિરતર વિચરી શકે અને લેકો જૈનધર્મથી વિમૂખ ન થઈ જાય એ હેતુથી, રાજા ભેજને જણાવ્યું કે-“હે રાજેન્દ્ર, તમારા યશરૂપ ચંદ્રકિરણથી ગગનપર્યત ધવલતા (તતા) છવાઈ રહી છે, તમારે પ્રતાપ સર્વ સમાન છે. તમારી વિરતાથી સ્વયં શત્રુઓ આવીને પિતાના મુગુટથી શિર ઝુકાવી રહ્યાં છે. તમારી અગાધ શકિત છે. તમારા દેશમાં અનેક મહાન પુરુષો છે. અનેક જાતની કળા કૌશલ્યવાળી વસ્તુઓ છે. તે હે નરેશ્વર, કંચનકામિનીના ત્યાગી, અજ્ઞાન તિમિરને નાશ કરનાર, વિદ્વત્તાથી ભરપૂર એવા શ્વેતાંબર મુનિઓ શા માટે દૂર રહે!” ધનપાલનું આવું આશ્ચર્યજનક વચન સાંભળી રાજાએ કહ્યું કે “હે ધનપલ! ભલે વેતાંબર સાધુઓ ધારાનગરીમાં વિચરે. એ દર્શન પર પણ દેષ કરે ?" સંઘને આ વાતની ખબર પડતાં મહેન્દ્રસૂરીશ્વરને વિનંતી મોકલાવી, એટલે આચાર્ય મહારાજ સત્વર આવી પહોંચ્યા. ઘરે ઘરે જૈન ધર્મના વિજયનાદો વાગી રહ્યા. આમ છેવટે બાર વર્ષના દુકાળે વિતી ગયા બાદ રાજા ભેજની આજ્ઞાથી વેતામ્બર સાધુઓને વિહાર ચાલુ થઈ ગયે. કેટલોક સમય વિત્યાબાદ સુરીશ્વર અન્યત્ર વિહાર કરી ગયા. અપૂર્ણ For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy